Money9: સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર એમ માને છે કે પેસિવ ફંડ કે ઇટીએફનું પ્રદર્શન તેમના બેંચમાર્ક ઇન્ડેક્સને અનુરૂપ હોય છે અને તેમાં જોખમ નથી હોતું. પરંતુ આવુ નથી. આ વાતને સારી રીતે સમજવા માટે ટ્રેકિંગ એરરને સમજવી જરૂરી છે.
પેસિવ ફંડ શું હોય છે?
ટ્રેકિંગ એરરને સમજતા પહેલા એ પણ જાણી લો કે, પેસિવ ફંડ શું હોય છે? પેસિવ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ્સને કહેવાય છે જે કોઇ ઇન્ડેક્સમાં રોકાણ કરે છે. ઉદાહરણ દ્વારા આ રીતે સમજીએ. ધારો કે, કોઇ ઇન્ડેક્સ ફંડ સેન્સેક્સ પર આધારિત છે. તો આ ફંડ તેના પૂરા પૈસા સેન્સેક્સની 30 કંપનીઓમાં બરાબર તે જ પ્રમાણમાં રોકાણ કરશે જેટલું તેનું સેન્સેક્સમાં વેઇટેજ હોય. જો આ કામ બરોબર રીતે થયું હશે તો ફંડનું રિટર્ન પણ સેન્સેક્સના રિટર્ન જેટલું જ મળશે.
ટ્રેકિંગ એરરને આમ સમજો
માની લો કે સેન્સેક્સે એક વર્ષમાં 12 ટકાનું રિટર્ન આપ્યું અને પેસિવ ફંડનું રિટર્ન 11 કે 12 ટકા રહ્યું, તો ટ્રેકિંગ એરર 1 ટકા થઇ. એટલે સીધી વાત એ છે કે બેંચમાર્ક પર આધારિત ફંડનું રિટર્ન જો બેન્ચમાર્કથી ઓછું કે વધારે હોય તો તેને ફંડની ટ્રેકિંગ એરર કહેવાય છે. આ જેટલું વધારે..એટલું જોખમ વધારે અને આ જેટલું ઓછું ફંડનું પ્રદર્શન એટલું જ સારું.
ઇન્ડેક્સ ફંડ મેનેજર દરરોજ ટ્રેકિંગ એરરની ગણતરી કરે છે. જો ફંડ ઓપન એન્ડેડ હોય તો તમે કોઇપણ સમયે તેમાં રોકાણ કરી શકો છો.
સેબી તરફથી તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સર્ક્યુલર મુજબ દરેક પેસિવ મ્યુચ્યુઅલ ફંડે તેની મંથલી ફેક્ટ શીટમાં ટ્રેકિંગ એરર અને ટ્રેકિંગના તફાવતની માહિતી આપવી જરૂરી છે. આ માહિતી ફંડનું પ્રદર્શન દર્શાવે છે સાથે જ રોકાણકારોને ફંડને સારી રીતે સમજવામાં પણ મદદ કરે છે. સેબીના જણાવ્યા અનુસાર કોઇ ખાસ પરિસ્થિતિ સિવાય ઇટીએફ કે ઇન્ડેક્સ ફંડની ટ્રેકિંગ એરર ક્યારેય 2 ટકાથી વધારે ન હોવી જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો