Budget 2024: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે છેલ્લા 10 વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સરકાર વર્ષ 2014 પહેલાના ‘ગેરવહિવટ’ વિશે શ્વેતપત્ર લાવશે.
સામાન્ય ચૂંટણીઓ પહેલા સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે, સીતારમણે કહ્યું કે 2014 માં સત્તા સંભાળ્યા પછી, સરકાર તે સમયની વર્તમાન કટોકટીનો સામનો કરવામાં સફળ રહી હતી અને હવે અર્થવ્યવસ્થા સર્વાંગી વિકાસ સાથે ઉચ્ચ વિકાસના માર્ગે આગળ વધી રહી છે.
સીતારમણે કહ્યું, “સરકાર ગૃહના ટેબલ પર અર્થવ્યવસ્થા પર એક શ્વેતપત્ર રજૂ કરશે, જેથી એ જાણી શકાય કે આપણે 2014 સુધી ક્યાં હતા અને અત્યારે ક્યાં છીએ.” આ શ્વેતપત્રનો હેતુ વિતેલા વર્ષોના ગેરવહીવટમાંથી બોધપાઠ લેવાનો છે.
2014માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર સરકારની રચના થઈ હતી. તે પહેલા સતત 10 વર્ષ એટલે કે 2004-14 સુધી મનમોહન સિંહના નેતૃત્વમાં સરકાર હતી. મોદી સરકારનો બીજો કાર્યકાળ પણ ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે.
નાણામંત્રીએ કહ્યું કે 2014માં અર્થવ્યવસ્થાને તબક્કાવાર ઠીક કરવાની અને ગવર્નન્સ સિસ્ટમને યોગ્ય ટ્રેક પર લાવવાની મોટી જવાબદારી હતી. લોકોની અપેક્ષાઓ વધારવી, રોકાણ આકર્ષવું અને જરૂરી સુધારાઓ માટે સમર્થન મેળવવું એ સમયની જરૂરિયાત હતી. આવા સમયે, સરકારે ‘નેશન ફર્સ્ટ’ના દૃઢ વિશ્વાસ સાથે સફળતાપૂર્વક આ સિદ્ધ કર્યું.
સીતારમણે કહ્યું કે સરકારના કામકાજ, પ્રદર્શન અને ‘લોક કલ્યાણ’થી લોકોનો સરકાર પર વિશ્વાસ વધ્યો છે. જે દર્શાવે છે કે આવનારા સમયમાં પ્રામાણિક ઈરાદા, સમર્પણ અને સતત પ્રયત્નોથી ‘વિકસિત ભારત’નું લક્ષ્ય હાંસલ કરી શકાય છે, પછી ભલેને તેને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલા પ્રયત્નોની જરૂર કેમ ન હોય.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો