Money9 Gujarati:
ભારત દુનિયાનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. આપણા અર્થતંત્રનું કદ 3 લાખ કરોડ ડૉલરને પાર પહોંચી ગયું છે. આ બધું તો તમે જાણતા જ હશો, પરંતુ કદાચ તમને એ નહીં ખબર હોય કે, ભારતના એક સરેરાશ પરિવારની કમાણી કેટલી છે, તે ખર્ચ ક્યાં કરે છે અને સૌથી મહત્ત્વની વાત કે તેણે બચત અને રોકાણના પૈસા ક્યાં મૂક્યા છે? ભારતનાં લોકોના ખિસ્સા સાથે જોડાયેલી જમીની સ્તરની માહિતી મેળવવા માટે Money9 દ્વારા 2022માં દેશનો સૌથી મોટો પર્સનલ ફાઈનાન્સ સર્વે કરવામાં આવ્યો હતો અને હવે ફરીવાર Money9 અગાઉ કરતાં મોટો અને વ્યાપક સર્વે લઈને હાજર થઈ ગયું છે.
આ સર્વેમાં 20 રાજ્યોનાં લગભગ 115 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન 10 અલગ-અલગ ભાષામાં થયેલા આ સર્વેમાં 1,170થી પણ વધઆરે ગામ કે શહેરી વિસ્તારોમાં રહેતા 35,000થી પણ વધારે પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી કમાણી, ખર્ચ, બચત અને રોકાણની માહિતી ભેગી કરવામાં આવી હતી.
2022ના સર્વેમાં 31,000થી વધારે પરિવારને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા, એટલે કે, 2022ની તુલનાએ આ વખતના સર્વેની સેમ્પલ સાઈઝમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સર્વેની જવાબદારી પ્રતિષ્ઠિત એજન્સી RTI ઈન્ટરનેશનલને સોંપવામાં આવી હતી. આ એજન્સી વર્લ્ડ બેન્ક માટે તેમજ ફેસબૂક જેવી અગ્રણી કંપનીઓ માટે આવા સર્વે કરતી રહે છે.
Money9એ જે થીમ પર સર્વે કરાવ્યો છે, તેવો સર્વે કાં તો રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) કરે છે અથવા તો સરકારની નેશનલ સેમ્પલ સર્વે ઑફ ઈન્ડિયા (NSSO) કરે છે. પરંતુ સામાન્ય પ્રજાની કમાણી, બચત, ખર્ચ અને રોકાણ માટે RBI તથા NSSO દ્વારા થતા સર્વે કાટ ખાઈ ગયા છે. આ થીમ પર Money9નો સર્વે સૌથી તાજો સર્વે છે અને દેશનાં નાગરિકોની આર્થિક સલામતીની સચોટ વિગતો ઉપલબ્ધ કરાવતો સર્વે છે.
સર્વેથી જાણવા મળ્યું છે કે, ભારતમાં સરેરાશ કેટલા લોકોનો પરિવાર છે, પરિવારમાં કમાણી કરનારા કેટલા છે અને પરિવારની સરેરાશ કમાણી કેટલી છે. સર્વે પરથી એવું પણ જાણવા મળ્યું છે કે, દેશનાં કેટલા લોકો પાસે કાર અને એર કન્ડીશનર જેવી સુવિધા છે. કેટલા લોકો હજુ પણ સીલિંગ ફેન તથા મોબાઈલ ફોનની જરૂરિયાતને પહોંચી વળવા માટે દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. સર્વેથી એ પણ જાણવા મળ્યું કે, કેટલા લોકો બચત કરવામાં માને છે અને રોકાણ માટે કયા વિકલ્પ પસંદ કરે છે. આર્થિક સલામતી માટે આખરે શું જરૂરી છે તેની વિગત પણ આ સર્વે પરથી જાણવા મળે છે.
Money9નો આ સર્વે 23 ડિસેમ્બર, 2023એ શનિવારના રોજ TV9 નેટવર્કની હિન્દી ચેનલ TV9 ભારતવર્ષ પર બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવશે. સર્વેથી જાણી શકાશે કે, આગામી 6 મહિનામાં ભારતનાં કેટલા લોકો પોતાના માટે ગાડી, વીમો કે સ્માર્ટફોન ખરીદવાની યોજના ઘડતા હશે. સર્વેની તમામ વિગતો જાણવા માટે શનિવારે બપોરે 1થી 3 વાગ્યા સુધી TV9 ભારતવર્ષની ચેનલ જોવાનું ના ભૂલતા…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો