CAITએ 30 શહેરોમાં કરેલા વેપારી સંગઠનનોના સર્વે બાદ જણાવ્યું છે કે, 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ભારતમાં લગ્નોની સીઝનમાં ગઈ સીઝન કરતાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારે કારોબાર થવાનો અંદાજ છે.
વેપારીઓના સંગઠન CAITના મતે, દિવાળીના તહેવારોમાં સમગ્ર દેશમાં મજબૂત કારોબાર થયો છે અને લોકલ ચીજવસ્તુની માંગ વધવાથી ચાઈનીઝ કંપનીઓએ Rs 1 લાખ કરોડનો બિઝનેસ ગુમાવ્યો છે.
ધનતેરસથી શરૂ થયેલા પાંચ દિવસના દિવાળીના તહેવારની ધમાકેદાર શરૂઆત થઈ છે. CAITના મતે, સમગ્ર દેશમાં 10 નવેમ્બરે Rs 50,000 કરોડથી પણ વધુનો વેપાર થયો છે.