Money9: શું તમે ઇચ્છો કે તમારુ મ્યુચ્યુઅલ ફંડ પસંદગીની કંપનીઓમા જ પૈસા રોકે? જો તમારો જવાબ હાં છે તો તમે ફોકસ્ડ ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકો છો. રોકાણની આ રીતથી તમે તમારા પોર્ટફોલિયોમાં શેરની સંખ્યાને 20થી 30 શેર સુધી સીમિત રાખી શકો છો. આ પ્રકારનું રોકાણ એવા રોકાણકારો માટે સારો વિકલ્પ હોઇ શકે છે જેઓ ઇચ્છે છે કે તેમનું રોકાણ કોઇ એક મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ સુધી મર્યાદિત રહે અને આ રોકાણનું ફોકસ કેટલાક શેર સુધી જ મર્યાદિત રહે.
ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે?
હવે એ સમજીએ કે ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે? અને આ કેવા પ્રકારના રોકાણકારો માટે યોગ્ય હોય છે? Sebiના જણાવ્યા અનુસાર કોઇ ફોકસ્ડ ફંડ અલગ-અલગ માર્કેટ કેપના મહત્તમ 30 શેરમાં રોકાણ કરી શકે છે. જો કે તે કોઇ એક ખાસ માર્કેટ કેપ સેગમેન્ટ પર ફોકસ કરવા માટે સ્વતંત્ર હોય છે. બીજી બાજુ, લાર્જ કેપ ફંડ પોતાની એસેટનો ઓછામાં ઓછા 80 ટકા હિસ્સો લાર્જ કેપ કંપનીઓના કોઇ ઇક્વિટી કે ઇક્વિટી આધારીત સાધનમાં લગાવે છે. તેમના પર કોઇપણ પ્રકારનો પ્રતિબંધ નથી હોતો અને તે ઇચ્છે તેટલા શેર ખરીદી શકે છે. આપણે જાણીએ છીએ કે એક સામાન્ય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ 100 કે તેથી વધારે શેરમાં રોકાણ કરે છે.
ફોકસ્ડ કેટેગરીના શેર
આ પ્રકારના ફંડમાં શેરની સંખ્યા સીમિત કરવામાં આવી છે. એટલે ફંડ મેનેજર એવા શેરમાં જ પૈસા લગાવે છે જેના સારા પ્રદર્શનનો તેને પૂરો વિશ્વાસ હોય.
PGIM ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના CIO શ્રીનિવાસ રાવ રાવુરી કહે છે કે ફોકસ્ડ ફંડ્સમાં પણ લાર્જ કેપ તરફ ઝુકાવ હોઇ શકે છે. એટલે રોકાણકારોએ તે જોવું જોઇએ કે ફંડની રોકાણ સ્ટાઇલ શું છે અથવા તો, તેના પોર્ટફોલિયોમાં કયા શેર છે જેથી એ ખબર પડી શકે કે ફંડ કેવા પ્રકારના માર્કેટ કેપ તરફ ઝોક ધરાવે છે? કે તેની રણનીતિ શું છે? ફોકસ્ડ ફંડ એવા આક્રમક રોકાણકારો માટે હોય છે જેની જોખમ લેવાની ક્ષમતા થોડી વધારે હોય છે. હવે એ જોઇએ કે આ ફંડ કેવા પ્રકારનું રિટર્ન આપે છે. તો છેલ્લા ત્રણ વર્ષ અને પાંચ વર્ષમાં ફોકસ્ડ મ્યૂચ્યુઅલ ફંડે એવરેજ 20% અને 11%નું રિટર્ન આપ્યું છે.
શું આ પ્રકારના ફંડમાં રોકાણ કરવું જોઇએ?
તો વાત એમ છે કે, આ ફંડ્સમાં રાકાણ કરતાં પહેલાં તમારે અનેક પ્રકારના ફેક્ટરનું ધ્યાન રાખવું પડશે. સીમિત અને સારા શેરોની પસંદગી કરવાથી એવું થઇ શકે છે કે, કોઇ ફોકસ્ડ ફંડ તમને ઉંચુ રિટર્ન આપી દે, પરંતુ રોકાણ કરતા પહેલાં તમારે ઉંડાણથી રિચર્સ કરવું પડશે. આ પ્રકારના સાધનમાં રોકાણ કરવામાં અનેક પ્રકારના જોખમ પણ છે. માટે તમારે કોઇ અંતિમ નિર્ણય લેતા પહેલાં બધા પ્રકારની શક્યતાઓ પર વિચાર કરી લેવો જોઇએ.
તો કુલ મળીને ફોકસ્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘણાં ઉતાર-ચડાવ થાય છે. એટલે જો રોકાણકાર સુરક્ષિત રોકાણ ઇચ્છે તો તેણે કોઇ બીજા મ્યુચ્યુઅલ ફંડ વિકલ્પ અંગે વિચારવું જોઇએ.
ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ અનુભવી રોકાણકારો માટે બન્યા છે. નવા રોકાણકાર આનાથી દૂર રહે તો સારુ છે. સામાન્ય રીતે અનુભવી રોકાણકાર ઉંચુ જોખમ સહન કરવા માટે તૈયાર રહે છે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે આ પ્રકારના સાધનમાં રોકાણ કરવાથી ફક્ત પાંચથી સાત વર્ષમાં જ સારુ પરિણામ મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો