MONEY9: સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ અને ફરજિયાત ડીલિસ્ટિંગ વચ્ચે શું ફરક હોય છે…?
જેવી રીતે એક્સચેન્જ પર કંપનીઓનું લિસ્ટિંગ થાય છે, તેવી જ રીતે તેમને ડીલિસ્ટ પણ કરવામાં આવે છે.
ડીલિસ્ટિંગ બે રીતે થાય છે.
કોઈ કંપનીનું વોલન્ટરી ડીલિસ્ટિંગ એટલે કે સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ ત્યારે થાય છે જ્યારે કંપની શેરબજાર પરથી પોતાના શેરના ડીલિસ્ટિંગ માટે જાતે જ ઔપચારિક વિનંતી મોકલે છે. આવું કરવા પાછળ ઘણા બધા કારણ હોઈ શકે છે. કેટલાક મુખ્ય કારણ છે અન્ય કંપની સાથે મર્જર, એક્વિઝિશન, બિઝનેસનું પુનર્ગઠન વગેરે.
ઉદાહરણ તરીકે…, નિરમાએ તેના બિઝનેસના પુનર્ગઠન માટે ડીલિસ્ટિંગ કરાવ્યું હતું.
જો સેબી કોઈ કંપનીને ડીલિસ્ટિંગની ફરજ પાડે તો આ પ્રક્રિયાને કમ્પલ્સરી ડીલિસ્ટિંગ એટલે કે ફરજિયાત ડીલિસ્ટિંગ કહે છે.
મોટા ભાગે તો, સેબી એવી કંપનીઓને જ ડીલિસ્ટિંગનો આદેશ આપે છે, જે લિસ્ટિંગ ગાઈડલાઈનનું પાલન નથી કરતી અથવા એક્સચેન્જના નિયમોનો ભંગ કરે છે.
જોકે, ક્યારેક અન્ય કારણોસર પણ ડીલિસ્ટિંગનો આદેશ આપવામાં આવે છે, જેમ કે, અપૂરતી મૂડી અથવા તો શેરની ઘણી ઓછી કિંમત.