Money9 Gujarati:
Rule Change From August 2023: ઓગસ્ટ મહિનાથી ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. આ મહિનામાં અમુક રાજ્યોમાં જાહેર રજાઓ પણ આવે છે. ઓગસ્ટના પ્રારંભથી જ રૂપિયા સંબંધિત અમુક મહત્ત્વનાં ફેરફાર થવાના છે. આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ઓગસ્ટમાં કેટલીક સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમની મુદત પૂરી થવાની છે જ્યારે ઈનકમ ટેક્સ રિટર્ન અને ક્રેડિટ કાર્ડ સંબંધિત ફેરફાર પણ થવાના છે. તો ચાલો જાણીએ ઓગસ્ટમાં થનારા ફેરફાર અંગે.
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ જો તમે 31 જુલાઈ સુધીમાં ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નહીં કર્યું હોય તો, 1 ઓગસ્ટથી તમારે 5,000 રૂપિયા દંડ ભરવો પડશે. જો તમે 31 જુલાઈ બાદ રિટર્ન ફાઈલ કરશો તો તમારે આ દંડ ભરવો પડશે. તમે 31 ડિસેમ્બર 2023 સુધી લેટ ફી ચૂકવીને ITR ફાઈલ કરી શકો છો. ઈનકમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 234F હેઠળ, જે વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તેમણે 1,000 રૂપિયા લેટ ફી ભરવી પડશે.
SBI અમૃત કળશ સ્કીમ જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા SBIની સ્પેશિયલ FD સ્કીમ ‘અમૃત કળશ’માં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ છે. આ FD સ્કીમની મુદત 400 દિવસની છે, જેમાં પૈસા મૂકો તો બેન્ક તમને 7.1 ટકા વ્યાજ આપે છે. સીનિયર સીટિઝનને તેમાં 7.6 ટકા વ્યાજ મળે છે. આ સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ સ્કીમમાં તમને પ્રિ-મેચ્યોર વિડ્રોઅલ અને લોનની સુવિધાનો લાભ પણ મળે છે.
ક્રેડિટ કાર્ડનો નિયમ એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને હવે ઓછો લાભ મળશે. જો એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડધારકો ફ્લિપકાર્ટ પર શોપિંગ કરશે તો હવેથી તેમને ઓછું કેશબેક મળશે અને ઓછા ઈન્સેન્ટિવ પોઈન્ટ મળશે. એક્સિસ બેન્કની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, 12 ઓગસ્ટ 2023થી ફ્લિપકાર્ટ પર ટ્રાવેલ સંબંધિત ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરશો તો માત્ર 1.5 ટકા કેશબેક મળશે. સરકારી સર્વિસિસ માટે પેમેન્ટ કરવા મર્ચન્ટ કેટેગરી કોડ (MCC) 9399 વાપરશો તો કોઈ કેશબેક પણ નહીં મળશે. એટલું જ નહીં, Flipkart અને Myntra પર ગિફ્ટ કાર્ડ પરચેઝ પર કે ફ્યુઅલ પરચેઝ પર અને EMI ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ કેશબેકનો લાભ નહીં મળે.
Indian Bankની સ્પેશિયલ FD ઈન્ડિયન બેન્કની નવી સ્પેશિયલ રિટેલ ટર્મ ડિપોઝિટ સ્કીમ ‘IND SUPER 400 Days’ 6 માર્ચથી શરૂ થઈ હતી અને તેમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. 400 દિવસની આ FDમાં 10,000થી લઈને 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. રેગ્યુલર સીટિઝનને આ સ્કીમમાં 7.25 ટકા વ્યાજ દર મળશે જ્યારે સીનિયર સીટિઝનને 7.75 ટકા અને સુપર સીનિયર સીટિઝનને 8 ટકા વ્યાજ દરનો લાભ મળશે. આ સિવાય ઈન્ડિયન બેન્કે 300 દિવસની સ્કીમ પણ શરૂ કરી છે, જેમાં 5,000થી લઈને 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રેગ્યુલર સીટિઝને 7.05 ટકા જ્યારે સીનિયર સીટિઝને 7.55 ટકા વ્યાજ દર મળશે. આ બંને સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.
IDBI બેન્કની અમૃત મહોત્સવ FD IDBI બેન્કની 375 દિવસની અને 444 દિવસની સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ ‘અમૃત મહોત્સવ FD’માં રોકાણની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ છે. 375 દિવસની સ્કીમમાં મહત્તમ 7.60 ટકા વ્યાજ દર મળશે છે. 444 દિવસની સ્કીમમાં 7.65 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે. બેન્કની અન્ય એક 375 દિવસની સ્કીમ પણ 15 ઓગસ્ટથી બંધ થઈ જશે.
સંબંધિત ખબરઃ ઓગસ્ટમાં 31 દિવસમાંથી માત્ર 17 દિવસ બેન્કો ચાલુ રહેશે
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો