Home >
Paytm બ્રાન્ડની માલિક કંપની One 97 Communicationsએ શેરબજારોને જણાવ્યું છે કે, પેટીએમ પેમેન્ટ્સ બેન્કના પુનર્ગઠન માટે ચેરમેનના હોદ્દા પરથી વિજય શેખર શર્માએ રાજીનામુ આપ્યું છે. બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની નિમણૂક પણ કરવામાં આવી છે.
RBIએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ દ્વારા થર્ડ પાર્ટી શિફ્ટ અંગે આપવામાં આવેલી વિનંતીની તપાસ કરવા જણાવ્યું છે.
Paytm સામે કડક કાર્યવાહી બાદ RBIએ અન્ય ફિનટેક કંપનીઓ સામે તપાસ વધારી છે. ફિનટેક કંપનીઓએ KYC નિયમોનું પાલન કર્યું ન હોવાનું જાણવા મળ્યું છે અને ફિનટેક કંપનીઓ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.
ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવનાર કંપની RBIની કાર્યવાહીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે. હવે Paytm કમબેક કરી શકશે કે નહીં, તે રિઝર્વ બેંક પર નિર્ભર રહેશે.
Paytm Payments Bankના ગ્રાહકો અને લાગતા-વળગતા સત્તાવાળાઓને અગવડતા ના પડે તે બાબતને ધ્યાનમાં રાખીને RBIએ આ નિર્ણય લીધો છે. અત્યારે Paytm Payments Bank કટોકટીનો સામનો કરી રહી છે.
Paytm Payments Bank સાથે જોડાયેલા PF ખાતામાં જમા કે ઉપાડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. EPFOએ 8 ફેબ્રુઆરીએ એક સર્ક્યુલર બહાર પાડીને આ સૂચના આપી છે.
RBIએ Paytm સામે આકરાં પગલાં ભર્યા બાદ તેના શેરમાં મોટું ગાબડું પડ્યું છે. કંપની પર નવા ગ્રાહકો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
RBIએ Paytm પર કડક નિયમ લાગુ કર્યાં છે. Paytm Payments Bankને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કંપની 29 ફેબ્રુઆરીથી કસ્મટર એકાઉન્ટમાં ડિપોઝિટ અને ક્રેડિટ પણ નહીં સ્વીકારી શકે.