MONEY9: ELSS હોય છે શું અને તે આટલા લોકપ્રિય કેમ છે. હકીકતમાં લોકોના ફાઇનાન્સિયલ ગોલ, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણની અવધિ અનુસાર ઘણાં પ્રકારના ટેક્સ સેવિંગ સાધન માર્કેટમાં અવાઇલેબલ છે. જેવા કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, ટેક્સ સેવર બેંક FD, ઇક્વિટી લિંકડ સેવિંગ સ્કીમ એટલે કે ELSS વગેરે. ELSSમાં રોકાણ કરવા પર ઇનકમ ટેક્સની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. ELSS પર રિટર્ન શેર બજાર સાથે લિંક્ડ હોય છે એટલે કે આ રિટર્ન ઇક્વિટી માર્કેટના પ્રદર્શન પર આધાર રાખે છે…પરંતુ શેર બજાર સાથે જોડાયેલા હોવાના કારણે તેમાં સારા રિટર્નની સંભાવના રહે છે. એટલે કે ટેક્સમાં બચત અને સુંદર રિટર્ન..એટલે તે રોકાણકારોમાં ઘણાં લોકપ્રિય રહે છે. તેમાં 3 વર્ષનો લોક-ઇન પીરિયડ હોય છે. એટલે 3 વર્ષ પહેલા તમે તમારા પૈસા કાઢી નથી શકતા. પરંતુ જો 80સી હેઠળ બીજા ઓપ્શન જોઇએ તો ELSSનો લોક ઇન પીરિયડ સૌથી ઓછો હોય છે..
વર્ષ 2022માં ELSSએ અંદાજે 2 ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે. ગયા વર્ષે સેન્સેક્સનું એવરેજ રિટર્ન પણ 4 ટકા રહ્યું છે. ઘણાં ફંડ એવા છે જેણે છેલ્લા એક વર્ષમાં 4 થી 7 ટકાનું રિટર્ન આપ્યું છે. ઉદાહરણ તરીકે ક્વાન્ટ ટેક્સ પ્લાન અને HDFC ટેક્સસેવર ફંડે છેલ્લા એક વર્ષમાં 7 ટકાનું રિટર્ન આપ્યું છે.. પરંતુ ઘણાં એવા ફંડ છે જેણે 2થી 4 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. જેવા કે બેંક ઓફ ઇન્ડિયા ટેક્સ એડવાન્ટેજ ફંડ અને કેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર ફંડમાં 4-4 ટકાનું નેગેટિવ રિટર્ન મળ્યું છે. નેગેટિવ રિટર્નનો અર્થ છે કે રોકાણકારોની જમા મૂડીમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તો ELSS ફંડ્સનું રિટર્ન વધુ આકર્ષક નથી રહ્યું, પરંતુ 3 થી 5 વર્ષમાં મોટાભાગના ફંડ્સે 10 ટકાથી વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે. ઘણાં ફંડ્સે તો આ સમયગાળા દરમિયાન 22 થી 37 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે.
હવે આ આખી કહાની પરથી 3 મહત્વના સવાલ ઉભા થાય છે. પહેલો સવાલ એ કે શું ELSS યોગ્ય product છે? પ્રવીણ જેવા લોકો જેમણે ELSSમાં રોકાણ કરી રાખ્યું છે તે શું કરે? ELSS શેર્ટ ટર્મ માટે નહીં પરંતુ લોંગ ટર્મ રોકાણ માટે હોય છે. જાણકારોનું કહેવું છે કે ELSSમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે રોકાણ કરવું જોઇએ..કારણ કે ઇક્વિટીમાં પૈસા બને છે. એટલે તેમાં 3 વર્ષનો લોક-ઇન પીરિયડ પણ હોય છે. લોંગ ટર્મમાં ઘણાં ELSS ફંડ્સે જોરદાર રિટર્ન આપ્યું છે. ક્વાન્ટ ટેક્સ પ્લાનને જ જોઇ લો. છેલ્લા 3 વર્ષમાં આ ફંડે અંદાજે 37 ટકાનું ધમાકેદાર રિટર્ન આપ્યું છે. આ જ રીતે પરાગ પરિખ ટેક્સ સેવર ફંડે 3 વર્ષમાં 22 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 10 વર્ષમાં તો આ કેટેગરીમાં અંદાજે 14 ટકાનું એવરેજ રિટર્ન મળ્યું છે.
ELSSમાં રોકાણ ક્યારે શરુ કરવું જોઇએ?
આમ તો સમીર જેવા નવા રોકાણકાર કોઇપણ સમયે ELSSમાં રોકાણ શરુ કરી શકે છે. પરંતુ તેમણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે હવે ચાલુ નાણાકીય વર્ષમાં તેમણે ટેક્સ બચતનો ફાયદો લેવા માટે લમસમ રોકાણ કરવું પડશે કારણ કે SIP દ્વારા રોકાણ માટે ફક્ત બે-ત્રણ મહિનાનો જ સમય બચ્યો છે..સારુ એ રહેશે કે નાણાકીય વર્ષની શરુઆત એટલે કે એપ્રિલમાં ELSSમાં રોકાણ શરુ કરવામાં આવે. ત્યારે તમને ઘણી સ્કીમ્સને અનેક પ્રકારના ફેક્ટરના આધારે પરખવાની તક મળે છે..
ત્રીજો એક મહત્વનો સવાલ એ પણ છે કે ELSSમાં સારુ રિટર્ન મળે છે, પરંતુ તેની પર ટેક્સ અને મોંઘવારીની અસર કઇ રીતે થાય છે. આ સવાલનો જવાબ એક ઉદાહરણથી સમજીએ..માની લો કે કોઇ વ્યક્તિ A છે….તેણે એક વર્ષમાં દોઢ લાખ રૂપિયાનું ELSSમાં રોકાણ કર્યું છે. જો Aને આ ફંડમાં અંદાજે 22 ટકાનું વાર્ષિક રિટર્ન મળ્યું છે તો 3 વર્ષ બાદ તેનું આ રોકાણ વધીને 2,72,377 રૂપિયા થઇ જશે. એટલે કે A ને 1,22,377 રૂપિયાનો કુલ કેપિટલ ગેઇન થશે. પરંતુ એક લાખ રૂપિયાનું લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક્ઝેમ્પ્શન મળી જશે અને બાકી બચેલી 22,377 રૂપિયાની રકમ પર 10 ટકાનો કેપિટલ ગેઇન ટેક્સ 4 ટકા સરચાર્જની સાથે લાગશે. આ રકમ 2327 રૂપિયા થાય છે. એટલે કે ટેક્સ બાદ તેમની રોકાણ રકમ 2,70,050 રૂપિયા થઇ જશે. જે અંદાજે 22 ટકા થાય છે. આ સમયગાળા દરમિયાન જો મોંઘવારી એવરેજ 6 ટકા રહે છે તો મોંઘવારીની અસર બાદ રિટર્ન 16 ટકાની આસપાસ રહેશે.
તો કુલ મળીને આપણે એમ કહી શકીએ કે ELSS ટેક્સ બચત માટે રોકાણનો એક સારો વિકલ્પ છે, પરંતુ તેમાં લોંગ ટર્મ માટે રોકાણ જાળવી રાખવું જોઇએ..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો