સર્વે અનુસાર 2022માં 70 ટકા લોકો બચત કરતા હતા. જ્યારે 2023માં આ આંકડો વધીને 88 ટકાએ પહોંચ્યો છે. 2022માં 30 ટકા લોકો બચત નહોતા કરતા. જ્યારે 2023માં બચત ન કરનારા લોકોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે.
Money9: મની9એ પર્સનલ ફાઇનાન્સ પર દેશનો સૌથી મોટો સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. 10 અલગ-અલગ ભાષાઓમાં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં 1170થી વધુ ગામડાઓ અથવા શહેરી વિસ્તારોના 35 હજારથી વધુ પરિવારો પાસેથી તેમની કમાણી, ખર્ચ, બચત અને રોકાણ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. 2023નો આ સર્વે ગત વર્ષ કરતા મોટો અને વધુ વ્યાપક છે. 2022ના સર્વેમાં 31 હજારથી વધુ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો, એટલે કે આ વખતના સર્વેની સેમ્પલ સાઈઝ 2022ના સર્વેની સરખામણીમાં લગભગ 10 ટકા વધારે છે. સર્વેની જવાબદારી પ્રતિષ્ઠિત એજન્સી RTI ઈન્ટરનેશનલને સોંપવામાં આવી હતી. જે વર્લ્ડ બેંક અને ફેસબુક જેવી મોટી સંસ્થાઓ માટે આ પ્રકારનો સર્વે કરી રહી છે. Money9 એ જે થીમ પર આ સર્વે કર્યો છે, આવા સર્વે ક્યાં તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અથવા તો સરકારના નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પરંતુ સામાન્ય લોકોની આવક, બચત, ખર્ચ અને રોકાણને લઈને આરબીઆઈ અને એનએસએસઓના સર્વે ઘણા જૂના થઈ ગયા છે. મની9નો સર્વે આ થીમ પરનો સૌથી લેટેસ્ટ સર્વે છે અને દેશના નાગરિકોની નાણાકીય સુરક્ષાના સ્તરની સૌથી સચોટ માહિતી પ્રદાન કરે છે.
ભારતના કેટલાક પરિવાર બચત કરે છે. તેવી માહિતી પણ સર્વેમાં બહાર આવી છે. સર્વે અનુસાર 2022માં 70 ટકા લોકો બચત કરતા હતા. જ્યારે 2023માં આ આંકડો વધીને 88 ટકાએ પહોંચ્યો છે. 2022માં 30 ટકા લોકો બચત નહોતા કરતા. જ્યારે 2023માં બચત ન કરનારા લોકોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે.
Published - December 23, 2023, 02:12 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો