Money9: શીતલ અને નિશા જિગરી દોસ્ત છે. ઓફિસના દરેક ટી બ્રેકમાં ચા સાથે પીવે છે અને ખાવાનું પણ સાથે ખાય છે. શોપિંગ, હરવા-ફરવાનું બધુ સાથે જ, પરંતુ રોકાણ એકદમ અલગ..શિતલ એફડી, સ્મોલ સેવિંગ્સ સ્કીમ જેવા રોકાણ પર જ ભરોસો કરે છે. અને નિશા મ્યુચ્યુઅલ ફંડની ભક્ત છે. એટલો ભરોસો છે નિશાને કે તેને લાગે છે કે તેમાં કોઇ ખામી નથી હોતી. પરંતુ શું ખરેખર એવું છે ખરું?
મ્યુચ્યુઅલ ફંડ્સ ખાસ કરીને યુવાન રોકાણકારો માટે ઉતાર-ચડાવની અસરથી બચીને શેરબજારનો અનુભવ લેવાનો સારો રસ્તો ગણાય છે. મ્યુચ્યુઅલ ફંડ અલગ-અલગ પ્રકારના રોકાણ લક્ષ્યવાળા રોકાણકારો માટે યોગ્ય મનાય છે. અને દરેકને એક અલગ પ્રકારની રણનીતિ બનાવવાની તક આપે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઇ કમી નથી હોતી. મ્યુચ્યુઅલ ફંડ્સની પણ ઘણી મર્યાદાઓ અને ખામીઓ છે. તેમાં રોકાણ કરતા પહેલા આ વાતોને જરૂર ધ્યાનમાં રાખો.
પહેલી વાત કે તેમાં રિટર્નની કોઇ ગેરંટી નથી હોતી અને જોખમ પણ હોય છે. મ્યુચ્યુઅલ ફંડ પર બજારના ઉતાર-ચડાવની અસર થાય છે. એટલે તેમાં રિટર્ન કેટલું મળશે તેની કોઇ ગેરંટી નથી હોતી. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કિંમતો સતત બદલાતી રહે છે. કારણ કે ફંડની એસેટમાં રહેલા શેરોની કિંમતો બદલાય છે. એટલે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ આ વાત સમજવી જોઇએ કે તેમના આ રોકાણમાં પણ બજારનું જોખમ રહેલું છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું સમગ્ર જોખમને ઘટાડવા માટે સારુ એ છે કે તમે કોઇ ટોચના અને સારીરીતે ડાયવર્સિફાઇડ ઇક્વિટી ફંડમાં રોકાણ કરો. જે ઓછા જોખમની કેટેગરીમાં આવે છે. એટલું જ નહીં, એક રીતે એ પણ છે કે તમે ઇક્વિટી ફંડના બદલે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો કારણ કે તેમાં જોખમ ઓછું હોય છે.
બીજી વાત. ફી અને ખર્ચની કરીએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને સારુ રિટર્ન મળે છે પરંતુ તેમને તેના માટે એક મોટી ફી ચૂકવવી પડે છે. જેના કારણે તેમના ફંડનું એવરેજ રિટર્ન એક ચોક્કસ સમય બાદ ઘટી જાય છે. ફંડ સારુ પ્રદર્શન કરી રહ્યું હોય કે ખરાબ..તમારે આ ફી આપવી જ પડે છે. જ્યારે કોઇ ફંડ નફામાં નથી હોતું તો તેનો અર્થ એ કે ફી લાગવાથી રોકાણમાં રિટર્નના બદલે નુકસાન જ થાય છે. તો કોઇપણ ફંડમાં રોકાણ કરતા પહેલાં તમારે અલગ-અલગ ફંડની ફીસની તુલના જરૂર કરી લેવી જોઇએ.
ત્રીજી વાત. શેરોના ઓવરલેપિંગની સમસ્યા. ઓવરલેપિંગનો અર્થ એ છે કે જો તમે એક જ પ્રકારના એવા ઘણાં ફંડમાં રોકાણ કર્યું જેણે એક જ સરખા 5 થી 10 શેરોમાં પૈસા લગાવ્યા છે. તો જ્યારે આ શેરોમાં ઘટાડો થશે તમારી બધી સ્કીમના રિટર્નમાં ઘટાડો થશે. એટલે કોઇ એક ઇન્ડસ્ટ્રી પર ભાર મૂકવાના બદલે અલગ-અલગ સેક્ટર પર ફોકસ કરનારા અને મિકસ્ડ ટાઇપના ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ.
ચોથી વાત છે સ્પષ્ટતાનો અભાવ..ઘણીવાર એ સ્પષ્ટ નથી હોતું કે કોઇ મ્યુચ્યુઅલ ફંડનો ઉદ્દેશ શું છે. ઘણા કિસ્સામાં ફંડનું માર્કેટિંગ ભ્રામક હોય છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું નામ જ સંભવિત રોકાણકારોને લલચાવવાનો પ્રયાસ હોય છે. એટલે જો કોઇ NFOમાં રોકાણ કરી રહ્યું છે તો તેના પ્રોસ્પેક્ટ્સ અને બારીક બિંદુઓને સારી રીતે જોઇ લો. રોકાણકારે એ વાતની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવી જોઇએ કે તે કેવા પ્રકારની સ્કીમમાં રોકાણ કરી રહ્યો છે.
મધુબન ફિનવેસ્ટના ફાઉન્ડર દીપક ગગરાની કહે છે કે રોકાણકારોએ એ ધ્યાનમાં રાખવું જોઇએ કે કોઇ ફંડની અવધિ તેમના પોતાના રોકાણની વાસ્તવિક અવધિ સાથે મેળ ખાતી હોય. સાથે જ રોકાણકારોએ એ વાત પર ફોકસ રાખવું જોઇએ કે તે ફંડ અંગે પોતાના કામની માહિતી શોધી કાઢે. અને પોતાના નાણાકીય લક્ષ્ય અનુસાર રોકાણનો રસ્તો બનાવે. પોતાની ઘરેલુ બચતને મૂડી બજારમાં લગાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ સારો રસ્તો હોઇ શકે છે. પરંતુ એ વાત ધ્યાનમાં રાખો કે કમીઓ તેમાં પણ હોય છે. એવા ફંડ કે થીમમાં રોકાણ કરો જેમાં ઇકોનોમીના વિકસતા મેક્રો કે અન્ય વિશેષ ટ્રેન્ડના આધારે સારા પ્રદર્શનની આશા હોય. આ સાથે જ રિટર્ન માટે લક્ષ્ય વ્યવહારીક રાખો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો