MONEY9: આજે આપણે જાણીશું કે બેલેન્સ્ડ ફંડ શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે. વધતા વ્યાજ દરો અને સપ્ટેમ્બર મહિનામાં શેર બજારમાં આવેલા ઘટાડા બાદ ઘણાં રોકાણકારોને સમજાતુ નથી કે ઇક્વિટી ફંડમાં રોકાણ કરતા રહેવું કે વધતા વ્યાજ દરોનો ફાયદો લેવા માટે ડેટ ફંડમાં રોકાણ કરવું. આવી દુવિધામાં ફસાયેલા તમામ લોકોને એક્સપર્ટ બેલેન્સડ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તમામ રોકાણકારોની જેમ નૂતન પણ આ જ સવાલનો સામનો કરી રહી હતી. આવો નૂતનની કહાનીથી સમજીએ બેલેન્સ્ડ ફંડની આખી સ્ટોરી.
નૂતન છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતી. તેને પોતાની સેલેરીનો એક હિસ્સો ઇન્વેસ્ટ કરવો છે. તે શેર બજારમાં પૈસા લગાવવા માંગતી હતી. પરંતુ બજારની હાલત જોઇને તે ડરી ગઇ છે. તેની દોસ્ત પૂજાએ તેને બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં પૈસા લગાવવાનો આઇડિયા આપ્યો. આ ફંડ ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝ બન્નેમાં રોકાણ કરે છે. તેણે આ અંગે રિસર્ચ શરૂ કર્યું કે છેવટે આ બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે? તો તેને અનેક પ્રકારની જાણકારીઓ મળી.
બેલેન્સ્ડ ફંડ કે બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું હાઇબ્રિડ ફંડ હોય છે. આ એવા ઓપન એન્ડેડ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્ને ઇન્સ્ટ્રુમેન્ટમાં પૈસા લગાવે છે. SEBI નું નવું રેગ્યુલેશન કહે છે કે આ ફંડ્સે તેમની એસેટ્સના 40 થી 60 ટકા હિસ્સો ઇક્વિટી અને બાકીનો ડેટ સિક્યોરિટીઝમાં લગાવવો પડશે. આ ફંડ્સનો હેતુ મૂડીને વધારવા અને રિસ્કથી બચાવવાનો છે.
બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ કેવી રીતે કામ કરે છે.
તો આ ફંડનો પોર્ટફોલિયો ઘણો ડાયવર્સિફાઇડ હોય છે. તે ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝ બન્નેમાં પૈસા લગાવે છે. ફંડ મેનેજર એક તરફ, ઇક્વિટીમાં રોકાણ કરીને ઉંચુ રિટર્ન અપાવવાની કોશિશ કરે છે તો બીજી બાજુ, ડેટ સાધનોમાં પૈસા લગાવીને મૂડીને સુરક્ષિત પણ રાખવાની કોશિશ કરે છે. કોઇ બેલેન્સ્ડ ફંડનું ઇક્વિટી એલોકેશન મૂડીમાં વૃદ્ધિનો રસ્તો બનાવે છે જ્યારે ડેટમાં થયેલી ફાળવણી મૂડીને જાળવી રાખે છે.
આ રીતે ફંડમાં એક બેલેન્સ કાયમ રહે છે. આ પ્રકારના બેલેન્સ એલોકેશનથી તમને તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાઇ કરવામાં મદદ મળે છે. અને તમારે જાતે અલગ-અલગ એસેટ ક્લાસમાં એલોકેશન નથી કરવું પડતું.
શું હાલના બજારમાં આ ફંડ્સમાં પૈસા લગાવવા જોઇએ?
એક્સપર્ટ કહે છે કે જે રોકાણકારો ઇક્વિટી એટલે કે શેરમાં એક્સપોઝર મેળવવા નથી માંગતા તેમના માટે બેલેન્સડ હાઇબ્રિડ ફંડ યોગ્ય નથી કારણ કે આવા ફંડ ઇક્વિટી અને ડેટ બન્નેમાં રોકાણ કરે છે.
જો કોઇ રોકાણકાર ફક્ત એમ ઇચ્છે કે તેની મૂડી જળવાઇ રહે તો સંપૂર્ણ રીતે કન્ઝર્વેટિવ ડેટ ફંડમાં રોકાણ કરી શકે છે એટલે એવા ફંડ જેમાં રોકાણનો મોટો હિસ્સો ડેટમાં હોય.
Ladderup Wealth Management (લેડરઅપ વેલ્થ મેનેજમેન્ટ)ના મેનેજિંગ ડાયરેક્ટર રાઘવેન્દ્ર નાથ કહે છે કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકાય છે, એટલે જો કોઇ તેમાં રોકાણ કરવા જઇ રહ્યું છે તો તેણે બજારને પણ જોવું જોઇએ. કારણ કે બજારના ઉતાર-ચડાવથી ફંડના ઓવરઓલ રિટર્ન પર અસર પડી શકે છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે ડેટ સાધનો પર રિટર્ન ઓછું મળવા અને એવરેજ ઉંમર વધવાથી બધા રોકાણકારો માટે એ જરૂરી થઇ જાય છે કે પોતાના પોર્ટફોલિયોમાંથી થોડાક હિસ્સાની ઇક્વિટીમાં ફાળવણી કરે.
આ ઉપરાંત હાલમાં એ પણ જોવામાં આવ્યું છે કે ઓછી ઇક્વિટી ફાળવણીએ હાલના દિવસોમાં સારુ રિટર્ન નથી આપ્યું. બીજી બાજુ, ઉંચી ઇક્વિટી ફાળવણીથી તગડો ઉતાર-ચડાવ સહન કરવો પડે છે. આ હિસાબે લોકો બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડમાં પૈસા લગાવે છે.
બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકારો માટે સારુ છે જે આવક, નિમ્નથી મધ્યમ જોખમ અને મધ્યમ સંપત્તિ સર્જનની વચ્ચે સંતુલનની અપેક્ષા રાખે છે. પરંતુ રોકાણકારોએ એ વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે આ ફંડ ઇક્વિટી અને ડેટ બન્ને પ્રકારના એસેટ ક્લાસમાં રોકાણ કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો