Money9: હાલના સમયમાં વેલ્યૂ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા ઘણી ઝડપથી વધી છે. હકીકતમાં શેર બજારની તેજીમાં ફંડ મેનેજરનો રસ એવા શેરોમાં વધ્યો છે જેના ભાવ તેની ક્ષમતાના આધારે ઓછા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બરોડા બીએનપી પારીબાસ, UTI Nifty 500 વેલ્યૂ 50 ઇન્ડેક્સ ફંડ જેવા ઘણાં વેલ્યૂફંડ લોન્ચ કરવામાં આવ્યા છે. આવો સૌથી પહેલા સમજીએ કે વેલ્યૂ ફંડ શું હોય છે અને કેવા પ્રકારના રોકાણકારોએ તેમાં રોકાણ કરવું જોઇએ.
જ્યારે કોઇ ફંડ મેનેજર વેલ્યૂ રોકાણની વ્યૂહરચના બનાવે છે, ત્યારે તે એવા શેરોની શોધ કરે છે જે તેના આંતરિક વેલ્યૂથી નીચે ટ્રેડિંગ કરી રહ્યા હોય અને કંપનીના શેરની કિંમત તેની સાચી કિંમત દર્શાવતી ન હોય. આવા શેરોમાં મોટી તેજીની શક્યતા રહેતી હોય છે. કોઇ કંપનીના આંતરિક વેલ્યૂ ઘણાં પેરામીટર પર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે જેમ કે બેલેન્સ શીટ, કંપનીનો નફો કે ખોટ, બિઝનેસ મોડલ, મેનેજમેન્ટ અને પ્રતિસ્પર્ધા.
વેલ્યૂ ફંડમાં ફંડ મેનેજર એવા શેરોમાં રોકાણ કરે છે જેનું મૂલ્ય ઓછું હોય છે. સેબીના નિયમો અનુસાર આ પ્રકારના ફંડમાં 65% રોકાણ શેરનું કરવું જરૂરી હોય છે. આવા પ્રકારના ફંડ્સમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જેમ જ ટેક્સ લાગે છે. જો ફંડ 1 વર્ષની અંદર રિડીમ કરવામાં આવે છે, તો રિટર્ન પર 15% શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવશે. જો 1 વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવે તો રિટર્ન પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવશે. હવે ચાલો એ પણ જાણીએ કે વેલ્યુ ઓરિએન્ટેડ ફંડ્સનું પ્રદર્શન કેવું રહ્યું છે.
વેલ્યુ રિસર્ચ અનુસાર, 4 ઓગસ્ટ, 2023 સુધી, વેલ્યુ ફંડ્સે 1 વર્ષમાં 19 ટકા, 3 વર્ષમાં 26 ટકા અને 5 વર્ષમાં 13%નું વળતર આપ્યું છે. જેમાં જેએમ વેલ્યુ ફંડે 1 વર્ષમાં સૌથી વધુ 33%, 3 વર્ષમાં 31% અને 5 વર્ષમાં 15% થી વધુ વળતર આપ્યું છે.
ઘણા લોકો વેલ્યુ ફંડ્સ અને સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. વેલ્યૂ ફંડ એવા શેરોમાં રોકાણ કરે છે જે તેમની આંતરિક વેલ્યૂથી નીચે ટ્રેડ કરે છે. તો બીજી તરફ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ નાની કંપનીઓના શેરમાં રોકાણ કરે છે જે માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની 250 કંપનીઓમાં સામેલ નથી હોતી. જે કંપનીઓમાં સ્મોલ કેપ ફંડ્સ રોકાણ કરે છે તેમાં જોખમ વધારે હોય છે અને ઉચ્ચ વોલેટિલિટી હોય છે. પરંતુ જો કંપની સારું પ્રદર્શન કરે છે, તો આ ફંડ્સમાં વળતર પણ ઊંચું મળે છે.
એસોસિયેશન ઓફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના સભ્ય જય ઠક્કર કહે છે કે સ્મોલ કેપ ફંડ્સની AUM વેલ્યૂ ઓરિએન્ટેડ ફંડ્સ કરતાં બમણી છે. માત્ર એવા રોકાણકારો કે જેમની પાસે જોખમની વધુ ક્ષમતા હોય છે તેઓ સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરે છે. કુલ પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ ફંડનો હિસ્સો 15-20% થી વધુ ન હોવો જોઈએ.
હવે આપણે એ પણ સમજીએ કે વેલ્યુ ઓરિએન્ટેડ ફંડમાં કેવા પ્રકારના રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ. ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સના મતે, આવા ફંડ્સમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછું 3 થી 5 વર્ષનું હોરાઇઝન હોવું જોઇએ. જય ઠક્કર કહે છે કે વેલ્યુ ઓરિએન્ટેડ ફંડ લાંબા ગાળે સારું વળતર આપે છે. જોખમ લેનારા રોકાણકારો તેમના કુલ પોર્ટફોલિયોનો એક ભાગ આ ફંડમાં રોકાણ કરી શકે છે. વેલ્યુ ઓરિએન્ટેડ ફંડ સાઉન્ડ એક સારો પોર્ટફોલિયો બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો