MONEY9: આજ કાલ બીગ બી તમને બેન્કોમાં જમા અનક્લેમ્ડ રકમ પર દાવો કરીને તમારી રકમ ઉપાડવાની તમને અપીલ કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જાગૃતિ અભિયાન મારફતે તમને તમારા બેન્ક એકાઉન્ટને નિષ્ક્રિય થતા બચાવવાની અપીલ કરી રહી છે. RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે ડેફમાં 2022 સુધીમાં કુલ રૂ. 48,262 કરોડની અનક્લેમ્ડ રકમ હતી. માર્ચ 2021 સુધી રૂ. 39,264 કરોડ અનક્લેમ્ડ હતા. ક્લેમ થયા વગરના રૂ. 4100 કરોડ ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડમાં જમા છે. જો મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સને પણ જોડવામાં આવે તો સરકાર પાસે લગભગ રૂ. 90,000 કરોડથી વધુની રકમ જમા છે જેનો કોઇ દાવેદાર નથી
દાવા વગરના રૂપિયા પાછળ બે કારણ છે. બેન્ક એકાઉન્ટ નિષ્ક્રિય થઇ જવું અને રોકાણકાર અંગે માહિતી ન હોવી. લોકો જૂના એકાઉન્ટ અને રોકાણને ભૂલી જાય છે. સાથે તે પણ જોવા મળ્યું છે કે, એકાઉન્ડ હોલ્ડર કે રોકાણકારનું મૃત્યુ થઇ ગયું હોય અને પરિવારને તેમના પૈસા અંગે માહિતી જ ન હોય.
આ બાબતે વિવિધ બેન્કોના અલગ અલગ નિયમ છે. સામાન્ય રીતે બચત અને ચાલુ ખાતામાં એક વર્ષ સુધી કોઇ ટ્રાન્ઝેક્શન નથી થતું તો તે નિષ્ક્રિય થઇ જાય છે. જો આ ખાતું વધુ એક વર્ષ નિષ્ક્રિય રહે છે તો તે ડોર્મન્ટ એકાઉન્ટની શ્રેણીમાં આવી જાય છે. ખાતુ નિષ્ક્રિય થતા બેન્ક તેમાં જમા રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ આપવાનું બંધ કરી દે છે. જો નિષ્ક્રિય ખાતાની રકમ પર 8 વર્ષ સુધી જો કોઇ દાવો નથી કરાતો તો તે રકમ DEAFમાં ટ્રાન્સફર થઇ જાય છે. DEAFમાં રકમ જમા થયા બાદ તેના પર RBI દ્વારા જાહેર કરાયેલા ઘોષણાને આધારે વ્યાજ મળે છે. તાજેતરમાં આ દર 3 ટકા છે.
જો શેરધારક 7 વર્ષ સુધી રકમ પર દાવો નથી કરતો તો તે રકમ સરકારના IEPFAમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. IEPFA શેરધારકના શેર અને ડિવિડન્ડના સંરક્ષક તરીકે કામ કરે છે. આ એક મોટું પ્લેટફોર્મ છે જ્યાંથી જૂના શેરોના પૈસા હાંસલ કરી શકાય છે.
દરેક બેન્ક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા પોલીસીમાં નોમીની હોવું ફરજિયાત છે. પરંતુ સમસ્યા તે છે કે, દસ્તાવેજોમાં માત્ર નામાંકિત વ્યક્તિઓના નામનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. તેના કારણે ખાતાધારકના મૃત્યુ બાદ તેમને શોધવા મુશ્કેલ બની જાય છે. એટલે બેન્ક નામાંકનમાં વધુ માહિતી માંગવા લાગી છે. જો કોઇ બેન્કમાં તમારું નિષ્ક્રિય ખાતું છે તો તમે ખુદ બેન્કનો સંપર્ક કરીને તમે તમારા પૈસા ઉપાડી શકો છો. જો તમારા કોઇ એવા સ્વજનનું ખાતું નિષ્ક્રિય છે જેમનું મૃત્યુ થઇ ગયું છે તો નામાંકિત વ્યક્તિ પોતાના કેવાયસી અને ખાતાધારકનું મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરીને પૈસા ઉપાડી શકે છે. જો નોમીનીનું નામ નથી કે નોમીનીના નામ પર કોઇ વિવાદ હોય તો બેન્ક ઉત્તરાધિકાર પ્રમાણપત્ર પણ માગી શકે છે. વસિયતના આધાર પર પણ બેન્ક ઉત્તરાધિકારીને પૈસા સૌંપી શકે છે. રિઝર્વ બેન્કે મૃત્યુ બાદ પરિવારજનો માટે પૈસા ઉપાડવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે કહ્યું છે. આરબીઆઇના નિર્દેશ અનુસાર, પૈસા ઉપડવા માટેની અરજી આપ્યા બાદ બેન્કે આ કામ 15 દિવસમાં પૂરું કરવાનું રહે છે. જો વધારાના દસ્તાવેજ જેમકે, ઉત્તરાધિકાર પ્રમાણપત્ર કે વસિયતની જરૂર પડે તો તપાસ કરવામાં વધુ સમય લાગી શકે છે.
જો એકાઉન્ટ નિષ્ક્રિય શ્રેણીમાં છે તો જરૂરી નથી કે તમે DEAF પાસે દાવો કરો. તમે તમારી બેન્ક પાસે પણ દાવો કરી શકો છો. મોટા ભાગની બેન્કોની વેબસાઇટો પર અનક્લેમ્ડ જમા રકમની માહિતી આપવામાં આવી છે. દાવો ના કરાયેલી જમા રકમની જાણકારી મેળવવા માટે તમારી પાસે ખાતા ધારકનું નામ, સરનામું, પેન જેવી મહત્વની માહિતી આપવી પડશે.
સેબીમાં રજિસ્ટર્ડ રોકાણકાર હર્ષ રુંગટાનું કહેવું છે કે, તમારી પાસે રોકાણ સાબિત કરતા દસ્તાવેજ નહીં હોય તો તેને મેળવવું ઘણું મુશ્કેલ થઇ શકે છે. સરકારની ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડ ઓથોરિટીમાં તમારે રોકાણકારની અનેક માહિતી નાંખવી પડે છે ત્યારે જ જાણી શકાશે કે તેનું કોઇ રોકાણ છે કે નહીં.
કેટલીક ખાનગી કંપનીઓએ આ પ્રકારનો ડેટાબેઝ તૈયાર કર્યો છે, જે પૈસા લઇને માહિતી આપે છે. જો તમારી પાસે તમામ માહિતી નથી તો તમે કંપનીના ઇન્વેસ્ટ સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી શકો છો. આટલી બધી ઝંઝટથી બચવુ હોય તો તમારા તમામ રોકાણમાં નોમીનીની માહિતી અપડેટ રાખો. જો કોઇ એકાઉન્ટ ઉપયોગમાં નથી તો તેમાં રહેલી રકમ ઉપાડીને ખાતુ બંધ કરાવવું જ હિતાવહ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો