MONEY9: કોરોનાએ લાખો લોકોની રોજી-રોટી છિનવી તો સેંકડો હાથ મદદ માટે સામે આવ્યા. મોટી સંખ્યામાં લોકોએ દાન કર્યું. દાન પર ઇનકમ ટેક્સમાં છૂટ મળે છે. હાલમાં જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. એક શખ્સે સેમિનારમાં પીરસવામાં આવેલી શરાબ પર આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ ટેક્સ છૂટ માટે ક્લેમ કર્યો, જો કે, Income Tax Appellate Tribunal (ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલ) ની દિલ્હી બેંચે કહ્યું કે શરાબ પીરસવો કોઇ ચેરિટેબલ એક્ટિવિટી નથી. તેના બદલામાં ટેક્સમાંથી છૂટ ન આપી શકાય. આવો જાણીએ કે આવકવેરા કાયદાની કલમ 80G શું છે?
આવકવેરા કાયદાની સેક્શન 80G રિલીફ ફંડ્સ અને ચેરિટેબલ ઇન્સ્ટીટ્યુટને આપવામાં આવેલા દાન પર ટેક્સ ડિડક્શનનો લાભ આપે છે. કંપની HUF સહિત બધા કરદાતા ડિડક્શન ક્લેમ કરી શકે છે. જો કે, નવી કર વ્યવસ્થામાં આ ટેક્સ બેનિફિટ નથી મળતો.
દાન, ચેક, ડ્રાફ્ટ કે કેશ કોઇપણ માધ્યમથી કરી શકાય છે. જો તમે દાનમાં ખાણી-પીણીનો સામાન, કપડા કે દવાઓ આપો છો તો સેક્શન 80G હેઠળ ડિડક્શન માટે ક્લેમ નથી કરી શકાતો. કેશમાં 2,000 રૂપિયાથી વધુના દાન પર ડિડક્શનનો ફાયદો નહીં મળે.
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન જણાવે છે કે સરકાર સમર્થિત મોટાભાગના ચેરિટેબલ ફંડ્સ કે સંસ્થાઓમાં દાન કરો તો 100 ટકા ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. સામાન્ય ચેરિટેબલ ઇન્સ્ટીટ્યુટ કે NGO ને આપવામાં આવેલી દાનની રકમ પર 50 ટકા છૂટનો દાવો કરી શકાય છે. જો કે, દાનની જે રકમ પર તમને ડિડક્શન મળવાનું છે તે તમારી ટોટલ ટેક્સેબલ ઇનકમના 10 ટકાથી વધુ ન હોવી જોઇએ. ટ્રસ્ટ કે સંસ્થાએ આવકવેરા કાયદા, 1961ની સેક્શન 12A હેઠળ રજિસ્ટર હોવું જરૂરી છે.
ઉદાહરણ માટે, તમારી ઇનકમ 10 લાખ રૂપિયા છે અને તમે 2 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. માની લો કે 80C, 80D સહિત અન્ય ડિડક્શન 2 લાખ રૂપિયા બને છે તો ટેક્સેબલ ઇનકમ 8 લાખ રૂપિયા હશે. આ હિસાબે દાન કરવા પર 8 લાખના 10 ટકા એટલે 80,000 રૂપિયા પર જ ડિડક્શન મળશે. તમે ડોનેશન 2 લાખ રૂપિયાનું આપ્યું છે તેનાથી કોઇ ફરક નથી પડતો. સામાન્ય NGO ના કેસમાં 40,000 રૂપિયા સુધીનું જ ડિડક્શન ક્લેમ કરી શકાય છે.
સરકાર તરફથી નોટિફાઇ ફંડ કે ચેરિટેબલ ઇન્સ્ટીટ્યુશન્સ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલાક ફંડ્સ, ચેરિટેબલ ઇન્સ્ટીટ્યુશન્સના ડોનેશન માટે નોટિફાઇ કર્યું છે, જેને દાન આપવા પર ડિડક્શનનો લાભ લઇ શકાય છે. ઉદાહરણ તરીકે, નેશનલ ડિફેન્સ ફંડ, વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ, PM-CARES ફંડ, નેશનલ ચિલ્ડ્રંસ ફંડ, નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ કે વિશ્વ વિદ્યાલયને આપવામાં આવેલા દાન પર 100 ટકા ડિડક્શન ક્લેમ કરી શકાય છે. તો વડાપ્રધાન દુષ્કાળ રાહત કોષ, જવાહરલાલ નહેરૂ મેમોરિયલ ફંડ, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ, રાજીવ ગાંધી ફાઉન્ડેશન જેવા ફંડ્સ પર 50 ટકા સુધીની છુટ ક્લેમ કરી શકાય છે.
ડોનેશન આપતી વખતે કઇ વાતોનું રાખશો ધ્યાન
દાન આપતી વખતે ટ્રસ્ટ કે NGOના 80G સર્ટિફિકેટની કૉપી લઇને રાખવી જોઇએ. ડિડક્શન ક્લેમ કરવા માટે ડોનેશનની અસલ રસીદ તમારી પાસે હોવી જોઇએ. ફોટોકોપીથી કામ નહીં ચાલે. કેશમાં 2,000 રૂપિયાથી વધુનું દાન ન કરવું જોઇએ. આ ઉપરાંત, તમારે એ પણ ચેક કરવું જોઇએ કે દાનની રકમ ઇનકમના 10 ટકાથી વધુ ન હોય. જો તમારે વધારે દાન આપવું છે તો 2 થી 3 વર્ષમાં આપી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો