MONEY9: ભારતીય શેર બજારમાં મજબૂતી છતાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનો ઇનફ્લો છેલ્લા 10 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઇક્વિટી અને ઇક્વિટી લિંક્ડ સ્કીમ્સમાં શુદ્ધ રોકાણ ઓગસ્ટમાં ફક્ત 6,119.58 કરોડ રૂપિયા રહ્યું જે એક મહિના પહેલાની સરખામણીએ અંદાજે 31 ટકા ઓછું છે. આ રીતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના ઇનફલોમાં સતત 3 મહિનાથી ઘટાડો જોવા મળ્યો છે.
હવે સવાલ એ ઉભો થાય કે જ્યારે ગ્લોબલ માર્કેટમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી છે છતાં ભારતીય બજાર મહદઅંશે સ્થિર જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનો ઇનફ્લો દર મહિને ઘટી કેમ રહ્યો છે?
તો વાર્તાની શરૂઆત થાય છે મે મહિનાથી. જ્યારે ચારેબાજુ મંદીનો ડર હાવી થઇ ગયો હતો. ત્યારે માર્કેટ ઘણી ઉંચાઇએ અને ઑલ ટાઇમ હાઇ પર હતું.
મંદીની આશંકાના કારણે ગ્લોબલ માર્કેટમાં ઘટાડો આવ્યો અને તેના પગલે પગલે ભારતીય શેરબજારો પણ તૂટ્યાં. જેના કારણે ઇક્વિટી ફંડ્સનું નેટ કલેક્શન ઘટ્યું. ત્યારબાદ ભારતીય અર્થવ્યવસ્થાના મેક્રો ડેટાથી એ સંકેત મળ્યો કે ભારતમાં બધુ જ ઠીક છે અને વૈશ્વિક મંદીની કોઇપણ પ્રકારની થપાટ વચ્ચે ભારત મજબૂતીથી ટકી શકે છે.
સેમ્કો ગ્રુપમાં રેંક મ્યુચ્યુઅલ ફંડના હેડ ઓમકારેશ્વર સિંઘ કહે છે કે આ લેવલે હવે થોડુક પ્રોફિટ બુકિંગ દેખાઇ રહ્યું છે અને કેટલાક રોકાણકાર વધતા વ્યાજ દરોના કારણે ડેટ ફંડ્સ બાજુ વળી ગયા છે. આ રીતે ઘણાં કારણોથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણમાં ઘટાડો આવ્યો છે.
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે હાલ રોકાણકારોએ સતર્ક રહેવું જોઇએ, કારણ કે પૈસો હવે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી નીકળીને ડેટ ફંડ્સ બાજુ જઇ રહ્યો છે. વ્યાજ દરો વધવાના કારણે આ એક અસ્થાયી ટ્રેન્ડ છે.
ઓગસ્ટ મહિનામાં ડેટ ઓરિએન્ટેડ ફંડમાં ઘણો શાનદાર 49,164 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો રહ્યો. આ અગાઉ જુલાઇ મહિનામાં ફક્ત 4,930 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો થયો હતો.
મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના રિસર્ચ અને સીનિયર એનાલિસ્ટ કવિતા કૃષ્ણન કહે છે કે રોકાણકાર પોતાના પૈસા ઘણાં કારણોને લીધે લોંગ ટર્મના બદલે શોર્ટ ટર્મ ડેટ સાધનોમાં લગાવી રહ્યાં છે. પરિણામે વ્યાજ દરો ઉપર તરફ જઇ રહ્યાં છે. રોકાણકાર એ વાતને પ્રાથમિકતા આપી રહ્યા છે કે પોતાના પૈસા શોર્ટ ટર્મના સાધનોમાં લગાવો. એવું માનવામાં આવી રહ્યું છે કે આનાથી ફિકસ્ડ ડિપોઝિટ જેવા અન્ય પરંપરાગત રોકાણ સાધનોની સરખામણીમાં ઉંચુ રિટર્ન મળી શકે છે.
હવે જોઇએ મ્યુચ્યુઅલ ફંડ્સના ઇનફ્લોમાં SIPનું યોગદાન કેટલું છે. તો ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડ્સના ઇનફ્લોમાં SIPનું યોગદાન 12,693.45 કરોડ રૂપિયાનું રહ્યું. ઓગસ્ટમાં SIP એકાઉન્ટ્સની સંખ્યા ઑલ ટાઇમ હાઇ લેવલ 5.71 કરોડ સુધી પહોંચી ગઇ હતી.
હવે સવાલ એ ઉભો થાય કે રોકાણકારોએ આ બધા બેકગ્રાઉન્ડને જોતા શું રણનીતિ અપનાવવી જોઇએ? તો સેમ્કો ગ્રુપમાં રેન્ક મ્યુચ્યુઅલ ફંડના હેડ ઓમકારેશ્વર સિંઘ કહે છે કે લમસમ રોકાણના બદલે SIP અને STP દ્વારા રોકાણ કરવું જોઇએ.
હવે તમારા મનમાં એ પણ સવાલ આવે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના ઇનફ્લોમાં ઘટાડાનો આ ટ્રેન્ડ ક્યાં સુધી ચાલુ રહેશે? તો આનો જવાબ એ છે કે તે બજારના લેવલ પર આધાર રાખે છે. જો બજારમાં વધારો ચાલુ રહે અને પાછલા ઉંચા સ્તરેથી બજારમાં બ્રેકઆઉટ બને છે તો રોકાણકાર માર્કેટમાં પાછા ફરશે અને ફંડ્સમાં ઇનફ્લો વધશે. હાલના સ્તરે તો વ્યાજ દરોના વધવાના સિનારિયોમાં રોકાણકાર સચેત રહેશે અને નેટ ઇનફ્લો મંદ જ રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો