MONEY9 GUJARATI: મોટાભાગના બેંક ખાતાધારકો (Bank account holders) અને તેમના નોમિની (nominee) અથવા વારસદારો પાસે ઈનઑપરેટિવ બેંક એકાઉન્ટ (Inoperative Bank Account) અને અનક્લેમ્ડ ડિપૉઝિટ (Unclaimed Deposit) સાથે જોડાયેલી માહિતી નથી હોતી. જ્યારે બે વર્ષ સુધી કોઈ કસ્ટમર અથવા કોઈ થર્ડ પાર્ટી કોઈ સેવિંગ અથવા કરન્ટ એકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન (transaction) ન કરે, તો તે ખાતું ઈનઑપરેટિવ એટલે કે ડોરમેટ (Doormat) થઈ જાય છે… તમે આ ખાતામાંથી કોઈ પણ વ્યવહાર કરી શકતા નથી. તેવી જ રીતે, જો ફિક્સ ડિપોઝિટના (FD) મેચ્યોર થયાના 2 વર્ષ સુધી ક્લેમ ના કરવામાં આવે તો તે પણ ઈનઑપરેટિવ એટલે કે ડોરમેટ થઈ જાય છે. આ ખાતાઓ 10 વર્ષ સુધી ઈનઑપરેટિવ રહે તો, તેમાં હાજર બેલેન્સ રિઝર્વ બેંક (RBI)ના ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં ટ્રાન્સફર કરવામાં આવે છે.
લોકોને આવા બેંક ખાતાઓ અને તેમાં રહેલ બેલેન્સ શોધવામાં મદદ કરવા માટે ગયા વર્ષે ઉદગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને બહુ સફળતા મળી ન હતી. ઉદગમ પોર્ટલ પર ક્લેમ કરવા છતાં, વધુ લાભ નથી મળી રહ્યો.. આ કારણોસર, રિઝર્વ બેંકે હવે બેંકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.. જેથી આવા ઈનઑપરેટિવ એકાઉન્ટ્સ અને તેમાં પડેલી અનક્લેમ્ડ રકમ અંગેની સ્થિતિ સ્પષ્ટ થાય.. લોકોને ક્લેમ કરવાનું સરળ બને અને ફ્રૉડનું જોખમ ઓછું થાય.
નવી માર્ગદર્શિકા જારી કરવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે બેંકોએ એવા તમામ ખાતાઓ કે જેમાં નાણાં અટવાયેલા હતા,, તેને ઈનઑપરેટિવ એકાઉન્ટની કેટેગરીમાં મુક્યા હતા.. તને ડૉરમેન્ટ એકાઉન્ટ જાહેર કરી દીધા હતા.. હવે આ તમામ એકાઉન્ટ નવા નિયમો હેઠળ રિએક્ટિવેટ કરવામાં આવશે. હવે આ તમામ એકાઉન્ટ 6 મહિના માટે રિએક્ટિવેટ રાખવામાં આવશે. એકાઉન્ટ હોલ્ડર્સને શોધવામાં આવશે. જો 6 મહિના પછી પણ કોઈ ક્લેમ નહીં કરે, તો તેને બંધ કરી દેવામાં આવશે અને તેમના નાણાં DEAFમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ગાઈડલાઈન્સ 1 એપ્રિલથી અમલમાં આવશે.
રિઝર્વ બેંકે બેંકોને એવા ખાતાઓની વાર્ષિક સમીક્ષા કરવા કહ્યું છે જેમાં એક વર્ષથી વધુ સમયથી ટ્રાન્ઝેક્શન થયા નથી. આ ઉપરાંત, તે ટર્મ ડિપોઝિટ એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ ખાતાઓની સમીક્ષા કરવાનું પણ કહેવામાં આવ્યું છે જેમાં રીન્યુઅલ અંગે કોઈ સ્પષ્ટ મેન્ડેટ આપવામાં આવ્યો નથી અને મેચ્યોરિટી પછી પણ નાણાં ઉપાડવામાં આવ્યા નથી. રિઝર્વ બેંકે બેંકોને ઈનઑપરેટિવ એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પીનલ ચાર્જ લગાવવાથી પણ રોકી દીધી છે. આ સિવાય, હવે ઈનઑપરેટિવ એકાઉન્ટને એક્ટિવેટ કરવા માટે પણ કોઈ ચાર્જ નહીં આપવો પડે.
નવા નિયમો હેઠળ, બેંકોએ તેમના એકાઉન્ટ અને ડિપૉઝિટ હોલ્ડરને પત્ર, ઇમેઇલ અથવા તેમના રજિસ્ટર્ડ ફોન નંબર દ્વારા જાણ કરવી પડશે કે તેમના એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષથી કોઈ એક્ટિવિટી નથી. આ સાથે તેમને ચેતવણી આપવામાં આવશે કે જો આગામી એક વર્ષના એક્સેટેન્ડેટ પીરિયડમાં પણ કોઈ એક્ટીવિટી નહીં થાય તો તે ખાતા ઈનઑપરેટિવ એકાઉન્ટ થઈ જશે. આ પછી પણ, જો ગ્રાહક એલર્ટ નહીં થાય તો બેંકોએ ખાતાધારક અથવા તેના નોમિની/વારસદારને ટ્રેસ કરવા પડશે. ઈનઑપરેટિવ એકાઉન્ટ KYC અપડેટ કર્યા પછી રિએક્ટિવેટ કરી શકાય છે.
આ ઉપરાંત, ફ્રૉડનું રિસ્ક ઘટાડવા માટે, બેંકોએ આવા ઈનઑપરેટિવ એકાઉન્ટ પર નિયમિતપણે દેખરેખ રાખવી પડશે.. કારણ કે બેંક સાથે સંકળાયેલા લોકો આ ખાતાઓમાં પડેલી અનક્લેમ રકમ સાથે છેતરપિંડી કરી શકે છે. હવે બેંકો ઈનઑપરેટિવ એકાઉન્ટમાં કોઈપણ ડેબિટ ટ્રાન્ઝેક્શનને મંજૂરી નહીં આપે.. જ્યાં સુધી ગ્રાહક પોતે એકાઉન્ટને એક્ટિવેટ નથી કરાવતો. બેંકો એ પણ ઈન્શ્યોર કરશે કે ડેટાની ચોરી અને છેતરપિંડી માટે તેના દુરુપયોગને રોકવા માટે પર્યાપ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે.
સાથે જ બેંકોએ દર મહિને તેમની સાઇટ્સ અથવા શાખાઓ પર DEAFને ટ્રાન્સફર કરવામાં આવેલી અનક્લેઈમ ડિપોઝિટની વિગતો દર્શાવવી પડશે. તે જ સમયે, બેંકોએ ઈનઑપરેટિવ એકાઉન્ટ્સ/અનક્લેમ ડિપૉઝિટના એક્ટિવેશનનૂ પ્રક્રિયા અને એકાઉન્ટમાં પડેલા બેલેન્સનો ક્લેમ કેવી રીતે કરવો તે વિશે પણ જાણકારી આપવી પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો