Money9: મ્યુચ્યુઅલ ફંડ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ લોન માટે પણ યોગ્ય છે. તમે પણ અચાનક ઉભી થયેલી જરૂરિયાતને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પૂરી કરી શકો છો. પૈસાની એવી જરૂરિયાત જે પર્સનલ લોનથી પૂરી થઇ શકે તેમ નથી તો તમે મ્યુચ્યુઅલ ફંડ લોનથી તેને પૂરી કરી શકો છો. પર્સનલ લોન અનસિક્યોર લોન હોય છે જેમાં તમે કોઇ સિક્યોરિટી નથી આપતા. ઘર કે કાર માટેની લોન સિક્યોર ગણાય છે કારણ કે તેને તમે ઘર કે કારને ગિરવે મૂકીને લેતા હોવ છો. પરંતુ જ્યારે તમે કોઇ એસેટ નથી ખરીદતા પરંતુ કોઇ કામ માટે તમારે પૈસાની જરૂર છે જેમ કે પુત્રીના એડમિશન માટે પૈસા જોઇતા હતા, તો મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલું રોકાણ ગેરંટી કે કોલેટરલનું કામ કરે છે. એટલે કે તે એક પ્રકારની સિક્યોર લોન થઇ જશે.
સિક્યોર્ડ લોન
મ્યુચ્યુઅલ ફંડ માટે લોન પર વ્યાજનું ગણિત સમજો. મ્યુચ્યુઅલ ફંડ પર લેવામાં આવેલી લોન સિક્યોર્ડ લોન થઇ જશે. જેના કારણે તે પર્સનલ લોનની તુલનામાં સસ્તી પડે છે. બેંક અને નાણાકીય સંસ્થાઓ મ્યુચ્યુઅલ ફંડની લોન પર વાર્ષિક 9 થી 13 ટકા સુધીનું વ્યાજ વસૂલી રહી છે. જો વિકાસ ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લે છે તો તેને વાર્ષિક 14થી 36 ટકા સુધીનું વ્યાજ ચુકવવું પડી શકે છે. રાહતની વાત એ છે કે, પૈસાની વ્યવસ્થા થશે તો વિકાસ પોતાની લોન કોઇપણ સમયે ચૂકવી શકે છે. મોટાભાગની બેંક અને ફાઇનાન્સ કંપનીઓ આ પ્રકારની લોન પર પ્રિપેમેન્ટ કે ફોરક્લોઝર પર કોઇ ચાર્જ નથી વસૂલતી. મોટાભાગની સંસ્થાઓ ઇક્વિટી ફંડમાં રોકાણના 50 ટકા અને ડેટ ફંડમાં રોકાણ કર્યું હોય તો 80 ટકા સુધીની લોન આપે છે.
ઓનરશીપ તમારી પાસે જ રહેશે
આ લોનની ખાસ વાત એ છે કે લોન લીધા પછી પણ મ્યુચ્યુઅલ ફંડ્સની ઓનરશીપ તમારી પાસે જ રહેશે. આ રોકાણ પર તમને અગાઉની જેમ રિટર્ન પણ મળતું રહેશે. જો કોઇ સ્કીમમાં ડિવિડન્ડ મળી રહ્યું છે તો યૂનિટને ગિરવે રાખવા છતાં આ લાભ પર કોઇ અસર નહીં પડે. તમને આવક પણ પહેલાની જેમ જ થતી રહેશે. જો કે તમે જ્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડ પર લીધેલી લોન ભરપાઇ નહીં કરો ત્યાં સુધી તમે મ્યુચ્યુઅલ ફંડને રીડિમ નહીં કરી શકો.
ગિરવે રાખવામાં આવેલી સિક્યોરિટીને બેંક લીન એટલે બ્લોક કરી દેતી હોય છે. જ્યારે તમે લોનની પૂરી ચુકવણી કરશો ત્યારે જ આ સિક્યોરિટીને મેચ્યોર કરાવી શકશો. સામાન્ય રીતે આ પ્રકારની લોન એક વર્ષના સમયગાળા માટે હોય છે. બેંક ODની રકમથી પણ વ્યાજ વસૂલી શકે છે કે પછી તમે દર મહિને પણ વ્યાજ ચૂકવી શકો છો. જો વિકાસ ફક્ત 80 હજાર રૂપિયાની જ લોન લે છે તો તેણે સમયાંતરે વ્યાજ ચૂકવતા રહેવું પડશે.
ક્યારે આ વિકલ્પ પસંદ કરશો
મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેતા પહેલા જાણી લો કે આ વિકલ્પ ત્યારે જ પસંદ કરો જ્યારે તમારી પાસે બીજો કોઇ રસ્તો ન બચ્યો હોય. આ લોન કોઇ ખાસ ઉદ્દેશ માટે નહીં પરંતુ વ્યક્તિગત જરૂરિયાતોને પૂરી કરવા માટે હોય છે. આ પ્રકારની લોનમાં ODની રકમ તમારી જરૂરિયાત અનુસાર જ પસંદ કરવી જોઇએ. તમારી યોગ્યતા વધારે છે એટલે મોટી રકમની OD બનાવવી યોગ્ય નિર્ણય ન ગણી શકાય કારણ કે પછી ભવિષ્યમાં તમારે જ તેને ચૂકવવાની હોય છે. સાથે જ ખર્ચાઓનું પણ ધ્યાન રાખવું પડશે. ODની રકમના હિસાબે જ બેંક પ્રોસેસિંગ ફી વસૂલે છે જે ODની કુલ રકમના 1 ટકા સુધી હોઇ શકે છે. એક વર્ષ પછી જ્યારે ODને રિન્યૂ કરાવવાનો સમય આવે છે ત્યારે બેંક ફરીથી આ ચાર્જ વસૂલે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો