MONEY9 GUJARATI: રમણની વીમા પોલિસી (Insurance policy) મેચ્યોર થઈ ગઈ છે…તેના બેંક ખાતામાં 10 લાખ રૂપિયા આવી ગયા છે…રમણ આ રકમ તેની દીકરીના અભ્યાસ માટે મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund)માં રોકવા માંગે છે…તેને આ પૈસાની જરૂર સાત વર્ષ પછી પડશે. બજારના ઉતાર-ચઢાવને જોઈને તે રોકાણ કરવાની હિંમત નથી દાખવી શકતો… મ્યુચ્યુઅલ ફંડમાં લંપસમ (Lumpsum investment) એટલે કે એકસાથે રોકાણ કરવાની સાચી રીત શું છે? બચત ખાતામાં મોટી રકમ કેમ ન રાખવી જોઈએ? આવો સમજીએ-
દક્ષિણ એશિયામાં યુદ્ધને લઈને વધી રહેલા તણાવને જોતા વિશ્વભરના શેરબજારોમાં ભારે અસ્થિરતાનો સમય ચાલી રહ્યો છે..બજારનો ભાવિ ટ્રેન્ડ કેવો રહેશે તે વિશે કંઈ ન કહી શકાય… આવી સ્થિતિમાં રમણે તેની રકમને લંપસમ એટલે કે એકસાથે રોકાણ કરવાથી બચવું જોઇએ. જો રમણ આ રકમને સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન એટલે કે STP દ્વારા રોકાણ કરશે તો વધુ ફાયદો થઈ શકે છે…
STP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક અસરકારક રીત છે…આ પ્રક્રિયામાં, એક ફંડમાંથી બીજા ફંડમાં નિયમિત અંતરે રોકાણ કરવામાં આવે છે…જોખમની દ્રષ્ટિએ ડેટ ફંડ્સને ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત ગણવામાં આવે છે…જો રમણને હાલમાં એવું લાગી રહ્યું છે કે બજારમાં મોટો ઘટાડો આવી શકે છે…તો તેણે સૌપ્રથમ તેના પૈસા લિક્વિડ એકાઉન્ટમાં રોકવા જોઈએ…
ત્યારબાદ રમન આ રકમને એસટીપી દ્વારા ઇક્વિટી ફંડમાં રોકી શકે છે… એસટીપી ટૂંકા અને લાંબા ગાળાના હોઈ શકે છે… સામાન્ય રીતે 6 થી 10 મહિનાના એસટીપી સારા માનવામાં આવે છે… જેમ કે રમણ જો 10 લાખ રૂપિયાનું રોકાણ કરવા માંગે છે, તો તે તેનું 10 હપ્તામાં રોકાણ કરી શકે છે. આવી સ્થિતિમાં, તેના ખાતામાંથી દર મહિને 1 લાખ રૂપિયા એક નિશ્ચિત તારીખે ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર થઇ જશે.
સેબીના રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જીતેન્દ્ર સોલંકી કહે છે કે… શેરબજાર હાલમાં અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે..ભવિષ્યમાં ક્યારે અને કેટલો ઘટાડો થઈ શકે છે તે વિશે ચોક્કસ કંઈ કહી શકાય નહીં…એસટીપી દ્વારા રોકાણ કરવાથી, રોકાણની રુપી કોસ્ટ એવરેજિંગ થઇ થશે… જો આ જ રકમ એકસાથે રોકાણ કરવામાં આવે તો બજારમાં મોટો ઘટાડો થાય ત્યારે મોટું નુકસાન થઈ શકે છે… જો તમે એસટીપી દ્વારા રોકાણ કરો છો, તે બજારની અનિશ્ચિતતા દૂર થવા અને તેમાં સુધારો આવવા પર આ રોકાણ પર વધુ સારા રિટર્નની આશા રાખી શકીએ છીએ…
STP દ્વારા રોકાણ કરવાથી રમણને વધુ એક ફાયદો થશે… હાલમાં, બચત ખાતા પર મુખ્ય બેંકો વાર્ષિક 3 ટકા જેટલું વ્યાજ આપી રહી છે…છેલ્લા એક વર્ષમાં લિક્વિડ ફંડમાં રિટર્ન 7 ટકાથી વધુ રહ્યું છે… આ રીતે રમણના લિક્વિડ ફંડમાં જે પૈસા જમા રહેશે તેની પર તે બચત ખાતાની તુલનામાં બમણાથી વધુ કમાણી કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટ્રી લોડ સ્વરુપે કોઈ ફી નથી ચૂકવવી પડતી… જો કે સેબી તરફથી ફંડ હાઉસ એક્ઝિટ લોડ વસૂલ કરી શકે છે… પરંતુ લિક્વિડ ફંડમાં, સાત દિવસ બાદ પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે કોઈ ચાર્જ નથી લાગતો. આવી સ્થિતિમાં, રમણને એક્ઝિટ લોડ તરીકે કોઈ ફી નહીં ચૂકવવી પડે.. ખાસ વાત એ છે કે લિક્વિડ ફંડમાં જોખમ નહિવત હોય છે.
જ્યારે તમે એસટીપી દ્વારા ઇક્વિટીમાં રોકાણ કરો છો… તો રુપી કોસ્ટ એવરેજિંગની સાથે સાથે રોકાણ પરનું જોખમ પણ ઘટી જાય છે… પરંતુ તેનો અર્થ એ નથી કે જોખમ સંપૂર્ણપણે દૂર થઈ જશે… જો તમે ઇક્વિટીમાં રોકાણ કરી રહ્યા છો તો તમને માર્કેટના ટ્રેન્ડની સારી સમજ હોવી જોઈએ… એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઇક્વિટીમાં રોકાણ કરવા માટે લંપસમ રોકાણની તુલનામાં એસટીપી વધુ સારો વિકલ્પ છે… જો તમને મ્યુચ્યુઅલ ફંડની સારી સમજ નથી, તો નાણાકીય સલાહકારની સલાહ પછી જ રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો