Money9 Gujarati:
સોનું ભારતીય પરિવારોની સૌથી પ્રિય ધાતુ છે. તે માત્ર સુંદર દેખાવા માટે જ નહીં પણ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બચત અને રોકાણ તરીકે પણ ઉપયોગી છે. ભારતીય પરિવારો હંમેશા તેમની બચત સોનામાં કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાં જોરદાર વધારો થયો છે. Money9ના સર્વેમાં જાણવા મળ્યું છે કે 2022માં 15 ટકા પરિવારો સોનામાં બચત કરતા હતા, જ્યારે 2023માં આ આંકડો વધીને 21 ટકા થઈ ગયો છે. સોના તરફના વધતા આકર્ષણનું એક કારણ ભાવમાં વધારો છે. સોનાએ છેલ્લા એક વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે. સરકાર દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) જેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જેના કારણે સોનાનું આકર્ષણ વધ્યું છે.
સોનાની ખરીદીના વલણ પર નજર કરીએ તો, ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોવા મળે છે. ગયા વર્ષે પશ્ચિમ ભારતનો દબદબો જોવા મળ્યો હતો. 2022ના સર્વેક્ષણમાં 51 ટકા પરિવારો સાથે સુરત નંબર 1 શહેર હતું. ક્રિષ્ના અને થાણેના નામ બીજા અને ત્રીજા શહેરોમાં હતા. પરંતુ આ વર્ષે ત્રણેય શહેરો નવા છે. 2023માં બેંગલુરુ 69 ટકા પરિવારો સાથે મોખરે રહ્યું છે. આ પછી તિરુવનંતપુરમ આવે છે. અહીં 66 ટકા પરિવારો સોનામાં બચત કરે છે. સૌથી ચોંકાવનારું નામ દાર્જિલિંગનું સામે આવ્યું છે. આ દર્શાવે છે કે દાર્જિલિંગમાં લોકોની આવકમાં કેવી રીતે વધારો થયો છે.
સોનામાં રોકાણ કરતા શહેરોની વાત કરીએ તો પૂર્વ અને દક્ષિણ ભારતનું સ્પષ્ટ વર્ચસ્વ દેખાય છે. જલપાઈગુડી ચોથા શહેર તરીકે ઉભરી આવ્યું છે જેમાં 57 ટકા પરિવારો સોનામાં રોકાણ કરે છે. આ પછી આવે છે શિવમોગા અને પશ્ચિમ મેદિનીપુર. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પણ સોનામાં રોકાણ કરવા માટે ટોપ 10 શહેરોમાં સામેલ છે. ટોપ 10 રાજ્યોમાં સામેલ અન્ય શહેરોમાં રાજકોટ, કોઈમ્બતુર, ફરીદાબાદનો સમાવેશ થાય છે.
આ સર્વે પ્રતિષ્ઠિત વૈશ્વિક એજન્સી RTI ઈન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યો છે. આ એજન્સી વર્લ્ડ બેંક જેવી મોટી સંસ્થાઓ માટે આવા સર્વે કરાવતી રહી છે. ભારતમાં, મની 9 જેવો સર્વે સામાન્ય રીતે રિઝર્વ બેંક અથવા નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ બંને સંસ્થાઓનો સૌથી તાજેતરનો સર્વે મની9ના સર્વે કરતાં ઘણો જૂનો છે. વર્તમાન પરિસ્થિતિ પર મની 9નો સર્વે ભારતીયોના આર્થિક સ્વાસ્થ્ય વિશે સૌથી સચોટ માહિતી પ્રદાન કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો