Money9: એક્ટિવ ફંડમાં કોઇ સ્કીમના પૈસા ફંડ મેનેજર દ્વારા મેનેજ કરવામાં આવે છે. એટલે રોકાણકારોના પૈસા ક્યાં લગાવવા અને ક્યાં નહીં તેનો આધાર ફંડ મેનેજરના વિવેક એટલે કે તેની સ્ટ્રેટેજી પર રહે છે. બીજીતરફ પેસિવ ફંડ કોઇ એક ઇન્ડેક્સને ફોલો કરે છે. અહીં સ્કીમના પૈસા એવા જ શેરોમાં લગાવવામાં આવે છે જે ઇન્ડેક્સમાં સામેલ હોય છે. આ શેરોમાં રોકાણ પણ એટલું જ કરવામાં આવે છે જેટલું તેનું ઇન્ટેક્સમાં વેઇટેજ હોય. જેમ કે નિફ્ટી ઇન્ડેક્સ ફંડ સ્કીમના પૈસા નિફ્ટીની 50 કંપનીઓમાં લગાવવામાં આવશે.
એક્ટિવ અને પેસિવ ફંડમાં કેટલાક બીજા તફાવત પણ જોવા મળે છે. જેમ કે એક્ટિવ ફંડમાં મેનેજરની કોશિશ બેન્ચમાર્ક ઇન્ડેક્સના રિટર્નને પછાડવાની એટલે કે તેનાથી વધુ સારુ રિટર્ન અપાવવાની હોય છે. જ્યારે પેસિવ ફંડનું રિટર્ન બેન્ચમાર્ક ઇન્ડેક્સથી ઓછું કે તેની આસપાસ જ રહેતું હોય છે. આ જ રીતે પેસિવ ફંડનો ખર્ચ સામાન્ય રીતે એક્ટિવ ફંડથી ઓછો હોય છે. સાથે જ પેસિવ ફંડમાં સ્કીમની બહાર નીકળવા પર કોઇ ખર્ચ એટલે કે એક્ઝિટ લોડ નથી લેવામાં આવતો..
હવે તમને એક્ટિવ અને પેસિવ ફંડ વચ્ચેનો તફાવત ખબર પડી ગયો હશે. હવે આગળ વધીએ..અને સમજીએ કે રિટર્નની બાબતમાં કોણ કોનાથી ચડિયાતું છે. મ્યુચ્યુઅલ ફંડ એક લાંબાગાળાનું રોકાણ હોય છે. તેથી ઓછામાં ઓછું 3 કે 5 વર્ષના ટાઇમ ફ્રેમમાં આ રિટર્ન જોવું યોગ્ય ગણાશે. ટોપ ETF, પેસિવ ફંડના રિટર્નની ઇક્વિટી ફંડ સાથે તુલના કરીએ તો 3 વર્ષમાં ઇક્વિટી ફંડનું પલડું ભારે દેખાય છે. જ્યારે પાંચ વર્ષમાં મોટાભાગની સ્કીમના રિટર્ન ઓછાવતા અંશે સમાન જ જોવા મળ્યા છે. બન્ને પ્રકારના ફંડમાં 11થી 12 ટકાના રિટર્નને એવરેજ માનવામાં આવે છે. રિટર્નના મામલે કેટલીક સ્કીમ સારી કે ખરાબ હોઇ શકે છે.
કોવિડ મહામારી દરમિયાન ઇન્ડેક્સ ફંડ, ETF જેવા પેસિવ ફંડ રોકાણના લોકપ્રિય વિકલ્પ બનીને બહાર આવ્યા. AMFIના તાજેતરના આંકડા અનુસાર જાન્યુઆરી 2023માં ETF રોકાણમાં સારી તેજી જોવા મળી..ETFની બજાર હિસ્સેદારી જાન્યુઆરી 2022માં 11.2 ટકાથી વધીને જાન્યુઆરી 2023માં 13.1 ટકા થઇ ગઇ. ખાતાની સંખ્યા એટલે કે ફોલિયોના આધારે ડિસેમ્બર 2022માં ETF અને FoF; હાઇબ્રિડ અને ડેટ આધારિત ફંડને પછાડીને બીજી સૌથી મોટી કેટેગરી બની ગયા….
31 જાન્યુઆરી 2023 સુધી, ETF અને ઇન્ડેક્સ ફંડ સ્કીમની સંખ્યા વધીને 305 થઇ ગઇ, જે 31 જાન્યુઆરી 2022એ 196 હતી. આ હિસાબે ફક્ત એક વર્ષમાં 56 ટકાનો વધારો નોંધાયો છે.
હવે સૌથી મહત્વનો સવાલ..કયા મ્યુચ્યુઅલ ફંડ કેવા રોકાણકારો માટે સારા ગણાય. પેસિવ મ્યુચ્યુઅલ ફંડ બજારને ટ્રેક કરે છે. જેના કારણે એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડના મુકાબલે તેમાં ઉતાર-ચડાવ ઓછા જોવા મળે છે. આ ફંડ નવા રોકાણકારો અથવા તો એવા રોકાણકારો માટે સારા છે જે રિટર્નના બદલે સેફ્ટીને પ્રાથમિકતા આપે છે. નિષ્ણાતો રોકાણકારને તેમના પોર્ટફોલિયોમાં એક મિક્સ બેલેન્સ રાખવાની સલાહ આપે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો