MONEY9 GUJARATI: UPI ટ્રાન્ઝેક્શન દર મહિને એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે… આ વર્ષે ઓગસ્ટમાં દેશમાં રેકોર્ડ 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયા… 2030 સુધીમાં દરરોજ 2 બિલિયન ટ્રાન્ઝેક્શનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે… અને આને હાંસલ કરવા માટે UPIમાં ઘણા નવા ફિચર્સ જોડવામાં આવી રહ્યા છે. આ ફિચર્સમાં UPI Liteનો પણ સમાવેશ થાય છે, જે સપ્ટેમ્બર 2022માં લૉન્ચ કરવામાં આવ્યું હતું…
UPI Lite એ ‘ઑન-ડિવાઈસ વૉલેટ’ છે… આનો અર્થ એ છે કે યૂઝર્સ તેના UPI અથવા બેંક એકાઉન્ટમાંથી આ એપ્લિકેશન પર પૈસા એડ કરશે. અને તે પછી જ કોઈપણ ટ્રાન્ઝેક્શન થઈ શકશે…
UPI Lite એપ પર એક સમયે મહત્તમ બેલેન્સ 2000 રુપિયા જ બેલેન્સ કરી શકાય છે..તે ઓછી કિંમતના સ્માર્ટફોન અને ધીમા ઈન્ટરનેટ કનેક્શન સાથે કામ કરવા માટે ડિઝાઈન કરાઈ છે..… તે યૂઝર્સને કોઈ પણ મોબાઈલ બેન્કિંગ એપ વગર સરળ અને ઝડપી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં મદદ કરે છે… આમાં ટ્રાન્ઝેક્શન માટે UPI પીનની જરૂર નથી…
UPI Lite ફીચરને PhonePe, GooglePay અને Paytm જેવી ડિજિટલ પેમેન્ટ એપ પર સરળતાથી એક્ટિવેટ કરી શકાય છે… સાથે જ તે BHIM એપ પર પણ વાપરી શકાય છે…
UPI Lite યુઝરના બેંક એકાઉન્ટ સાથે લિંક હોવા છતાં,, રીઅલ ટાઇમમાં જારી કરનાર બેંકની કોર બેંકિંગ સિસ્ટમ પર નિર્ભર નથી.. ઇશ્યુઈંગ બેંકનો અર્થ એ બેંક સાથે છે,, જ્યાં યૂઝરનું એ એકાઉન્ટ છે જેમાંથી પૈસા ડેબિટ કરવામાં આવશે… UPI Lite દ્વારા પીક ટ્રાન્ઝેક્શન અવર્સ દરમિયાન પણ સરળતાથી ચુકવણી કરી શકાય છે… પરંતુ તમામ દાવાઓ, સુવિધાઓ અને લાભો હોવા છતાં… UPI Lite એટલી સફળ નથી થઈ શકી જેટલી અપેક્ષા હતી.. અત્યારે પણ લોકો નોર્મલ UPI ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપી રહ્યા છે..
આખરે શું કારણ છે… ખરેખર, આનું એક મોટું કારણ માહિતીનો અભાવ છે… UPI Lite વિશે કસ્ટમર્સ વધુ જાણતા નથી… UPI Liteની શરૂઆત પણ ધીમી રહી છે… માત્ર કેટલીક પૉપ્યુલર એપ્સ જ આ ફિચર ઉપલબ્ધ કરાવે છે. ઘણા લોકોનું મોબાઇલ નેટવર્ક તેને સપોર્ટ કરવામાં સક્ષમ નથી…
આમાં કેટલીક સમસ્યાઓ પણ છે… જેમ કે તે મલ્ટીપલ એકાઉન્ટ્સ માટે ઈનેબલ નથી કરી શકાતું.. તે પણ શક્ય છે કે યૂઝરના UPI ID સાથે લિંક કરેલા તમામ એકાઉન્ટ્સ UPI Lite પર એપ્લિકેબલ ના હોય…બીજી એક વાત, UPI Lite બેલેન્સ પર વ્યાજ નથી મળતું.. UPI Lite પેમેન્ટ પણ ઘણા કારણોસર નિષ્ફળ થઈ રહ્યા છે… જેમ કે રિસીવરની બેંકમાં કોઈ ટેકનિકલ સમસ્યા હોય… UPI Liteના નેટવર્કમાં જ કોઈ સમસ્યા હોય, તો આવું થઈ શકે છે.
આ અંગે પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે… કે UPI લાઇટ બહુ સફળ ન થવાનું એક મોટું કારણ લો વેલ્યૂ ટ્રાન્ઝેક્શન છે… લોકો UPI દ્વારા પહેલાથી જ લો વેલ્યૂ ટ્રાન્ઝેક્શન કરી શકે છે… તેથી તેનું એડોપ્શન ઓછું છે… સિંગલ ટ્રાન્ઝેક્શન લિમિટ 500 રુપિયાની છે,, જે ખૂબ જ નાની રકમ છે… ઘણા લોકો હજુ પણ 100-200 રૂપિયા માટે રોકડનો ઉપયોગ કરે છે…
એક્સપર્ટ કહે છે કે વૉલેટમાં મેક્સિમમ બેલેન્સની લિમિટ રૂ. 2,000 એ પણ એક મોટું કારણ છે… 2,000 રુપિયા રાખવા અને પછી નાના ટ્રાન્ઝેક્શન કરવા એ પોતે જ એક hassle છે…પહેલાથી જ Paytm વૉલેટ, PhonePe વૉલેટ જેવા ઘણા ઈ-વૉલેટ્સ છે… જેનાથી લોકો ખૂબ જ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે… આવી સ્થિતિમાં, યુઝરને UPI લાઇટથી કોઈ વધારાનો ફાયદો નથી મળી રહ્યો..… તો હવે તમે સમજી જ ગયા હશો કે UPI લાઇટ અપેક્ષા કરતાં ઓછી સફળ કેમ રહી છે… સાદા શબ્દોમાં કહીએ તો, આવી પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલી આવી જ ઘણી બાબતો સમજવા માટે,, જોતા રહો Money9 ગુજરાતી…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો