• સરકારે વધાર્યાં રવિ પાકના ટેકાના ભાવ

    સરકારે રવિ માર્કેટિં સીઝન 2024-25 માટે ઘઉં, મસૂર, સરસવ સહિતના 6 મુખ્ય રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ જાહેર કર્યાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઉત્પાદન ખર્ચ ઊંચો હોવાથી ખેડૂતવર્ગમાં નારાજગી છે.

  • ખરીફ પાકના MSP કરતાં બજારભાવ વધારે

    જુવાર, તુવેર, મગફળી, અડદ, કપાસ અને મકાઈના ભાવ MSP કરતાં 3 ટકાથી 54 ટકા વધારે છે. મગ અને બાજરીના ભાવ MSP કરતાં અનુક્રમે 11 ટકા અને 22 ટકા નીચા છે.

  • તલમાં તેજીઃ ભાવ Rs 4,000ને પાર થશે?

    તલનું વાવેતર અને ઉત્પાદન ઘટવાની વચ્ચે બજારમાં તલની આવક ઘટવાથી ભાવ વધવા લાગ્યા છે. ઓક્ટોબર સુધીમાં મણ દીઠ કિંમત 4,000 રૂપિયા થવાની શક્યતા છે.

  • તળાવો સૂકાવા લાગ્યા

    વરસાદ ખેંચાવાથી દેશનાં જળાશયોમાં પાણીનું સ્તર છેલ્લાં 10 વર્ષની સરેરાશની નીચે ઊતરી ગયું છે. ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ભારતનાં જળાશયોની સ્થિતિ ખરાબ છે. ગુજરાતનાં જળાશયોની સ્થિતિ પ્રમાણમાં સારી છે.

  • ઊભા પાકમાં જીવાતનો પ્રકોપ વધવાનો ભય

    ઓછા વરસાદને લીધે પાકની ઊપજ ઘટવાની ચિંતા વધી છે. જો પાકમાં ઈયળ, જંતુઓ, કીટકો અને ફૂગજન્ય રોગચાળો વકરશે તો, ખેડૂતોએ જંતુનાશકો ખરીદવા માટે વધારે ખર્ચ કરવો પડશે.

  • 15 દિવસમાં બદલાઈ ગયું ચોમાસું

    આ વખતે દેશનાં કેટલાક રાજ્યોમાં અતિવૃષ્ટિની સ્થિતિ છે જ્યારે ઘણા રાજ્યોનાં જિલ્લાઓમાં દુકાળનો માહોલ છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદમાં 6% ઘટાડો નોંધાયો છે.

  • ડુંગળી-બટાટા થઈ રહ્યાં છે મોંઘા

    હવે ડુંગળી અને બટાટામાં મોંઘવારીની શરૂઆત થઈ છે. ઓછા વાવેતરને કારણે ડુંગળી અને બટાટાના સપ્લાય પર અસર પડવાની સંભાવના છે. ડુંગળી અને બટાટાના ભાવમાં હજુ આકરો વધારો થયો નથી, પરંતુ આગામી દિવસોમાં ભાવમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે.

  • ક્યાંક વધારે તો ક્યાં ઓછા વરસાદથી નુકસાન

    દેશનાં અમુક વિસ્તારોમાં ઓછો વરસાદ થવાથી જ્યારે કેટલાક વિસ્તારોમાં વધારે પડતા વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચવાની શક્યતા છે અને તેની ભરપાઈ આગામી દિવસોમાં મોંઘવારીના સ્વરૂપે કરવાનો વારો આવી શકે છે.

  • ખરીફ વાવેતરમાં ઘટાડો

    Kharif Crop Sowing: 2022ની તુલનાએ 2023ની 7 જુલાઈ સુધીમાં ખરીફ પાકનો વાવેતર વિસ્તાર 34 લાખ હેક્ટર ઘટ્યો છે.

  • તુવેરની મોંઘવારી કાબુમાં આવતી નથી

    તુવેરની મોંઘવારી કાબુમાં આવતી નથી. સરકારે તુવેરના ભાવને અંકુશમાં રાખવા માટે પહેલાં તો સ્ટોક લિમિટ લાદી, પછી બફર સ્ટોકમાંથી માલ વેચ્યો અને હવે આયાતમાં જંગી વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઓછામાં પૂરું તુવેરનું ખરીફ વાવેતર પણ ઘટ્યું છે.