Money9: રવિને તો રોકાણનો એક જ મંત્ર ખબર છે..વધુ જોખમ એટલે વધુ રિટર્ન…ઓછું જોખમ એટલે ઓછું રિટર્ન..પરંતુ રવિ એ વાતને લઇને ખુબ પરેશાન છે કે મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં ઉલટી રણનીતિની જ બોલબાલા જોવા મળી રહી છે. જોખમી ગણાતા એક્ટિવલી મેનેજ્ડ ઇક્વિટી ફંડ્સની સરખામણીએ પેસિવ મેનેજમેન્ટવાળા ફંડ્સમાં પણ રોકાણ વધ્યું અને બજારના દેખાવના આધારે રિટર્ન પણ અપાવ્યું..
મોતીલાલ ઓસવાલ AMCના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં પેસિવ ફંડ્સની માંગ ઘણી વધી છે. આ સમયગાળા દરમિયાન પેસિવ ફંડ્સની AUM 8.5 ગણી વધી છે. નાણાકીય વર્ષ 2018માં બધા પેસિવ ફંડની AUM અંદાજે 83 હજાર કરોડ રૂપિયા હતી. પરંતુ માર્ચ 2023 સુધી તે વધીને 7.6 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ….
મોતીલાલ ઓસવાલ AMCના એક સર્વેમાં સામેલ 61 ટકા લોકોએ કહ્યું કે તેમણે ઓછામાં ઓછા એક પેસિવ ફંડમાં રોકાણ જરૂર કર્યું છે. ઓછો ખર્ચ, સરળતા અને માર્કેટને અનુરૂપ રિટર્નના કારણે રોકાણકાર પેસિવ ફંડમાં રોકાણ પસંદ કરી રહ્યા છે.
પેસિવ ફંડ બે પ્રકારના હોય છે. ઇન્ડેક્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF… ETFમાં ગોલ્ડ ETF, સિલ્વર ETF વગેરે આવે છે. સર્વે અનુસાર ભારતના રોકાણકાર પેસિવ ફંડની અંદર એક્સચેન્જ ટ્રેડેડ ફંડના બદલે ઇન્ડેક્સ ફંડને પ્રાથમિકતા આપી રહ્યા છે. સર્વેમાં સામેલ 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ ઇન્ડેક્સ ફંડ દ્વારા રોકાણ કરે છે. જ્યારે 42 ટકાએ કહ્યું કે તેઓ ETF દ્વારા રોકાણ કરે છે.
ચાલો હવે સમજીએ કે એક્ટિવ અને પેસિવ ફંડમાં તફાવત શું છે? હકીકતમાં, એક્ટિવ ફંડમાં કોઇ સ્કીમના નાણા ફંડ મેનેજર મેનેજ કરે છે. એટલે કે રોકાણકારોએ પૈસા ક્યાં લગાવવાના છે ક્યાં નહીં..આ ફંડ મેનેજરના વિવેક કે તેની સ્ટ્રેટેજી પર આધાર રાખે છે. પરંતુ પેસિવ ફંડ નિષ્ક્રિય રીતે કામ કરે છે. તે ફક્ત કોઇ એક ઇન્ડેક્સને ફોલો કરે છે. અહીં સ્કીમના નાણા એવા જ શેરોમાં લગાવવામાં આવે છે જે ઇન્ડેક્સમાં સામેલ હોય છે. ત્યાં સુધી કે પૈસા તે જ એવરેજમાં લાગે છે જેટલું વેઇટેજ તેમના ઇન્ડેક્સમાં હોય છે. એટલે કે નિફ્ટી ઇન્ડેક્સ ફંડ સ્કીમના પૈસા નિફ્ટીની 50 કંપનીઓમાં જ લગાવાશે.
પેસિવ ફંડનું રિટર્ન બેન્ચમાર્ક ઇન્ડેક્સના રિટર્નની આસપાસ જ રહે છે. ઉદાહરણ તરીકે નિફ્ટી 50એ છેલ્લા એક વર્ષમાં અંદાજે 12 ટકાનું રિટર્ન આપ્યું છે. તો નિફ્ટી 50ને કોપી કરનારા પેસિવ ફંડ્સમાં પણ અંદાજે આટલું જ રિટર્ન મળ્યું છે. તો રોકાણકારોને કેમ પસંદ આવી રહ્યા છે પેસિવ ફંડ? સર્વેમાં સામેલ 57 ટકા લોકોએ કહ્યું કે તેમણે પેસિવ ફંડને તેના ઓછા ખર્ચને કારણે પસંદ કર્યું છે. ત્યારબાદ 56 ટકા લોકોએ કહ્યું કે પેસિવ ફંડ્સમાં રોકાણ એટલે તેમને એટલા માટે પસંદ છે કારણ કે તેમાં રોકાણ કરવાનું સરળ હોય છે. 54 ટકા રોકાણકારોએ કહ્યું કે તેઓ પેસિવ ફંડમાં એટલા માટે રોકાણ કરે છે કારણ કે તેમાં માર્કેટ જેવું રિટર્ન મળી જાય છે.
પેસિવ ફંડનો ખર્ચ સામાન્ય રીતે એક્ટિવ ફંડથી ઓછો હોય છે. પેસિવ ફંડનો એક્સપેન્સ રેશિયો એટલે કે ફંડનો ખર્ચ 0.05થી લઇને 1 ટકાની વચ્ચે હોય છે. જ્યારે એક્ટિવ ફંડમાં તે 1 થી 2 ટકા સુધી હોઇ શકે છે. સાથે જ પેસિવ ફંડમાં સ્કીમની બહાર નીકળવા પર કોઇ ખર્ચ એટલે કે એક્ઝિટ લોડ નથી લેવામાં આવતો. એટલે તેમાં રોકાણનો ખર્ચ એક્ટિવ ફંડની સરખામણીએ ઓછો આવે છે.
પેસિવ ફંડ્સના રિટર્ન પર નજર નાખીએ તો આ બધાનું 1, 3 અને 5 વર્ષનું રિટર્ન લગભગ એકસરખું જ રહ્યું છે. પેસિવ મ્યુચ્યુઅલ ફંડ બજારને ટ્રેક કરે છે. જેના કારણે એક્ટિવ ફંડની સરખામણીએ તેમાં ઉતાર-ચડાવ ઓછો હોય છે. આ નવા રોકાણકાર કે પછી એવા ઇન્વેસ્ટર્સ માટે સારુ છે જે રિટર્નના બદલે સેફ્ટીને પ્રાથમિકતા આપે છે. કુલ મળીને કહીએ તો ઓછો ખર્ચ, ઓછું જોખમ અને સારા રિટર્નના કારણે પેસિવ ફંડ લોકપ્રિય રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો