Budget 2024: બજેટમાં મહિલાઓ માટે કરવામાં આવી અનેક મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટમાં તેમણે મહિલાઓ માટે અનેક મોટી યોજનાઓની જાહેરાતો કરી. સરકારે લખપતિ દીદી યોજનાનું લક્ષ્ય 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય કર્યો છે.
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટમાં તેમણે મહિલાઓ માટે અનેક મોટી યોજનાઓની જાહેરાતો કરી. સરકારે લખપતિ દીદી યોજનાનું લક્ષ્ય 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય કર્યો છે. સીતારમણે કહ્યું કે લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.
સર્વાઇકલ કેન્સરથી રાહત
સરકારે બજેટમાં મહિલા આરોગ્ય ક્ષેત્રના પડકારોનો સામનો કરવા પર ધ્યાન આપ્યું છે. આ બજેટમાં સર્વાઇકલ કેન્સર રસીકરણને વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ, 9-14 વર્ષની છોકરીઓને રસી આપીને કેન્સરના જોખમોને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આશા બહેનોને આયુષ્માન યોજનાનો લાભ
આ યોજનાને પ્રોત્સાહન આપતાં સરકારે તેનો લક્ષ્યાંક બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજનાથી લગભગ 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને લખપતિ દીદીથી આત્મનિર્ભરતા આવી છે. નાણામંત્રીએ કહ્યું કે આવનારી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન સરકારને ફરીથી જનાદેશ મળશે અને આગામી 5 વર્ષમાં અમે વિકાસની નવી પરિભાષા બનાવીશું. એટલું જ નહીં આશા બહેનોને પણ આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આંગણવાડીના કાર્યક્રમોને વેગ આપવામાં આવશે. સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે તમામ આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
Published - February 1, 2024, 04:59 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો