Home >
2014માં ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપે વધારે નોકરીઓનું સર્જન કરવાનો વાયદો કર્યો હતો.
International Labour Organisation (ILO)એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, લૂ, અતિશય ગરમી, દુકાળ તેમજ પૂર અને વાવાઝોડા જેવા જળવાયુ પરિવર્તનના ખતરાનો સૌથી વધુ ભોગ કામદારો બની રહ્યાં છે.
2024માં ભારતીય અર્થતંત્ર તેજીમય પ્રદર્શન જાળવી રાખશે અને 6.8% GDP ગ્રોથ હાંસલ કરશે, તેવી શક્યતા IMFએ વ્યક્ત કરી છે. UNCTADએ 6.5% વૃદ્ધિદરનો અંદાજ બાંધ્યો છે.
વર્લ્ડ બેન્ક અને IMF બાદ હવે ADB (Asian Development Bank)એ ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો છે અને ભારત વૃદ્ધિનું એન્જિન બની રહેશે, તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
માર્ચમાં અમેરિકામાં હેડલાઈન ફુગાવો અપેક્ષા કરતાં ઊંચો આવ્યો હોવાથી નજીકના ગાળામાં ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા પર પાણી ફરી ગયું છે.
Anil Ambaniની કંપની Reliance Infraની પેટાકંપનીને મળેલી Rs 8,000 કરોડની આર્બિટ્રલ એવૉર્ડની રકમ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે કંપનીને જટકો આપ્યો છે અને તેને સંબંધિત નિર્ણય ફગાવી દીધો છે.
Deloitteના સરવેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2020થી વર્ષે Rs 20 કરોડથી વધારે પગાર મેળવનારા CEOની સંખ્યા બમણી થઈ ગઈ છે.
એશિયાના ચલણો પર દબાણ સર્જાવાથી અને ઓઈલ કંપનીઓ દ્વારા ડૉલરની માંગ વધવાથી ભારતીય રૂપિયો તેના વિક્રમ ક્લોઝિંગ લેવલે બંધ રહ્યો છે.
સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મનરેગા કામદારોના વેતનમાં 3-10% વધારો કર્યો છે. નવા વેતન દર 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. આ વખતે પણ લગભગ ગયા વર્ષ જેટલો જ વેતનવધારો થયો છે.
ILO ના અહેવાલ મુજબ, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તેવા શિક્ષિત યુવાઓમાં બેકારીનું પ્રમાણ વર્ષ 2000માં 35.2% હતું, જે 2022માં લગભગ બમણું વધીને 65.7% થયું છે.