Money9 Gujarati: ફાઈનાન્શિયલ ટેકનોલોજી (Fintech) સેક્ટરની કંપનીઓ કંપનીઓ RBIની નજરે ચઢી ગઈ છે. ગ્રાહક સંબંધિત નિયમો તેમજ અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફિનટેક કંપનીઓ સામે તપાસની ગતિવિધિ તેજ કરી દીધી છે. Paytm પરની કાર્યવાહી બાદ બેન્કિંગ રેગ્યુલેટર RBIએ હવે અન્ય ફિનટેક કંપનીઓની સ્ક્રુટિની વધારી દીધી છે. રેગ્યુલેટરે ગયા વર્ષે નિયમિત નિરીક્ષણ બાદ આ પગલાં લીધાં છે. ઘણી કંપનીઓ KYC ધોરણોનું પાલન કરતી ન હોવાનું જાણવા મળ્યું છે.
RBIએ નિયમો ભંગ કરનારી કંપનીઓને શોધી કાઢવા માટે વધુ સારી ટેકનોલોજી પાછળ રોકાણ પણ વધાર્યું છે. RBIએ લાખો ગ્રાહકોના અંગત ડેટાનો અભ્યાસ કરવા માટે વિશ્લેષકોની ભરતી પણ શરૂ કરી છે. Paytm પછી, RBIએ આ મહિને VISAને પણ થર્ડ-પાર્ટી ફિનટેક કંપનીઓ દ્વારા બિઝનેસ-ટુ-બિઝનેસ કાર્ડ પેમેન્ટ્સ બંધ કરવાની સૂચના આપી છે.
RBI ફિનટેક કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવતી ડિજિટલ ગ્રાહક ઓળખ પ્રક્રિયાથી અસ્વસ્થ છે. કારણ કે આમાં વ્યક્તિની ઓળખ ચકાસવા માટે આધાર અને મોબાઈલ નંબર જેવા સરકારી ઓળખ પુરાવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ રેગ્યુલેટરના મતે, છેતરપિંડી થવાની પણ સંભાવના છે, જે છેતરપિંડી અથવા મની લોન્ડરિંગની ચિંતાઓ વધારે છે. જો કે, આ બધું હોવા છતાં, RBIએ ચકાસણીની આ પદ્ધતિના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ તેણે કહ્યું છે કે ગ્રાહકની ઓળખ માટે કેન્દ્રીય બેંકના નિયમો અનુસાર, ભૌતિક અથવા વિડિયો-કોલ આધારિત ઓળખ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડિજિટલી વેરિફાઈડ એકાઉન્ટ્સને ઉચ્ચ જોખમ તરીકે ટેગ કરવા જોઈએ.
ફિનટેક કંપનીઓ ચૂકવણીથી માંડીને નાની લોન અને થાપણો સુધીની ઘણી સેવાઓ પૂરી પાડે છે. જેમ જેમ તેમનો આર્થિક પ્રભાવ વધતો જાય છે તેમ તેમ, નિયમનકારો વ્યાપક નાણાકીય પ્રણાલી સાથેના તેમના સંબંધોની તપાસને વધુ તીવ્ર બનાવી રહ્યા છે. ગયા વર્ષે, આ તપાસ ક્વાર્ટરમાં એક વખત કરવામાં આવી હતી, જે હવે વધીને મહિનામાં એકવાર થઈ ગઈ છે. નિયમનકારનું કહેવું છે કે ગ્રાહકની ઓળખ અને ભંડોળને સંચાલિત કરતા મૂળભૂત નિયમોનું પાલન કરવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો