Money9: જુલાઇ મહિનામાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ જગતના દિગ્ગજ ફંડ મેનેજર પ્રશાંત જૈને HDFC AMCના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર પદેથી રાજીનામું આપી દીધું… આને એક મોટી ઘટના માનવામાં આવી. હવે HDFC Mutual Fundને નવો કેપ્ટન ચલાવશે. ફંડ મેનેજર બદલાવાની ઘટના કેટલાક સમય પહેલાં Axis મ્યુચ્યુઅલ ફંડમાં પણ થઇ હતી, જો કે તે અલગ હતી. ફ્રન્ટ રનિંગ જેવા આક્ષેપોના કારણે Axisએ પોતાના બે ફંડ મેનેજર્સને કાઢી મૂક્યા હતા.
આવી સ્થિતિમાં ઘણાં રોકાણકાર મુંઝઈ ગયા, કે હવે તેમણે શું કરવું? તમારા મનમાં પણ એ સવાલ ઉભો થતો હશે કે કોઇ ફંડ મેનેજર બદલાઇ જાય તો શું કરવું જોઇએ?
ફંડ મેનેજર બદલાઇ જાય તો શું કરવું?
સૌથી પહેલા એ સમજવું પડશે કે ફંડ મેનેજર બદલવા માટે બે પ્રકારના કારણો હોય છે. બની શકે કે કોઇ ફંડ મેનેજરનું પ્રમોશન થયું હોય અને તે કોઇ બીજા ફંડ હાઉસમાં સારી પોઝિશન પર જઇ રહ્યો હોય. બીજું એ હોય કે ખરાબ પ્રદર્શનના કારણે કોઇ ફંડ મેનેજરને કાઢી મુકવામાં આવે. રોકાણકારે એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે કેવા પ્રકારના ફેરફાર થઇ રહ્યાં છે. હવે માની લો કે કંઇક વધારે ખરાબ થવાના કારણે ફંડ મેનેજરે પદ છોડ્યું છે. તો આવા સંજોગોમાં રોકાણકારે શું કરવું જોઇએ?
ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સનું કહેવું છે કે તમારે તાત્કાલિક ગભરાઇ ન જવું જોઇએ. જહાજને છોડીને ભાગવાના એટલે કે ફંડમાંથી નીકળી જવાના બદલે તે પછીના છથી આઠ મહિના સુધી ફંડના પ્રદર્શન પર નજર ટકાવી રાખવી જોઇએ.
વેઇટ અને વૉચની રણનીતિ
એસોસિએશન ઑફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ એટલે કે ARIAના બોર્ડ મેમ્બર દિલશાદ બિલિમોરિયા કહે છે કે મોટા ફંડ હાઉસ અને AMCમાં એક પ્રોસેસ અપનાવવામાં આવે છે. ફંડ મેનેજમેન્ટની એક ટીમ હોય છે અને એવા એનાલિસ્ટ હોય છે. જે થીમ પર ઓબ્જેક્ટિવ અનુસાર જુદાજુદા સ્ટૉક પર રિસર્ચ કરે છે. એટલે રોકાણકારોએ બીજા 8 થી 12 મહિના બધા પ્રકારના બજાર ચક્રમાં ફંડ મેનેજર્સના પ્રદર્શનના મુલ્યાંકન માટે વેઇટ અને વૉચની રણનીતિ અપનાવવી જોઇએ.
એક રોકાણકાર હોવાના કારણે તમારે એ વાત પર પણ ધ્યાન આપવું જોઇએ કે પોતાની કેટેગરીમાં સ્કીમનું રેંકિંગ ઘટ્યું છે ? અને જો ઘટ્યું છે તો કેટલું?…આ જ રીતે બેંચમાર્ક અનુસાર તેના રેંકિંગમાં કેટલો ફેરફાર થયો છે?
બીજી કઇ વાતો પર ધ્યાન આપવું જોઇએ?
જો કોઇ ફંડનો મેનેજર પદ છોડી દે તો બીજી કઇ વાતો પર ધ્યાન આપવું જોઇએ?
જો કોઇ ફંડના ટર્નઓવર રેશિયોમાં તમને અચાનક વધારો જોવા મળે તો તે એ વાતનો સંકેત હોય છે કે નવો મેનેજર પોર્ટફોલિયોમાં ઘણો ફેરફાર કરી રહ્યો છે. આનાથી સ્કીમના રિટર્ન કે રિસ્ક પ્રોફાઇલમાં ફેરફાર થઇ શકે છે. નવો મેનેજર શું ફેરફાર કરી રહ્યો છે તેને જોવાની એક રીત એ પણ હોય છે કે તમે સ્કીમના માર્કેટ કેપ માળખાને જુઓ, મિડ કે સ્મૉલકેપ શેરોમાં ઉંચા વેઇટેજનો અર્થ છે કે જોખમ અને ઉતાર-ચડાવ વધારે હશે. જો લાર્જ કેપથી મિડ કે સ્મૉલ કેપની તરફ ફેરફાર થાય છે તો આનાથી એ સંકેત મળે છે કે નવો મેનેજર જુની રણનીતિને લઇને સહજ નથી.
Epsilon Money (એપ્સીલોન મની)ના Co-Founder અને CEO અભિષેક દેવ કહે છે કે ફંડ મેનેજરની કોઇ ફંડના સંચાલનમાં મહત્વની ભૂમિકા હોય છે અને તે તેના પ્રદર્શન માટે સીધો જ જવાબદાર હોય છે. પરંતુ વધારે ભાર એ વાત પર મુકવો જોઇએ કે ફંડને મેનેજ કરનારી ટીમ જે રોકાણ પ્રક્રિયા અપનાવી રહી છે તે કેટલી યોગ્ય છે. તમારે કોઇપણ નિર્ણય લેતા પહેલાં રોકાણની પ્રક્રિયા, ફંડ હાઉસની પ્રતિષ્ઠા, મેનેજેર તે ફંડમાંથી નીકળી જાય તો ફંડને સંભાળવાની ભૂતકાળમાં જોવા મળેલી ક્ષમતા અને રોકાણ ટીમની તાકાત પર ધ્યાન આપવું જોઇએ. આ બધી બાબતો પર ઉંડાણપૂર્વક વિચાર કરીને કોઇ સ્કીમમાંથી બહાર નીકળવાનું વિચારો.
તો એક વાત સ્પષ્ટ છે કે જો તમે કોઇ સારી સ્કીમમાં રોકાણ કર્યું છે અને તેના ફંડ મેનેજરના બદલાઇ ગયા બાદ પ્રદર્શનમાં ઘટાડો આવે છે, રોકાણ રણનીતિમાં ફેરફાર થાય છે, માર્કેટ કેપ કે સ્ટાઇલ બદલાય છે તો સારુ એ રહેશે કે તમે તે સ્કીમના યૂનિટ્સ વેચીને કોઇ અન્ય વિકલ્પ અપનાવી લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો