MONEY9: આજકાલ બધી જ વેબસાઇટ પેમેન્ટના સમયે પૉપ અપ મેસેજ દ્વારા સિક્યોર યોર કાર્ડ માટે પૂછી રહી છે. ઘરનો સામાન ખરીદી રહ્યા હોવ કે કપડા..બધા પ્રકારના ઇ-કોમર્સ પ્લેટફોર્મ તમને આ પ્રકારનો સંદેશ આપી રહ્યા છે. આ મેસેજનો અર્થ છે કે તમે તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડનું તે ઓનલાઇન પ્લેટફોર્મ માટે ટોકન બનાવી લો. ટોકન એટલે એક સીક્રેટ 16 ડિજિટ કોડ જે તમારી ફાઇનાન્સિયલ આઇડેન્ટિટી હશે. કારણ કે 30 સપ્ટેમ્બર બાદ ટોકન નહીં હોય તો પેમેન્ટની પ્રક્રિયા લાંબી થઇ શકે છે.
અત્યાર સુધી જ્યારે પણ તમે ઑનલાઇન સામાન ઓર્ડર કરતા હતા ત્યારે શોપિંગ વેબસાઇટ તમારા કાર્ડને ઓટો સેવ કરી લેતી હતી. આનું સૌથી મોટું જોખમ એ રહેતું હતું કે જો કંપનીની વેબસાઇટ હેક થઇ જાય તો તમારા કાર્ડની ડિટેલથી ફ્રોડના ચાન્સિસ વધી જતા હતા. પરંતુ હવે RBI એ બધી ઓનલાઇન કંપનીઓને કહ્યું છે કે તે કન્ઝ્યુમરના કાર્ડના કોઇપણ ડેટા જેવા કે કાર્ડ નંબર, કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ એટલે CVV અને એક્સપાયરી ડેટ પોતાની પાસે નહીં રાખી શકે. પહેલા સેવડ ડેટાને ડિલીટ કરવો પડશે અને ભવિષ્યના બધા ટ્રાન્ઝેક્શન કાર્ડથી નહીં પરંતુ તે કાર્ડના બદલે ઇશ્યૂ કરાયેલા ટોકન નંબરથી થશે.
મર્ચન્ટ એટલે કે જે કંપનીના પ્લેટફોર્મ પર તમે કાર્ડથી શોપિંગ કરો છો તે કસ્ટમરને ટોકન આપવો પડશે. પરંતુ મર્ચન્ટ ટોકન બનાવશે. વીઝા, માસ્ટર કાર્ડ અને રેઝર પે જેવા RBI ઑથોરાઇઝ્ડ કાર્ડ નેટવર્ક પ્રોવાઇડર ટોકન જાહેર કરશે.
આને આ રીતે સમજો. કન્ઝ્યુમર ઑનલાઇન ખરીદી કરવા માટે મર્ચન્ટના પ્લેટફોર્મ પર પહોંચે છે. તે મર્ચન્ટને ટોકન રિક્વેસ્ટ કરશે, મર્ચન્ટ ઓથોરાઇઝ્ડ પેમેન્ટ ગેટવેને રિક્વેસ્ટ મોકલશે અને પછી મર્ચન્ટ અને કાર્ડ નંબરના કોમ્બિનેશનથી ટોકન ક્રિએટ થશે. દરેક પ્લેટફોર્મ માટે અલગ ટોકન બનશે. જ્યારે તમે પ્લેટફોર્મ A થી શોપિંગ કરશો તો તેના માટે એક ટોકન હશે. પ્લેટફોર્મ B નો અલગ ટોકન હશે.
કોરોના કાળ બાદથી ઓનલાઇન પ્લેટફોર્મ ઘણાં વધી ગયા છે. મોટાભાગના લોકો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. ઓનલાઇન પેમેન્ટ વધ્યું છે તો સાથે ઓનલાઇન ફ્રોડ પણ. આ ફ્રોડને રોકવા માટે બધા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ એક વર્ચુઅલ આઇડેન્ટીટી એટલે કે ટોકન બનાવવામાં આવશે. લેવડદેવડ વખતે તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો નંબર મર્ચન્ટની પાસે નહીં જાય પરંતુ તેની પાસે માત્ર ટોકન નંબર જશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે અલગ કોડ હશે. આ ટોકન ગ્રાહકની જાણકારીનો ખુલાસો કર્યા વગર પેમેન્ટ કરશે. ઑનલાઇન પેમેન્ટ કરતી વખતે કાર્ડની ડિટેલ્સ નહીં ભરવી પડે અને ફક્ત સીવીવી અને ઓટીપી દ્વારા ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઇ જશે. આ ટોકન માટે કસ્ટમર પાસેથી કોઇ એકસ્ટ્રા ચાર્જ નહીં લેવામાં આવે.
જો કાર્ડ નંબરના બદલે ટોકન જાહેર નથી થયો એટલે કે પોતાની બેંક કે મર્ચન્ટને ટોકનાઇઝેશનની મંજૂરી નથી આપવામાં આવી તો તમારે શું કરવું પડશે? તો પછી દરેક વખતે 16 અંકોનો કાર્ડ નંબર ફીડ કરવો પડશે. CVV અને એક્સપાયરી ડેટ પણ ભરવી પડશે. ત્યારે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્રણ વાર ડેડલાઇન વધારી ચુકી છે. 30 સપ્ટેમ્બર 2021ના રોજ RBIએ ગાઇડલાઇન બહાર પાડી, સૌથી પહેલા આને 1 જાન્યુઆરી 2022થી લાગુ કરવાની હતી, પછી 1 જુલાઇ 2022 અને હવે 1 ઓક્ટોબરથી તેને લાગુ કરવાની છે. પરંતુ હજુ પણ મર્ચન્ટ તેના માટે તૈયાર નથી. નેટફ્લિક્સ, સ્પૉટિફાઇ, માઇક્રોસોફ્ટ અને ડિઝની હૉટસ્ટાર જેવા ગ્લોબલ સર્વિસ પ્રોવાઇડર જે મંથલી રિકરિંગ પેમેન્ટ લે છે તેઓ ટોકનાઇઝેશનને ઉતાવળે લાગુ કરવાને લઇને ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. RBIને વિનંતી કરવામાં આવી રહી છે કે આ તારીખને લંબાવવામાં આવે. કારણ કે અત્યાર સુધી આ ટોકનની પ્રોસેસને ટેસ્ટ નથી કરવામાં આવી. કાર્ડ સિક્યોરિટી સાથે જોડાયેલા એક્સપર્ટનું માનવું છે કે ટોકનાઇઝેશન કાર્ડ સિક્યોરિટી તરફનું શ્રેષ્ઠ પગલું છે. પરંતુ આને લાગુ કરતા પહેલા બધા પક્ષોની તૈયારી પૂરી હોવી જોઇએ. પ્રોપર ટેસ્ટિંગ વગર લાગુ કરવાથી સારામાં સારી સિસ્ટમ ફેલ થઇ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો