Money9: દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક PNBના લાખો ગ્રાહકો બેંક ખાતા બંધ થવાના જોખમનો સામનો કરી રહ્યા છે… PNB એ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટમાંથી ગ્રાહકોને નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે જે લોકોના ખાતા છેલ્લા 3 વર્ષથી એક્ટિવ નથી તે ખાતા બંધ થઇ શકે છે… PNBના જણાવ્યા મુજબ, 30મી એપ્રિલ 2024 સુધી જે બેંક ખાતામાં પૈસા નથી અથવા કોઇ ખાતાધારક છેલ્લા 3 વર્ષથી કોઈપણ રીતે ખાતાનો ઉપયોગ નથી કરી રહ્યા, તો આવા બેંક હોલ્ડર્સનું એકાઉન્ટ બંધ થઇ શકે છે. જો કે, એવા બેંક ખાતાઓને બંધ નહીં કરવામાં આવે ડીમેટ ખાતા સાથે લિંક્ડ છે… આ ઉપરાંત 25 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓના બેંક ખાતા પણ બંધ કરવામાં નહીં આવે. જો તમે તમારા ઇનએક્ટિવ બેંક એકાઉન્ટ એક્ટિવેટ કરવા માંગો છો તો તેના માટે તમારે બેંક શાખામાં જવું પડશે. સાથે જ KYC પણ અપડેટ કરાવવું પડશે.
જૂનમાં દેશમાં વીજળીનું ભારે સંકટ સર્જાઈ શકે છે અને તે છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનું આ અંતર 2009-10 પછી સૌથી વધુ હોઈ શકે છે… હાઈડ્રો પાવર જનરેશનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાને કારણે આવું થઈ શકે છે. સરકારનું કહેવું છે કે તે રીલેવન્ટ પીરિયડમાં પ્લાન્ટ મેન્ટેનન્સનું કામ ટાળીને અને બેકાર પડેલા યૂનિટ્સને ફરીથી ખોલીને આ પોટેન્શિયલ ક્રાઇસિસને દૂર કરવાની કોશિશ કરશે. પાવર શોર્ટેજનું એક મુખ્ય કારણ 3.6 ગીગાવોટના નવા કોલસાના પ્લાન્ટને ચાલુ કરવામાં થઇ રહેલો વિલંબ પણ છે, જેને માર્ચ પહેલા શરૂ કરવાનો લક્ષ્યાંક હતો. પાવર સેક્ટરના યુનિટ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનું કહેવું છે કે જૂનમાં સોલાર કેપેસિટી ઑફલાઇન રહેવાની સ્થિતિમાં, એટલે કે રાત્રિ દરમિયાન, 14 ગીગાવોટ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, કંપની કટોકટીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્લાન તૈયાર કરી રહી છે.
ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનો આઈપીઓ 15 મેના રોજ ખુલશે. એન્કર ઇન્વેસ્ટર્સ 14 મેના રોજ બિડ કરી શકશે. ઇશ્યૂ 17 મેના રોજ બંધ થશે અને શેર 23 મેના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ તેમાં રોકાણ કર્યું છે. Go Digit હેલ્થ, કાર, ટ્રાવેલ, પ્રોપર્ટી, મોબાઇલ, જ્વેલરી તેમજ અન્ય ઘણા જનરલ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરે છે.
જ્યારે લોકો સોનું ખરીદવા સોની પાસે જાય ત્યારે કિંમતો અંગે તેમના મનમાં ક્યાંકને ક્યાંક શંકા જરુર રહેતી હોય છે. એટલે જ્વેલર્સ જ્વેલેરી પર કિંમતોની ગણતરી કેવી રીતે કરે છે એ જાણવું પણ જરુરી છે. ગોલ્ડ જ્વેલેરીની કિંમત નક્કી કરવાની એક ફોર્મ્યુલા છે. જે છે: જ્વેલેરીની ફાઇનલ પ્રાઇસ = સોનાની કિંમત + મેકિંગ ચાર્જ + 3 ટકા GST + હોલમાર્કિંગ ચાર્જ. સોનાની કિંમત તેની શુદ્ધતા પર આધાર રાખે છે. 24KT, 22KT, 18KT કે 14KT પ્રમાણે સોનાની કિંમતો અલગ-અલગ હોય છે. જ્વેલર્સ મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી કે ઘડામણ પણ લે છે. જે પ્રતિ ગ્રામ કે ટકાના આધારે લેવામાં આવે છે. તે સોનાની કિંમતના 1 ટકા કે પ્રતિ ગ્રામના આધારે ચાર્જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 22 કેરેટ ગોલ્ડની કિંમત પ્રતિ 10 ગ્રામ 68,000 છે તો મેકિંગ ચાર્જ 1 ટકા લેખે 680 રૂપિયા થશે. જો તમે 10 ગ્રામની સોનાની ચેઇન ખરીદો છો તો મેકિંગ ચાર્જ 6800 રૂપિયા થશે. તેમજ 3 ટકા જીએસટી અને 35 રૂપિયા હોલમાર્કિંગ ચાર્જ પણ લાગશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો