Money9: પૈસાનું રોકાણ ક્યાં કરવું તે અંગે મોટાભાગના લોકો મુંઝવણ અનુભવતા હોય છે. નૂતન પણ છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતી. તેને તેની સેલેરીનો એક હિસ્સો ઇન્વેસ્ટ કરવાનો છે. તે શેર બજારમાં પૈસા લગાવવા માંગતી હતી. પરંતુ બજારની હાલત જોઇને તે ડરી ગઇ છે. તેની દોસ્ત પૂજાએ તેને બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં પૈસા લગાવવાનો આઇડિયા આપ્યો. આ ફંડ ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝ બન્નેમાં રોકાણ કરે છે. તેણે આ અંગે રિસર્ચ શરૂ કર્યું કે છેવટે બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે? તો તેને અનેક પ્રકારની જાણકારી મળી.
શું હોય છે હાઇબ્રિડ ફંડ?
બેલેન્સ્ડ ફંડ કે બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યૂચ્યુઅલ ફંડ એક પ્રકારનું હાઇબ્રિડ ફંડ હોય છે. આ એવા ઓપન એન્ડેડે ફંડ હોય છે. જે ઇક્વિટી અને ડેટ બન્ને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પૈસા લગાવે છે. SEBI નું નવુ રેગ્યુલેશન કહે છે કે આ ફંડ્સે પોતાની એસેટ્સના 40 થી 60 ટકા હિસ્સો ઇક્વિટી અને બાકી ડેટ સિક્યોરિટીઝમાં લગાવવા પડશે. આ ફંડ્સનો હેતુ મૂડીને વધારવાનો અને રિસ્કથી બચાવવાનો છે. હવે જાણીએ કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ કેવી રીતે કામ કરે છે.
આ ફંડનો પોર્ટફોલિયો ઘણો ડાયવર્સિફાઇડ હોય છે. ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝ બન્નેમાં પૈસા લાગે છે. ફંડ મેનેજર એક તરફ, ઇક્વિટીમાં રોકાણ કરી ઉંચુ રિટર્ન અપાવવાની કોશિશ કરે છે. બીજી તરફ, ડેટ સાધનોમાં પૈસા લગાવીને મૂડીને સુરક્ષિત રાખવાનો પણ પ્રયાસ કરે છે. કોઇ બેલેન્સ્ડ ફંડનું ઇક્વિટી એલોકેશન મૂડીમાં વધારાનો રસ્તો બનાવે છે. જ્યારે ડેટમાં થયેલી ફાળવણી મૂડીને બચાવીને રાખે છે.
આ રીતે ફંડમાં એક બેલેન્સ કાયમ રહે છે. આ પ્રકારના બેલેન્સ્ડ એલોકેશનથી તમને તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાઇ કરવામાં મદદ મળે છે અને તમારે જાતે અલગ-અલગ એસેટ ક્લાસમાં ફાળવણી નથી કરવી પડતી. છેલ્લા 3 વર્ષમાં આ ફંડ્સે 7.5% રિટર્ન આપ્યું છે.
આ ફંડ્સમાં પૈસા લગાવવા જોઇએ કે નહીં?
એક્સપર્ટ કહે છે કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ એવા રોકાણકારો માટે ઠીક નથી જે ઇક્વિટી એટલે કે શેરોમાં એક્સપોઝર નથી ઇચ્છતા. કારણ કે આવા ફંડ ઇક્વિટી અને ડેટ બન્નેમાં રોકાણ કરે છે. જો કોઇ રોકાણકાર એમ ઇચ્છે કે તેની મૂડી બચે તો તે સંપૂર્ણ રીતે કન્ઝર્વેટિવ ડેટ ફંડમાં રોકાણ કરી શકે છે એટલે એવા ફંડ જેમાં રોકાણનો મોટો હિસ્સો ડેટમાં હોય.
Ladderup Wealth Management (લેડર અપ વેલ્થ મેનજમેન્ટ)ના મેનેજિંગ ડાયરેક્ટર રાઘવેન્દ્ર નાથ કહે છે કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં ઇક્વિટીમાં પણ રોકાણ કરવામાં આવે છે, એટલે જો કોઇ તેમાં રોકાણ કરવા જઇ રહ્યું છે તો તેણે બજારને પણ જોવું પડશે કારણ કે બજારના ઉતાર-ચડાવથી ફંડના ઓવરઑલ રિટર્ન પર અસર પડી શકે છે. ડેટ સાધનો પર રિટર્ન ઓછું મળવા અને એવરેજ ઉંમર વધવાના કારણે બધા રોકાણકારો માટે એ જરૂરી થઇ જાય છે કે પોતાના પોર્ટફોલિયોમાં કેટલોક હિસ્સો ઇક્વિટીમાં ફાળવણી કરે. આ ઉપરાંત, હાલના દિવસોમાં જોવા મળ્યું છે કે ઓછી ઇક્વિટી ફાળવણીએ સારુ રિટર્ન નથી આપ્યું.
NJ ASSET MANAGEMENTના ડાયરેક્ટર અને CEO રાજીવ શાસ્ત્રી કહે છે કે મોટાભાગના રોકાણકારો પોતાની ફાળવણી યોગ્ય રીતે નથી કરી શકતા. પરંતુ, સારી વાત એ છે કે લોકો બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડમાં રોકાણ કરી શકે છે. આવા લોકો માટે આ એક યોગ્ય સોલ્યૂશન છે.
કોના માટે યોગ્ય?
બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકારો માટે સારુ છે જે આવક, નિમ્નથી મધ્યમ જોખમ અને મધ્યમ સંપત્તિ સર્જનની વચ્ચે સંતુલન ઇચ્છે છે. પરંતુ રોકાણકારોએ એ વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે આ ફંડ ઇક્વિટી અને ડેટ, બન્ને પ્રકારના એસેટ ક્લાસમાં રોકાણ કરે છે. તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરો. આ ઉપરાંત તમે એક સારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ અવશ્ય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો