MONEY9 GUJARATI: એપ્રિલ મહીનામાં વિદેશી રોકાણકારો પાછા ફરતા શેરબજાર અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોને ચાંદી થઈ ગઈ છે. પહેલા સ્થાનિક રોકાણકારોના રડાર પર રહેલા બેંકિંગ શેર હવે વિદેશી રોકાણકારોનું પણ પસંદગીનું સેક્ટર બની ગયું છે. જેના કારણે બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરનારા સેક્ટોરલ ફંડમાં પણ સારું રિટર્ન જોવા મળી રહ્યું છે. વેલ્યૂ રિસર્ચ પ્રમાણે સેક્ટોરલ બેન્કિંગ ફંડમાં 1, 3, અને 5 વર્ષમાં અનુક્રમે 26%, 30% અને 9% નું વાર્ષિક રિટર્ન જોવા મળી રહ્યું છે.
સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડમાં મળનારા રિટર્નને જોતા તમામ રોકાણકારો આ તરફના ફંડમાં આકર્ષાઈ રહ્યા છે. તો સૌથી પહેલા સમજીએ કે સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડ હોય છે શું. સેક્ટોરલ બેંક મ્યુચ્યુઅલ ફંડ એવા ફંડ હોય છે જે ખાસ કરીને ભારતીય બેંકોમાં રોકાણ કરે છે. જો બેંકિંગ સેક્ટર સારું પ્રદર્શન આપે છે તો આ ફંડ્સ પણ સારું રિટર્ન આપે છે. અને ઘણી વાર બેંચમાર્ક ઈન્ડેક્સને આઉટપર્ફોમ પણ કરે છે.
હવે સમજીએ કે કેવી રીતે આ પ્રકારના ફંડ્સમાં ટેક્સ લાગે છે? કેમ કે આ પ્રકારના ફંડ્સ ઈક્વિટી ફંડની કેટેગરીમાં આવે છે તો તેના પર ટેક્સ પણ ઈક્વિટી ફંડની જેમ જ લાગે છે. જો તમે ફંડમાં 1 વર્ષની અંદર રિડીમ કરો છો તો શૉર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ આપવો પડશે. અહીં તમારે નફા પર 15 % ઈનકમટેક્સ આપવો પડશે. જો ફંડને 1 વર્ષ પછી રિડીમ કરવામાં આવે છે તો લૉન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સના આધાર પર નફા પર 20 % ટેક્સ આપવો પડશે.
હવે સવાલ એ છે કે સેક્ટોરલ બેંકિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં શું રિસ્ક છે. અને કયા પ્રકારના રોકાણકારોએ તેમાં રોકાણ કરવું જોઈએ. કેમ કે આ પ્રકારના ફંડ એક જ ઈન્ડસ્ટ્રી પર ફોકસ કરે છે માટે આ સેક્ટર સાથે જોડાયેલા તમામ જોખમ આમાં રોકાણ સાથે જોડાયેલા હોય છે. સેક્ટોરલ બેંક ફંડ તે રોકાણકારો માટે યોગ્ય છે જેઓ બેંકિંગ શેર્સમાં સારું પ્રદર્શન કરનારા લાબાંગાળાના જોખમ સાથે સામાન્ય કરતા વધુ રિટર્ન ઈચ્છે છે. આ ફંડમાં રોકાણથી સારું રિટર્ન આપનાર બેંકિંગ શેર્સમાં રોકાણ કરવાની તક મળે છે.
જો રિટર્નની વાત કરીએ તો 1 વર્ષમાં LIC, TATA, Nippon India, ICICI Prudential, IDBI, UTI જેવા મ્યુચ્યુઅલ ફંડએ 20થી લઈ 28 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે અને 3 વર્ષમાં 24થી લઈ 36 ટકા સુધી રિટર્ન જોવા મળ્યું છે.
ઈન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈનનું કહેવું છે કે સેક્ટોરલ ફંડમાં રોકાણ ઘણું મુશ્કેલ છે કેમ કે તેમાં મોટાભાગે ઉતાર-ચડાવ અને જોખમ જોવા મળે છે. હાલમાં જ સારું રિટર્ન રોકાણકારોને આકર્ષિ શકે છે પરંતુ રોકાણકારોએ પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી રોકાણ કરવું જોઈએ નહીં તો નુકસાન થઈ શકે છે.
હવે સમજીએ કે બેંકિંગ સેક્ટરનો આઉટલુક કેવો જોવા મળે છે. તો શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે પહેલાની સરખામણીએ ભારતીય બેંકોની સ્થિતિ ઘણી સારી છે. અને વૈશ્વિક બેંકિંગ સંકટની ભારતીય બેંકો પર કોઈ વધારે અસર નથી પડી. LKP Securitiesના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં પણ બેંકિંગ સેક્ટરની સ્થિતિ મજબૂત રહેશે જેનાથી રિટર્ન ઑન અસેટમાં સ્થિર વૃદ્ધિ જોવા મળશે.
એકંદરે ભલે શેરબજારના જાણકારો આવનારા વર્ષોમાં બેંકિગ સેક્ટરને લઈને સકારાત્મક હોય પરંતુ મની9ની સલાહ એ છે કે સેક્ટોરલ બેંક ફંડમાં તે જ રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ જેમનામાં વધુ જોખમ લેવાની ક્ષમતા હોય. અને કોઈ પણ રોકાણ કરતા પહેલા પોતાના ફાઈનાન્સિયલ એડવાઈઝરની મદદ જરૂર લેવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો