Money9: જયપુરની રચના જોહરી સ્મોલકેપ અને મિડકેપ કંપનીઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે… કારણ સ્પષ્ટ છે… જ્યારે બજાર દોડે છે ત્યારે અહીં વધુ તેજી જોવા મળે છે… તે તેના જોખમને પણ સમજે છે. અને તેને સીમિત કરવા માટે સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરે છે. તાજેતરમાં આવેલા એક સમાચારથી રચના ખૂબ જ એક્સાઇટેડ છે. ગયા મહિને મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ મોતીલાલ ઓસવાલ નિફ્ટી માઇક્રોકેપ 250 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. રચના અત્યાર સુધી સ્મોલ કેપ ફંડ્સથી જ ખૂબ ખુશ હતી. હવે તો માઈક્રોકેપ ફંડ્સ પણ આવી ગયા છે. તેને લાગે છે કે આ ફંડ્સ માર્કેટના ચિત્તા બની શકે છે… પણ શું રચનાનો આ ભરોસો સાચો છે? શું રચના અથવા તમારા જેવા કોઈ રોકાણકારે માઇક્રોકેપ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ?
તો ચાલો પહેલા મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી માઇક્રોકેપ 250 ઇન્ડેક્સ ફંડની વિશેષતાઓ જાણી લઇએ.
આ દેશનું પહેલું અને હાલમાં એકમાત્ર એવું પેસિવ ફંડ છે જે માઇક્રોકેપ શેરોમાં રોકાણનો ફાયદો અપાવે છે…પેસિવ ફંડ શેરબજારના કોઇ ઇન્ડેક્સના પડછાયા જેવા હોય છે. પેસિવ ફંડનો મુખ્ય ઉદ્દેશ તેના બેન્ચમાર્ક ઇન્ડેક્સ જેટલું જ રિટર્ન આપવાનો હોય છે..તે એક્ટિવ ફંડ ઇન્ડેક્સના રિટર્નને પછાડવાનો પ્રયાસ કરે છે. મોતીલાલ ઓસવાલ નિફ્ટી માઇક્રોકેપ 250 ઇન્ડેક્સ ફંડ છે જે Nifty MicroCap 250 Indexની કોપી કરે છે. NSEની વ્યાખ્યા અનુસાર માઈક્રોકેપ સ્ટોક્સ નિફ્ટી 500 શેરો બાદ એટલે કે તેની નીચેના ટોપ 250 શેરો હોય છે. એવરેજ કુલ માર્કેટ કેપના આધારે આ શેરોને 501 થી 750 સુધીના રેન્ક પર રાખવામાં આવે છે.
હાલના સમયમાં, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ એસેટ અંડર મેનેજમેન્ટનો માત્ર 4 ટકા હિસ્સો જ માઇક્રોકેપ શેરોમાં લગાવવામાં આવે છે. જ્યારે 55 ટકા લાર્જકેપ શેરોમાં, 23 ટકા મિડકેપ્સમાં અને 15 ટકા સ્મોલકેપમાં રોકાણ કરવામાં આવે છે. લાર્જકેપ કંપનીઓની તુલનામાં માઇક્રોકેપ શેરોમાં વારંવાર અને વધુ ઉતાર-ચડાવ થાય છે. આ તે શેરોમાં વધુ લિક્વિડિટી, એટલે કે ખરીદ-વેચાણ કે ફંડિંગની સમસ્યાના કારણે થાય છે. જેની અસર રોકાણકારોના રિટર્ન પર પણ પડે છે. ઓછી લિક્વિડિટી એનાલિસ્ટનું સીમિત કવરેજ અને બજારમાં નરમાશ આ પ્રકારના ફંડ માટે ઘણાં નેગેટિવ ફેક્ટર સાબિત થઇ શકે છે. માઇક્રોકેપ કંપનીઓમાં રોકાણ કરવા માટે ફંડ મેનેજર્સે પણ ઉંડાણપૂર્વકનું રિસર્ચ અને રિસ્ક મેનેજમેન્ટની જરૂર પડે છે.
માઇક્રોકેપ કંપનીઓનું માર્કેટ કેપ 10 હજાર કરોડ રૂપિયાથી ઓછું હોય છે. નિફ્ટી Microcap 250 ઇન્ડેક્સમાં જો રિટર્નની વાત કરીએ તો 20 જુલાઇ 2023 સુધીના ડેટા અનુસાર તેણે એક વર્ષમાં 41 ટકા, 3 વર્ષમાં 20 ટકા અને પાંચ વર્ષમાં 12 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે આવા ફંડ્સ પાસેથી ચિત્તા જેવી સ્પીડની આશા રાખી શકાય છે.
મોતીલાલ ઓસવાલ નિફ્ટી માઇક્રોકેપ 250 ઇંડેક્સ ફંડના ડાયરેક્ટ પ્લાન માટે ટોટલ એક્સપેન્સ રેશિયો 0.40% વાર્ષિક છે. આ જ રીતે રેગ્યુલર પ્લાન માટે તેનો એક્સપેન્સ રેશિયો વાર્ષિક 1 ટકા છે. એટલે કે એક્સપેન્સ રેશિયો ઓછો છે. આ ઉપરાંત, જો તમે 15 દિવસની અંદર યૂનિટ રીડિમ કરી દીધા તો એક ટકાનો એગ્ઝિટ લોડ આપવો પડશે. સાથે જ આ ફંડ પર ટેક્સ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જેમ જ લાગે છે.
SEBI કે AMFIએ માઇક્રોકેપ ફંડ માટે હજુ કઇ અલગ ઇક્વિટી કેટેગરી નથી બનાવી. એક્સપર્ટ આ ફંડ્સમાં એવા જ રોકાણકારોને રોકાણ કરવાની સલાહ આપે છે જે ઉંચા જોખમ અને આ પ્રકારના ફંડમાં થતા ભારે ઉતાર-ચડાવનો મુકાબલો કરી શકે. Moneyfrontના Co-Founder અને CEO મોહિત ગંગ કહે છે કે આ શેરોમાં લિક્વિડિટી ઘણી સીમિત હોય છે. અને તેમાં ભારે ઉતાર-ચડાવ થાય છે. એટલે આવા પેસિવ ફંડમાં માત્ર એવા અનુભવી રોકાણકારોએ રોકાણ કરવું જોઇએ જે કિંમતોમાં ઝડપી ફેરફારને સહન કરી શકે. અને 10 વર્ષથી પણ લાંબા રોકાણનું હોરાઇઝન રાખતા હોય. સાથે જ કોઇના એગ્રેસિવ ઇક્વિટી પોર્ટફોલિયોમાં તેને હિસ્સો 5 થી 10 ટકાથી વધુ ન હોવો જોઇએ. તો પણ જો તમે આ પ્રકારના ફંડમાં રોકાણનું મન બનાવી રહ્યા છો તો હજુ તેના પ્રદર્શનની રાહ જુઓ. આ કોન્સેપ્ટ હજુ પ્રાથમિક તબક્કામાં છે. એકવાર તેની રિટર્ન પેટર્ન જોઇને જ તમારે તેમાં રોકાણનો વિચાર કરવો જોઇએ.
ધ્યાન રાખો કે પોતાના કુલ પોર્ટફોલિયોનો ફક્ત એક નાનકડો હિસ્સો જ આવા ફંડમાં લગાવો. જો તમને તમારી જોખમ લેવાની ક્ષમતા કે રિટર્નની જરૂરિયાત વિશે ખબર ન પડતી હોય તો કોઇ ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ જરૂર લો. આ રેસમાં ઘણાં નવા ફંડ પણ આવે અને સેબી માઇક્રોકેપ ફંડ્સ માટે એક ઓફિશિયલ કેટેગરી તૈયાર કરે તેની પણ રાહ જુઓ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો