Money9: રાઘવના મકાન માલિકે તેનું જીવવાનું હરામ કરી નાંખ્યું છે. એક તો મનફાવે તે રીતે મેન્ટેનન્સ ચાર્જ વધારી દીધો અને બીજું ઇન્સ્પેકશનના નામે તે ક્યારેક ઘરમાં ઘુસી આવે છે એટલું જ નહીં આજકાલ તો ઘરમાં કોણ આવશે અને કોણ જશે એ પણ નક્કી કરવા લાગ્યો છે. જો રાઘવની જેમ તમે પણ તમારા મકાન માલિક કે રેસિડેન્ટ વેલફેર એસોસિએશન, એટલે કે RWAથી પરેશાન છો તો આને ચુપચાપ સહન ન કરો. ઘણી રીતો છે જેનાથી તમે આ દુર્વ્યવહારથી પોતાને બચાવી શકો છો. પરંતુ આના માટે તમારે તમારા ટેનન્સી રાઇટ્સ એટલે કે ભાડુઆતને મળતા કાયદાકીય અધિકાર અંગે જાણવું પડશે. તો ચાલો સમજીએ આ અધિકારો અંગે સૌથી પહેલી વાત..
મકાન માલિક તમને મળતી જરૂરી સુવિધાઓને ન રોકી શકે. સમયસર ભાડું ભરવું ભાડુઆતની જવાબદારી છે. જો કે તેમાં મોડું થાય તો માલિક વીજળી-પાણીની સુવિધા રોકી શકે નહીં. જરૂરી સુવિધાઓમાં તમારો રાઇટ ટુ પ્રાઇવસી એટલે કે ગોપનીયતાનો અધિકાર પણ આવે છે. એટલે જો તમને લાગે કે ઘર જેનું છે, તે ગમે ત્યારે ટપકી પડશે તો તમે ખોટા છો. કાયદાકીય રીતે મકાન માલિકે તમારા ઘરે આવવાના 24 કલાક પહેલા તમને જાણ કરવી પડે. પછી ભલે તે રેગ્યુલર ઇન્પેક્શન માટે જ કેમ ન આવી રહ્યો હોય. ફક્ત તમે જ નહીં પરંતુ તમારી સાથે રહેનારા પરિવારના લોકોને પણ ટેનન્સી રાઇટ્સ મળે છે. એટલે ન કરે નારાયણ જો તમારુ મૃત્યુ થઇ જાય તો તમારા પુત્ર કે પુત્રી, જીવનસાથી કે માતા-પિતાને પણ તે જ ટેનન્સી રાઇટ્સ મળશે જે તમારી પાસે છે.
આ અંગે લો ફર્મ DSK Legalના પાર્ટનરના નીરજ કુમાર કહે છે કે RWA અને મકાન માલિક ઘણી રીતે તમારી પર દબાણ બનાવી શકે છે આવું ત્યારે વધારે હોય છે જ્યારે ભાડુઆત રેસિડેન્શિયલ સોસાયટીનું સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ જેવી કોમન પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવા માંગતો હોય. આના માટે જરૂરી છે કે ભાડુઆત પહેલેથી RWAની પોલિસીઝ ચેક કરી લે અને પોતાના રેન્ટ એગ્રીમેન્ટમાં તેની સાથે જોડાયેલી શરતો સામેલ કરવા પર ભાર મૂકે. જેમાં RWAની અપરણીતોને ઘર ભાડે ન આપવા, સોસાયટી પ્રોપર્ટીઝનો ઉપયોગ ન કરવા સહિત ઘણાં નિયમ સામેલ થઇ શકે છે. એક વર્ષથી વધુ સમય માટે ઘર ભાડેથી લેનારા વ્યક્તિએ રેન્ટ એગ્રીમેન્ટ કરાવવું જરૂરી છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે આ બધુ પહેલેથી નક્કી કરી લેવું જોઇએ. આવું મકાન માલિક અને RWAની વચ્ચે હોવું જોઇએ. જેની જવાબદારી ભાડુઆત પર નથી હોતી.
હવે વાત મેન્ટેનન્સ ચાર્જિસની કરીએ. મેન્ટેનન્સ ચાર્જિસમાં મકાન માલિક મનમાની ન કરી શકે. જો તમે ભાડુઆત છો અને કારણ વગરના મેન્ટેનન્સ ચાર્જ અને સોસાયટી ફીને લઇને પરેશાન છો તો તમારે તેનો વિરોધ કરવો જોઇએ. જો મેન્ટેનન્સ ચાર્જ કુલ ભાડાના 50 ટકાથી વધુ થતુ હોય તો તે વ્યાજબી નથી. નીરજ કુમાર કહે છે કે મકાન માલિક ભાડુઆત પાસેથી મેન્ટેનન્સના નામે જે ચાર્જ લઇ રહ્યા છે તે તેની પર માર્જિન કે પ્રોફિટ ન લઇ શકે. જો ભાડુઆત પર કોઇપણ પ્રકારનો ચાર્જ આપવા માટે દબાણ કરે છે તો તે ખોટું છે.
મેન્ટેનન્સ ચાર્જની જવાબદારી મકાન માલિકની હોય છે, જેને ભાડુઆત જ ભરે છે પરંતુ જેટલો મેન્ટેનન્સ ચાર્જ મકાન માલિકે ભરવાનો હોય છે તેટલો જ ભાડુઆત ભરશે તેમાં કોઇ તફાવત ન હોવો જોઇએ. મકાન માલિક જો ભાડું વધારવા માંગે તો તે ભાડુઆતને 3 મહિનાનો નોટિસ પીરિયડ આપીને આમ કરી શકે છે. તમે જ રાજ્યમાં રહો છો ત્યાંના કાયદા પ્રમાણે મકાન માલિક સમયાંતરે ભાડું વધારી શકે છે પરંતુ તેની કેટલીક મર્યાદા છે. જેમ કે મહારાષ્ટ્રમાં મકાન માલિક દર વર્ષે 24 ટકાથી વધુ ભાડુ ન વધારી શકે. આ જ રીતે દિલ્હીમાં દર 3 વર્ષે ભાડામાં 10 ટકાની વૃદ્ધિ કરી શકાય છે.
જો કે જ્યારે સમસ્યાના ઉકેલની વાત આવે છે તો ભાડુઆતની પાસે સીમિત વિકલ્પ છે. ખાસ કરીને મુશ્કેલી જ્યારે RWAને લઇને હોય. હકીકતમાં ભાડુઆત સીધો RWAની પાસે ન જઇ શકે તે મકાન માલિક દ્વારા RWAનો સંપર્ક કરી શકે છે. જો કે ભાડુઆતને પરેશાન કરવાથી મકાન માલિકને આર્થિક નુકસાન થઇ શકે છે તેથી મકાન માલિકે કાર્યવાહી કરવી જ પડશે. કુલ મળીને RWA અને મકાન માલિક તમારી સાથે ભેદભાવ ન કરી શકે. સાથે જ તે તમારી પાસેથી બહુ વધારે પૈસા ન લઇ શકે. એટલે ભાડુઆત તરીકે પોતાના અધિકારોને જાણો અને તેનો ઉપયોગ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો