MONEY9: જ્યારે તમે અલગ-અલગ એસેટ ક્લાસ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પોતાના રોકાણને સમાન રીતે વહેંચો છો તો તમને એક સંતુલિત પોર્ટફોલિયો પ્રાપ્ત થાય છે. આનાથી તમારી ઇન્ડિવિઝ્યુઅલ્સ એસેટનું પ્રદર્શન પણ સુધરશે. પરંતુ જ્યારે ડાયવર્સિટી વધારે હોય છે તો તે આખી રમતને બગાડી શકે છે.
મુંબઇના હિતેશ રોકાણને લઇને ઘણાં એક્ટિવ રહે છે. તેઓ ઘણાં પ્રકારના ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પૈસા લગાવે છે કારણ કે તેમને લાગે છે કે ઉત્તમ રિટર્ન પ્રાપ્ત કરવાની આ યોગ્ય રીત છે. બજારમાં બે પ્રકારના રોકાણકાર હોય છે. પહેલા હિતેશ જેવા જે પોતાના પોર્ટફોલિયોને જરૂરિયાત કરતાં વધારે ડાયવર્સિફાઇ કરી લે છે. એટલે કે તેને વિવિધતા આપે છે. અને બીજા એવા જે પોતાના પોર્ટફોલિયોને બરોબર ડાયવર્સિફાઇ નથી કરતા. પરંતુ જો તમે સ્થાયી રિટર્નની ઇચ્છા ધરાવો છો તો તમારા રોકાણને ડાયવર્સિફાઇ કરો અને આ રીતે પોતાના જોખમને ઘટાડો.
જ્યારે તમે અલગ-અલગ એસેટ ક્લાસ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પોતાના રોકાણને સમાન રીતે વહેંચો છો તો તમને એક સંતુલિત પોર્ટફોલિયો પ્રાપ્ત થાય છે. આનાથી તમારી ઇન્ડિવિઝ્યુઅલ્સ એસેટનું પ્રદર્શન પણ સુધરશે. પરંતુ જ્યારે ડાયવર્સિટી વધારે હોય છે તો તે આખી રમતને બગાડી શકે છે. જેવુ હિતેશના કેસમાં થયું છે. હિતેશને પોતાના રોકાણમાંથી વધારે રિટર્ન નથી મળતું અને પ્લાન અનુસાર નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત નથી થયું.
ઓવર ડાયવર્સિફિકેશનની ખબર કેમ પડે?
હવે તમાર મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવતો હશે કે એ કેવી રીતે ખબર પડે કે તમારો પોર્ટફોલિયો ઓવર ડાયવર્સિફાઇડ એટલે કે જરૂરિયાતથી વધારે ડાયવર્સિફાઇડ થઇ ગયો છે. આની કેટલીક રીતો છે. ઓવર ડાયવર્સિફિકેશનનો સૌથી પહેલો સંકેત ત્યારે મળે છે જ્યારે તમને એ ખબર ન પડે કે તમારા રોકાણમાં ચાલી શું રહ્યું છે. એટલે કે, રોકાણ એટલું બધું થઇ જાય છે કે તમને એ ખબર જ નથી પડતી કે પોર્ટફોલિયો કઇ દિશામાં જઇ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે એ નથી જાણતા કે પોતાની એસેટને કેવી રીતે હેન્ડલ કરવી.
એ ધ્યાનમાં રાખવું મહત્વનું છે કે ઘણીવાર એવા સંજોગો આવે છે જ્યારે તમારે ખરાબ પ્રદર્શનવાળી એસેટમાંથી તમારા પૈસા કાઢીને સારા પ્રદર્શનવાળી એસેટમાં લગાવવા પડે છે. જો તમે આવુ નથી કરી શકતા તો રિટર્ન મળવાની સંભાવના તમારા અનુમાનથી ઓછી જ રહેશે.
આ જ રીતે જો તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં મોટાભાગની સ્કીમ એક જ પ્રકારની છે તો કોઇપણ જાતની શંકા વગર કહી શકાય કે તમે ઓવર ડાયવર્સિફાઇડ છો એટલે કે તમે કારણ વગર પોર્ટફોલિયોને ડાયવર્સિફાઇ કર્યો છે. ઉદાહરણ તરીકે જો તમે જુદીજુદી રોકાણ કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં સ્મૉલકેપ, મિડકેપ કે લાર્જ કેપ સ્કીમમાં પૈસા લગાવી રાખ્યા છે તો તેને વધારે પડતું ડાયવર્સિફિકેશન કહેવામાં આવશે.
ઓવર ડાયવર્સિફિકેશન કેમ ન થવું જોઇએ?
જયારે તમે તમારા રોકાણને ઘણાં બધા સાધનો, વિવિધ પ્રકારના ફંડ કે ઇન્ડસ્ટ્રીમાં લગાવતા રહો છો જેથી અલગ-અલગ પ્રકારનું રિટર્ન મળતું રહે તો તેને ઓવર ડાયવર્સિફિકેશન કહેવામાં આવે છે. કેટલીક મર્યાદાઓની અંદર આ રણનીતિ ઘણી મદદગાર સાબિત થઇ શકે છે, કારણ કે આ બજારના ઉતાર-ચડાવથી બચાવે છે અને તમને ઓછા જોખમે સ્થાયી રિટર્ન અપાવવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે તમે એકસાથે ઘણીબધી ચીજો કરવા માંગો છો તો તમે ડાયવર્સિફિકેશનના ફાયદાથી ચૂકી જાઓ છો.
ઓવરડાયવર્સિફિકેશનથી રોકાણકારોને ભલે વધારે પડતું નુકસાન ભલે ન થાય પણ તેનાથી કોઇ ખાસ મદદ પણ નથી મળતી. જો તમે તમારા પોર્ટફોલિયોમાં મોટી સંખ્યામાં અલગ-અલગ પ્રકારના રોકાણ સાધન રાખો તો તમને તગડું રિટર્ન નથી મળતું કારણ કે બધી એસેટ્સ એકસાથે ઉપર કે નીચે નથી જતી. કારણ એ છે કે તેમની ગ્રોથ સાઇકલ અલગ-અલગ હોય છે, એટલે તેમને અલગ અલગ રીતે વહેંચવાની જરૂર હોય છે.
દરેક રોકાણકારે એ જાણી લેવાની જરૂર છે કે ઓવર ડાયવર્સિફિકેશન શું હોય છે. જો રોકાણકાર આ જાણી લેશે તો તે પોતે આ પ્રકારની જાળમાં નહીં ફસાય.
એક્સપર્ટ શું કહે છે?
પ્રૉફિશિઅન્ટ ઇક્વિટીઝના ફાઉન્ડર અને ડાયરેક્ટર મનોજ ડાલમિયા કહે છે કે ડાયવર્સિફિકેશનથી જોખમમાં ઘટાડો થાય છે. પરંતુ તે એક હદ સુધી જ ઘટે છે. થોડાક સમય બાદ જોખમ ઘર કરી લે છે. મ્યુચ્યુઅલ ફંડ્સની બાબતમાં અનેક નવી પ્રોડક્ટ છે જેવી કે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, ફ્લેક્સી કેપ ફંડ તમને એક જ પ્રોડક્ટમાં જુદાજુદા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડનું હેલ્ધી મિક્સ આપે છે.
પોતાના રોકાણને ડાયવર્સિફાઇ કરવાનો અર્થ એ નથી કે તમારા પોર્ટફોલિયોમાં કેટલા ફંડ છે. પરંતુ તેનું મહત્વ એટલા માટે છે કે તમે અલગ-અલગ સેક્ટરમાં કેટલું સ્માર્ટ રીતે રોકાણ કર્યું છે. રોકાણનું લક્ષ્ય સીધી રીતે તમારા ફાઇનાન્સિયલ ગોલ્સને પૂરા કરવાનું હોવું જોઇએ. ત્યારે કોઇ ફંડની પસંદગી કરતી વખતે પોતાના શોર્ટ અને લૉંગ ટર્મ ગોલ્સથી નજર ન હટાવો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો