Home >
ભારતમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની આયાતમાં 5 વર્ષમાં 60% વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે LPGની કિંમત વધી હોવાથી મોંઘા ભાવે કરવી પડતી આયાતથી ભારતનો ખર્ચ વધી રહ્યો છે.
છેલ્લાં કેટલાક મહિનામાં થયેલા અનિયમિત વરસાદ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાથી કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો થયો છે.
FCI દ્વારા સરકાર માટે થતી ચોખાની ખરીદીમાં 14% ઘટાડો નોંધાયો છે. સરકારી વખારોમાં બફર સ્ટોક પણ ઘટી રહ્યો છે. ફ્રી રાશન આપવા માટે ચોખાની વ્યવસ્થા કરવાનો પડકાર ઊભો થઈ શકે છે.
સરકારે ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલા નિર્ણયને પગલે ડુંગળીની કિંમતમાં 50% સુધીનો ઘટાડો થયો છે.
ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશમાં કપાસનું કુલ ઉત્પાદન 294.10 લાખ ગાંસડી (1 ગાંસડી બરાબર 170 કિલો) થવાનો અંદાજ કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયાએ આપ્યો છે.
જીરુંનું વાવેતર વધવાની અપેક્ષા અને માંગમાં નરમાઈને કારણે જીરુંના ભાવ સતત ઘટવા લાગ્યા છે. ઓગસ્ટમાં Rs 65,000ની ટોચ બનાવ્યા બાદ હાજરમાં ભાવ Rs 40,000ની નીચે જ્યારે વાયદા બજારમાં Rs 30,000ની નજીક પહોંચી ગયા છે.
બેન્કો વધારી રહી છે બેઝ રેટ. સરકાર વેચશે સસ્તામાં મગ. સરકારની ડાયરેક્ટ ટેક્સ આવક વધી. વીમા ઉદ્યોગમાં થઈ રહી છે નવાજૂની.
BCG-CIIના રિપોર્ટમાં છેલ્લાં 10 વર્ષમાં જીવન જીવવાના ખર્ચમાં કેટલો વધારો થયો તેનો નીચોડ આપવામાં આવ્યો છે. સારી વાત એ છે કે, છેલ્લાં એક દાયકામાં ઈન્ટરનેટ પ્લાન, મોબાઈલ ફોન, પરિવહન અને નવા વાહનની કિંમતમાં સૌથી ઓછો ફેરફાર નોંધાયો છે.
જાન્યુઆરીમાં મ્યાનમારથી 4 લાખ ટન તુવેર અને ફેબ્રુઆરીમાં 10 લાખ ટન અડદની દાળની આયાત કરવામાં આવશે. દેશમાં દાળનો સપ્લાય વધશે એટલે દાળના ભાવ નીચે લઈ જવામાં મદદ મળશે.
દિલ્હીના મેટ્રો સ્ટેશન પર સરકારનો પ્રોજેક્ટ સફળ જશે તો અન્ય શહેરોના મેટ્રો સ્ટેશન પર રિટેલ સ્ટોર ખોલીને સસ્તામાં ખાદ્ય ચીજવસ્તુઓ મળતી થઈ જશે.