મની9નો સર્વે દર્શાવે છે કે 2023માં દેશના 67 ટકા લોકોએ પોતાની બચતને તોડી નાંખી છે. જ્યારે 33 ટકા લોકોને બચત તોડવાની જરૂર નથી પડી. એટલે કે મોટી સંખ્યામાં લોકોને ખર્ચને પહોંચી વળવા માટે બચત તોડવાનો વારો આવ્યો છે.
સર્વે અનુસાર 2022માં 70 ટકા લોકો બચત કરતા હતા. જ્યારે 2023માં આ આંકડો વધીને 88 ટકાએ પહોંચ્યો છે. 2022માં 30 ટકા લોકો બચત નહોતા કરતા. જ્યારે 2023માં બચત ન કરનારા લોકોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે.
મની9ના દેશવ્યાપી સર્વેમાં કેટલીક ચોંકાવનારી વાત બહાર આવી છે. સર્વે અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય પરિવારોની આર્થિક સ્થિતિ કેવી રહી તેની પર નજર કરીએ તો 54 ટકા લોકોએ કહ્યું કે તેમની સ્થિતિમાં કોઇ ફેર નથી પડ્યો.
મની9ના સૌથી મોટા સર્વેમાં કેટલીક રસપ્રદ વાત પણ સામે આવી છે. ભારતમાં એવા કેટલા પરિવાર છે જે ઘર ચલાવવામાં પણ સંઘર્ષ કરે છે. એટલેકે ઘર ચલાવવા જેટલું પણ નથી કમાતા.