Money9: નમિતની સાથે એક સાયબર ફ્રોડ થઇ ગયો. સાયબર ઠગે ખાતામાંથી 50 હજાર રૂપિયા ચોરી લીધા. નમિત સાયબર સેલમાં ગયો, બેંકનો પણ સંપર્ક કર્યો. બેંકમાં જઈને ફરિયાદ નોંધાવી. બેંકે એમ કહીને હાથ ખંખેરી નાંખ્યા કે આમાં તો ભૂલ નમિતની છે.
નમિતે ઘણી અરજીઓ લખી પરંતુ બેંકે કંઈ ન કર્યું. ત્યારબાદ નમિતે રિઝર્વ બેંકના બેંકિંગ ઓમ્બુડ્સમેનમાં બેંક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. નમિતની જેમ, ઘણાબધા ગ્રાહકો તેમની બેંક વિરુદ્ધ બેંકિંગ લોકપાલમાં ફરિયાદ કરી રહ્યા છે.
કેટલીકવાર ફરિયાદો બેંકની ખરાબ સર્વિસ અંગે હોય છે. તો ક્યારેક લોનની ચુકવણી ન કરવા પર રિકવરી એજન્ટ દ્વારા થતી હેરાનગતિ વિશે. બેંકિંગ ઓમ્બુડ્સમેનમાં ફરિયાદો સતત વધી રહી છે. તેથી એ સમજવું જરૂરી છે કે બેંકિંગ લોકપાલમાં કેવા પ્રકારની ફરિયાદો આવી રહી છે? સૌથી વધુ કયા પ્રકારની ફરિયાદો મળી રહી છે?
તો ચાલો આ વીડિયોમાં બધુ સમજીએ. અને સાથે એ પણ જાણીએ કે બેંકિંગ લોકપાલમાં તમે ક્યારે અને કેવી રીતે ફરિયાદ કરી શકો છો?
બેંકિંગને લગતી કોઈપણ ફરિયાદ આવે તો સૌ પ્રથમ તમે બેંકના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરી શકો છો… જો ત્યાં ફરિયાદ સાંભળવામાં ન આવે તો બેંકની શાખામાં જાઓ… બેંક બ્રાન્ચમાં ફરિયાદ તમારે બેંકના નોડલ ઓફિસર પાસે નોંધાવવી પડશે.
દરેક બેંકમાં ફરિયાદ પર ધ્યાન આપવા માટે એક નોડલ ઓફિસર હોય છે. જો બેંક એક મહિનાની અંદર તમારી ફરિયાદનો ઉકેલ નથી લાવતી, બેંક તરફથી સંતોષકારક જવાબ નથી મળતો… તો તમે રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલનો સંપર્ક કરી શકો છો.
બેંકિંગ લોકપાલમાં બે રીતે ફરિયાદ કરી શકો છો – ઓનલાઈન અને ઓફલાઈન… ઓફલાઈન એટલે કે તમે રૂબરૂ જઈને સાદા કાગળ પર લેખિત ફરિયાદ કરી શકો છો… તો બેંકિંગ ઓમ્બુડ્સમેનના પોર્ટલ cms.rbi.org પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
રિઝર્વ બેંકના ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ ગયા વર્ષે બે ત્રિમાસિક ગાળા – એપ્રિલ-જૂન 2023 અને જુલાઈ-સપ્ટેમ્બર 2023માં લોન એન્ડ એડવાન્સિસ, મોબાઈલ/ઈલેક્ટ્રોનિક બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડને લગતી સૌથી વધુ ફરિયાદો મળી. કુલ ફરિયાદોમાં તેમનો હિસ્સો 60 ટકાથી વધુ હતો. આમાં પણ સૌથી વધુ ફરિયાદો લોન અને એડવાન્સિસ અને અનફેર પ્રેક્ટિસ કોડને લગતી હતી. આ ફરિયાદો લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થવાના કિસ્સામાં રિકવરી એજન્ટો દ્વારા થતી હેરાનગતિને લગતી હતી.
રિઝર્વ બેંકની ગાઇડલાઇન્સ અનુસાર એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેંકોએ રિકવરી એજન્ટ્સની સેવાઓ લેવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે. રિકવરી એજન્ટ્સ આવા લોનધારકોને હેરાન નહીં કરી શકે.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ પ્રકારની ફરિયાદોની હિસ્સેદારી 24 ટકા કરતાં વધુ હતી અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 23 ટકાથી વધુ હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આવી 16 હજારથી વધુ ફરિયાદો મળી હતી. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ સંખ્યા 17 હજારકરતાં વધુ હતી. આ સમયગાળા દરમિયાન, મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક બેન્કિંગ સંબંધિત ફરિયાદો 18.23 અને 16.72 ટકા હતી. જ્યારે ક્રેડિટ કાર્ડ સંબંધિત ફરિયાદો 14.53 અને 13.54 ટકા હતી… તેવી જ રીતે, ડેબિટ કાર્ડ સંબંધિત ફરિયાદોનો હિસ્સો અનુક્રમે 9.62 અને 10.21 ટકા હતો…એકંદરે, બંને ક્વાર્ટરમાં લોકપાલમાં 1 લાખ 44 હજાર ફરિયાદો મળી હતી.
આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં બેંકિંગ સુધારા અને નિયમોમાં કડકાઇની જરૂર છે. બેંકોની જવાબદારી નક્કી થવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો