MONEY9: શેર બજારમાં છેલ્લા બે વર્ષમાં નાના રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી છે. જેનું એક કારણ ડિસ્કાઉન્ટ બ્રોકરેજને માનવામાં આવી રહ્યું છે. એરલાઇન્સ જેવા ઘણાં કારોબારમાં ડિસ્કાઉન્ટ અને લો કોસ્ટ ટિકિટ આપવાનું ચલણ છે. તો સ્ટોક બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીએ પણ આવો જ ટ્રેન્ડ અપનાવતા ડિસ્કાઉન્ટ બ્રોકરેજનો રસ્તો અપનાવ્યો છે.
હાલના વર્ષોમાં બ્રોકિંગ સેગમેન્ટમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફાર મુખ્યત્વે ડિસ્કાઉન્ટ બ્રોકરેજનું ચલણ વધવાની સાથે થયા છે. જેમાં પરંપરાગત બ્રોકર્સની સરખામણીમાં સસ્તી કિંમતે સેવાઓ આપવામાં આવે છે.
આ પ્રાઇસ કટિંગે અન્ય બ્રોકર્સને પોતાની રણનીતિને બદલવા માટે મજબૂર કર્યા છે જેથી તે સ્પર્ધામાં ટકી શકે.
તો સૌથી પહેલા એ જાણી લઇએ કે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ હોય છે શું?
બજારમાં આજે બે પ્રકારની ઓનલાઇન બ્રોકરેજ ઉપલબ્ધ છે. પહેલી ફુલ સર્વિસ કે ટ્રેડિશનલ બ્રોકર્સ અને બીજા નવા બ્રોકર્સ જેને ડિસ્કાઉન્ટ બ્રોકર્સ પણ કહેવામાં આવે છે. ફુલ સર્વિસ બ્રોકર્સ ઘણાં પ્રકારના રિટેલ અને ઇન્સ્ટીટ્યુશનલ કસ્ટમર્સને અનેક પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે. ICICI Securities, HDFC Securities અને Kotak Securities જેવા ઘણાં મોટા બ્રોકર્સ ફુલ સર્વિસ બ્રોકરેજ ઓનલાઇન પૂરી પાડે છે.
ફુલ સર્વિસ બ્રોકરેજથી તમને રિસર્ચ, રિલેશનશીપ મેનેજરની સેવા અને જરૂરિયાત પડે ત્યારે લોકલ ઓફિસમાં જવાની સુવિધા મળે છે.
બીજી તરફ, ડિસ્કાઉન્ટ બ્રોકર એવો સ્ટોક બ્રોકર હોય છે જે ઓછા કમિશન રેટ પર જ બાય અને સેલના ઓર્ડર એક્ઝિક્યૂટ કરે છે અને આ રીતે તે ઓછા ખર્ચે ઉંચા નફા પર રોકાણની સુવિધા આપે છે.
જો કે તેમાં ઓફર થતા એસેટ ક્લાસની મર્યાદા હોય છે. આ ફક્ત ઇક્વિટી, કરન્સી વગેરેમાં ડીલ કરે છે. આ મોડલમાં ફિઝિકલ બ્રાન્ચ રાખવા કે તેની સાથે જોડાયેલા ખર્ચ કરવાની જરૂરિયાત નથી હોતી.
તેમાં ખર્ચની ઘણી બચત થાય છે અને બ્રોકિંગ ચાર્જમાં ઘટાડાના કારણે આ બચતનો લાભ ગ્રાહકને મળે છે.
ભારતમાં ટ્રેડિશનલ બ્રોકર્સ સામાન્ય રીતે કોઇ ટ્રેડ વેલ્યૂના એક નિશ્ચિત ટકા કમિશન તરીકે લે છે. આ ફી લઘુત્તમ 0.10% થી લઇને 0.75 % સુધી હોઇ શકે છે. પરંતુ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ દરેક ટ્રેડ માટે એક ફ્લેટ ફીસ લે છે. સામાન્ય રીતે આ સોદાદીઠ 10 થી 20 રૂપિયા હોય છે.
ઉદાહરણ તરીકે ભારતની ટોપ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ઝીરોધા ઇક્વિટી ડિલિવરી ટ્રેડ અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે Zero બ્રોકરેજ ચાર્જ કરે છે. ઇન્ટ્રા ડે અને F&O માટે આ પ્રતિ ટ્રેડ ફક્ત 20 રૂપિયા કે 0.03% ચાર્જ કરે છે. એટલે ઝિરોધા માટે તમારે પ્રત્યેક ઓર્ડર પર મહત્તમ બ્રોકરેજ 20 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. પછી તે કોઇપણ આકાર, રકમ કે સેગમેન્ટનો કેમ ન હોય.
આ રીતે અપસ્ટોક્સ કંપની ઇક્વિટી ડિલિવરી માટે બ્રોકરેજ પ્રતિ ઓર્ડર 20 રૂપિયા કે 0.1% વસૂલ કર છે. ઇક્વિટી ઇન્ટ્રા ડે પ્રતિ ઓર્ડર 20 રૂપિયા કે 0.05% લેવામાં આવે છે.
હવે વાત કરીએ કે કેવા પ્રકારના રોકાણકારો માટે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ યોગ્ય છે? ઘણાં પરંપરાગત બ્રોકર્સ આ સેવા માટે ઘણાં વધારે પૈસા લે છે. જેનાથી રોકાણકારોના નફા પર અસર પડે છે અને ઘણીવાર તો તેમને આના કારણે કોઇ ફાયદો પણ નથી થતો.
ડિસ્કાઉન્ટ બ્રોકર્સ સામાન્ય રીતે નવા કે નાના રોકાણકારો માટે યોગ્ય હોય છે. કારણ કે તે ખર્ચને ઘટાડી દે છે. હકીકતમાં ડિસ્કાઉન્ટ બ્રોકર્સના બદલે ઘણાં લોકો પહેલીવાર બજારોમાં ઉતરે છે.
ડિસ્કાઉન્ટ બ્રોકરેજનો ફાયદો એ થાય છે કે રોકાણકાર બ્રોકરની કોઇ દખલ વિના સીધા એક વેબસાઇટ દ્વારા શેરોનું ખરીદ-વેચાણ કરે છે.
જાર્વિસ ઇન્વેસ્ટના ફાઉન્ડર અને CEO સુમિત ચંદા કહે છે કે જો સંપૂર્ણ રીતે ઇન્ટ્રા ડે ટ્રેડર્સની દ્રષ્ટિથી જોવામાં આવે તો આવા રોકાણકાર સામાન્ય રીતે ઘણાં બારીક સ્પ્રેડ પર કામ કરતા હોય છે અને તેમાં એક-એક પૈસાની કિંમત હોય છે. આવા સંજોગોમાં બ્રોકરેજની ભૂમિકા મહત્વની બની જાય છે. ગત વર્ષોમાં આપણે જોયું કે પરંપરાગત બ્રોકર્સ પણ ઘણા પ્રતિસ્પર્ધી થઇ ગયા છે કે પછી તેમણે પોતાની ડિસ્કાઉન્ટ બ્રોકિંગ શાખા ખોલી નાંખી છે.
હવે અસલ સવાલ તરફ આવીએ કે શું ડિસ્કાઉન્ટ બ્રોકર્સનો સહારો લેવો યોગ્ય છે? તો આનો જવાબ છે જો તમે કોઇ અનુભવી રોકાણકાર છો કે એવા નવા રોકાણકાર છો જેમની પાસે પૈસા ઓછા છે કે તમે જાતે રિસર્ચ કરી શકો છો તો તમે ડિસ્કાઉન્ટ બ્રોકરનો સહારો લઇ શકો છો. પરંતુ જો તમે એવા નવા રોકાણકાર છો અને બજારને ટ્રેક કરવા કે તેને સમજવું તમારા માટે સરળ નથી તો તમારા માટે ટ્રેડિશનલ બ્રોકર્સ જ સારા રહેશે. આનું કારણ એ છે કે તેમની પાસે અનુભવી રિસર્ચર્સની ટીમ હોય છે જે તમારા માટે જરૂરી સૂચનાઓ એકઠી કરે છે અને તમને જાણકાર રોકાણકાર બનાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો