2023માં સૌથી વધુ 17 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે. 10 ટકા લોકોની પસંદ મ્યુચ્યુઅલ ફંડ છે. જ્યારે શેર બજાર અને યુલિપમાં 9-9 ટકા લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે.
મની9ના સર્વે અનુસાર દેશમાં 24 ટકા પરિવાર એવા છે જે કોઇને કોઇ સ્વરૂપે રોકાણ કરે છે. 2022માં આ આંકડો 22 ટકા હતો. એટલે કે રોકાણ કરનારાની સંખ્યા 2 ટકા વધી છે. બીજી તરફ રોકાણ નથી કરતા તેવા લોકોની સંખ્યા 2022ના 78 ટકાથી ઘટીને 76 ટકા થઇ છે.
કયા શહેરના લોકો સૌથી વધુ ઇન્સ્યોરન્સ ખરીદે છે. તે અંગે પણ રસપ્રદ માહિતી સામે આવી છે. સર્વે અનુસાર મદુરાઇના 84 ટકા પરિવાર વીમો ખરીદે છે. બીજા નંબરે 79 ટકા સાથે મહારાષ્ટ્રના અમરાવતીના લોકો આવે છે. આ યાદીમાં ત્રીજા ક્રમે પણ મહારાષ્ટ્ર જ છે.
મની9ના સર્વેમાં કયા શહેરના કેટલા પરિવાર સૌથી વધુ સોનું ધરાવે છે તેની માહિતી પણ મળી છે. દેશમાં બેંગાલુરુમાં 69 ટકા લોકો સોનું રાખવામાં મોખરે છે. બીજા નંબરે 66 ટકા સાથે તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.
દેશના લોકોએ પોતાની બચત કેમ તોડી તેના કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે. મની9ના સર્વે અનુસાર દેશના 22.3 ટકા લોકોને બીમારીની સારવાર પાછળ બચત તોડી પડી છે.