MONEY9: શેર બજારમાં રોકાણ સરળ નથી હોતું, એટલે નવા રોકાણકારોને જાણકારો એવી સલાહ આપે છે કે તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઇએ. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ પણ અનેક પ્રકારના હોય છે. શું એવું કોઇ ફંડ છે જેમાં શેર બજારમાં રોકાણનો ફાયદો મળે, વધારે લાંબા સમય સુધી પૈસા ન લગાવવા હોય અને વધારે જોખમ પણ ન હોય? તો આનો જવાબ છે- ઇક્વિટી સેવિંગ્સ ફંડ.
હવે તમે લાગશે કે આ વળી કયું નવું ફંડ આવી ગયું? તેની શું ખાસિયત છે? તો અમે તમારી આ જિજ્ઞાસાનું અહીં સામાધાન કરીશું. સૌથી પહેલા એ સમજીએ કે ઇક્વિટી સેવિંગ્સ ફંડ શું હોય છે…ઇક્વિટી સેવિંગ્સ ફંડ શેર અને ડેટ સાધનોમાં રોકાણ કરે છે અને આ ઇક્વિટી આર્બિટ્રેજ તકોનો ફાયદો ઉઠાવે છે. આર્બિટ્રેજનો ફાયદો ઉઠાવવાનો અર્થ એ છે કે, ફંડ મેનેજર એક જ શેર કે સિક્યોરિટીને અલગ-અલગ માર્કેટમાં એકસાથે ખરીદે અને વેચે છે. ઉદાહરણ તરીકે તેણે કોઇ શેર 100 રૂપિયામાં કેશ માર્કેટમાં ખરીદ્યો અને ફ્યૂચર માર્કેટમાં તે શેરને 102 રૂપિયામાં વેચી નાંખ્યો. તો આમાં 2 રૂપિયાનો જે ફાયદો થયો તે સ્કીમની એસેટમાં જાય છે.
Sebi એ જે નિયમ બનાવ્યો છે, તે અનુસાર કોઇ ઇક્વિટી સેવિંગ્સ ફંડે પોતાની કુલ એસેટનો ઓછામાં ઓછો 65 ટકા હિસ્સો ઇક્વિટી કે ઇક્વિટી આધારિત સાધનોમાં લગાવવો જોઇએ અને ઓછામાં ઓછો 10 ટકા હિસ્સો ડેટ સાધનોમાં લગાવવો જોઇએ.
આ ફંડ ઇક્વિટી ડેરિવેટિવ્સ સ્ટ્રેટેજી, હેજિંગની તકો, શુદ્ધ ઇક્વિટી રોકાણ, ડેટ અને મની માર્કેટ સાધનોમાં રોકાણનો ફાયદો ઉઠાવે છે. ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ પર ટેક્સ એ જ રીતે લાગે જે રીતે કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં લાગે છે.
આ સ્કીમમાં ઇક્વિટી પાર્ટથી શેર બજારની તેજીનો રોકાણકારને ફાયદો મળે છે. તો ડેટવાળો હિસ્સો બજારમાં ઘટાડાથી થતા નુકસાનની ભરપાઇ કરે છે.
PGIM India Mutual Fund ના CIO શ્રીનિવાસ રાવુરી કહે છે કે ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સનો ઉપયોગ પોતાના પૈસાને કોઇ શોર્ટ કે મીડિયમ ટર્મ માટે લગાવવામાં કરી શકાય છે અને તેમાં તમને ઇક્વિટીના કારણે બજારમાં તેજીનો ફાયદો ઉઠાવવાની તક મળશે. તો ઇક્વિટીના કારણે ટેક્સ પણ ઓછો લાગશે.
હવે ઘણાં લોકો વિચારતા હશે કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ પણ કંઇક આ પ્રકારના જ હોય છે તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ આનાથી કઇ રીતે અલગ છે. તો આને પણ સમજી લઇએ. બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં ઇક્વિટી અને ઇક્વિટી આધારિત સાધનોમાં 40 થી 60 ટકા રોકાણ કરવામાં આવે છે અને બાકી વધેલો હિસ્સો ડેટ સાધનોમાં લગાવાય છે. ઇક્વિટી સેવિંગ્સ ફંડ અને બેલેન્સડ હાઇબ્રિડ ફંડમાં અંતર એ હોય છે કે બેલેન્સડ હાઇબ્રિડ ફંડમાં આર્બિટ્રેજ રણનીતિ અપનાવવાની તક નહીં મળે. એટલે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ કેટેગરી એવા રોકાણકારો માટે યોગ્ય માનવામાં આવે છે જે મધ્યમથી લોંગ ટર્મનું હોરાઇઝન રાખે છે.
ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં રોકાણ કરવું છે કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં. તેનો નિર્ણય રોકાણકાર પોતાની જોખમ લેવાની ક્ષમતા, લક્ષ્ય અને ટાઇમ હોરાઇઝનના આધારે કરી શકે છે.
હવે એ જોઇએ કે આ ફંડ્સમાં રિટર્ન કેવી રીતે મળે છે?
છેલ્લા 3 વર્ષ અને પાંચ વર્ષમાં આ ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સે એવરેજ 10% અને 7%નું રિટર્ન આપ્યું છે. એટલે રિટર્ન FD જેવા પરંપરાગત સાધનોની સરખામણીમાં સારુ છે.
હવે સવાલ ઉભો થાય કે આ ફંડ્સમાં કોણે પૈસા લગાવવા જોઇએ?
તો જાણકાર કહે છે કે જો તમે FD જેવા પરંપરાગત ફિકસ્ડ ઇનકમવાળા રોકાણ સાધનોથી વધુ રિટર્ન અને તે પણ ઓછા જોખમે ઇચ્છો છો તો ઇક્વિટી સેવિંગ્ઝ ફંડ્સમાં પૈસા લગાવી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તમારુ રોકાણ હોરાઇઝન ઓછામાં ઓછું 3 થી 5 વર્ષનું તો હોવું જ જોઇએ અને એ પણ સુનિશ્ચિત કરો કે સ્કીમ અંગે જાણકારી આપતો જે પણ દસ્તાવેજ મળે છે તેને ધ્યાનથી વાંચો, જેથી એ સમજી શકાય કે સ્કીમનું એસેટ એલોકેશન અને રિસ્ક પ્રોફાઇલ તમે જે નક્કી કર્યું છે તે પ્રમાણે હોય.
જાણકારોના જણાવ્યા અનુસાર એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે આ ફંડ ઇક્વિટી રોકાણ એટલે કે શેર બજારમાં રોકાણનો વિકલ્પ ન હોઇ શકે. આ ફંડમાં આદર્શ રીતે જોઇએ તો રોકાણ 3 થી 5 વર્ષ માટે કરવું જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો