Money9: સુમેધાએ નવું ક્રેડિટ કાર્ડ લીધું હતું. કાર્ડ આવતાની સાથે ખરીદી પણ શરૂ થઈ ગઈ. નવું એસી ખરીદવું હતું તો શોરૂમમાં જઈને ખરીદી કરી લીધી…પણ આ શું? બિલમાં 2 ટકા એકસ્ટ્રા ચાર્જ ઉમેરવામાં આવ્યો હતો. સુમેધાએ પૂછ્યું તો તેને કહેવામાં આવ્યું કે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર આ ચાર્જ લગાવવામાં આવ્યો છે. સુમેધાને આ અંગે વધુ ખબર ન હોવાથી તે સમયે તેણે પેમેન્ટ કરી દીધું. પાછળથી ખબર પડી કે તેની પાસેથી જે ચાર્જ લેવામાં આવ્યો હતો તે ખરેખર ક્રેડિટ કાર્ડ સ્વાઇપ ચાર્જ હતો જે ઇનડાયરેક્ટલી તેની પાસેથી વસૂલવામાં આવ્યો હતો.
દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. ક્રેડિટ કાર્ડ સાથે ઘણા પ્રકારના ચાર્જિસ જોડાયેલા હોય છે. મોટાભાગના ચાર્જ સીધા વસૂલવામાં આવે છે પરંતુ સ્વાઇપ ચાર્જ એ એક એવો ચાર્જ છે જે આડકતરી રીતે ગ્રાહક પાસેથી વસૂલ કરી શકાય છે, જેવું કે સુમેધા સાથે થયું.
સ્વાઇપ ચાર્જની આખી વાર્તાને સમજીએ તે પહેલાં આવો જાણીએ કે તે હોય છે શું?
ક્રેડિટ કાર્ડનો જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ, પછી ભલે કોઇ રેસ્ટોરન્ટનું બિલ પે કરીએ કે ઓનલાઈન શોપિંગ માટે પેમેન્ટ કરીએ, ત્યારે તેની સાથે એક સ્વાઈપ ચાર્જ લાગે છે. તેને ઇન્ટરચેન્જ ફી પણ કહેવામાં આવે છે. આ ચાર્જ કાર્ડ નેટવર્ક દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
આ ચાર્જમાં ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ, ફ્રોડ પ્રીવેન્શન અને પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેન્ટેનેન્સ સહિત ઘણાં ઓપરેશનલ ખર્ચ કવર થાય છે જેથી મર્ચન્ટ, બેંક અને કસ્ટમર વચ્ચે સિક્યોર અને સરળ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનમાં મદદ મળે.
હવે સમજીએ કે સ્વાઈપ ચાર્જ કેવી રીતે લાગે છે?
જ્યારે તમે પોઈન્ટ ઓફ સેલ એટલે કે POS મશીન પર તમારું ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરો છો, ત્યારે સૌથી પહેલા મર્ચન્ટનું POS ટર્મિનલ તમારા કાર્ડની ડિટેલ્સને રીડ કરે છે. ત્યારબાદ આ માહિતી પેમેન્ટ ગેટવે અને પ્રોસેસર દ્વારા ક્રેડિટ કાર્ડ નેટવર્કની પાસે જાય છે. કાર્ડ ઇશ્યુ કરનાર બેંક ટ્રાન્ઝેક્શનને વેરિફાઇ કરે છે અને નેટવર્ક દ્વારા ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપે છે અથવા રિજેક્ટ કરી દે છે. આ ચાર્જ અલગ અલગ કાર્ડ માટે અલગ અલગ હોઇ શકે છે, પરંતુ સામાન્ય રીતે, ફિઝિકલ કાર્ડ ટ્રાન્ઝેક્શન કરવા પર ટ્રાન્ઝેક્શન વેલ્યૂના 2 ટકા સ્વાઇપ ચાર્જ લાગે છે અને ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરવા પર તે 2.3 થી 2.5 ટકા હોઈ શકે છે.
સામાન્ય રીતે, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ ચાર્જિ મર્ચન્ટ ભરે છે એટલે કે, મર્ચન્ટ સીધા સ્વાઇપ ચાર્જ ચૂકવે છે, પરંતુ જેમ કે અમે અગાઉ કહ્યું તેમ, તેની અસર સીધી કે આડકતરી રીતે ગ્રાહક પર પડી શકે છે. ઘણા વેપારીઓ પ્રોડક્ટ અથવા સર્વિસની કિંમત વધારી શકે છે, જેની અસરથી ગ્રાહકના એકંદર ખર્ચમાં વધારો કરી શકે છે. તેથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા આ ચાર્જની સંપૂર્ણ માહિતી હોવી જોઇએ. હવે એ સમજીએ કે સ્વાઇપ ચાર્જ વિશે જાણવું કેમ જરૂરી છે.
– સૌથી પહેલી વાત તો એ કે સ્વાઇપ ચાર્જ વિશે ખબર હશે તો તમે એક ઇન્ફોર્મ્ડ ડિસીઝન લઇ શકશો. એટલે કે જ્યારે મર્ચન્ટ તમારી પાસેથી સ્વાઇપ ચાર્જ લઇ રહ્યો હોય, ત્યારે તમે એ નક્કી કરી શકો છો કે કેશ પેમેન્ટ કરવું કે પછી ક્રેડિટ કાર્ડનો જ ઉપયોગ કરવો. – બીજી વાત એ કે તમે કુલ ખર્ચ વિશે જાણો છો. આનાથી તમે ક્રેડિટ કાર્ડના ઉપયોગની પ્રોડક્ટ અથવા સર્વિસની કિંમત પર કેટલી અસર પડે છે તેને સમજો છો. આ માહિતી હશે તો તમે વધુ સારી રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને બજેટિંગ કરી શકશો. – ત્રીજી વાત એ છે કે તમે કાર્ડની સાથે જોડાયેલા સ્વાઇપ ચાર્જ અને કાર્ડની સાથે મળતા રિવોર્ડ્સ અથવા બેનિફિટ્સની વચ્ચે સરખામણી કરી શકો છો. જો રિવોર્ડ્સ સ્વાઇપ ચાર્જ કરતાં વધુ છે તો કાર્ડનો ઉપયોગ કરવો યોગ્ય છે, પરંતુ જો આમ આવું નથી તો પછી બીજી કોઈ પેમેન્ટ મેથડનો ઉપયોગ કરો.
તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ ચાર્જ વિશે જરૂર જાણી લો કારણ કે તેની અસર તમારા ખિસ્સા પર પડે છે. અમે ક્રેડિટ કાર્ડ સંબંધિત અન્ય માહિતી પણ તમને આપતા રહીશું. તો ક્રેડિટ કાર્ડ સંબંધિત તમામ ચાર્જ અને સારી કે ખરાબ બાબતો જાણવા-સમજવા માટે જોતા રહો Money9.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો