Money9 Gujarati:
ભારતમાં કોરોના રોગચાળા પછી મકાનોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. જો તમારે પણ ઘર ખરીદવાનું હોય તો તમને ખર્ચમાં રાહત મળી શકે છે, કારણ કે, ચાલુ નાણાકીય વર્ષમાં માંગ અને ભાવમાં નરમાઈની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વેચાણમાં 8થી 10 ટકા અને ભાવમાં વાર્ષિક 5 ટકાનો વધારો થવાની ધારણા છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે 23 એપ્રિલે જાહેર કરેલા અહેવાલમાં વર્તમાન નાણાકીય વર્ષ (2024-25) માટે રહેણાંક રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે તટસ્થ સ્થિતિ દર્શાવી છે. ઈન્ડિયા રેટિંગ એજન્સીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, વ્યાજ દરોમાં ઘટાડો અને ખરીદીમાં સ્થિરતાને કારણે કિંમતોને ટેકો મળી શકે છે. જોકે, ગયા નાણાકીય વર્ષની સરખામણીએ આ વર્ષે વિકાસ દર ઓછો રહેવાની શક્યતા છે.
અહેવાલ જણાવે છે કે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટે ગયા નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર) દરમિયાન જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, વધતી કિંમતો અને સ્થિર વ્યાજ દરો છતાં, ટોચના 8 રિયલ એસ્ટેટ ક્લસ્ટરોમાં વેચાણ વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુ વધ્યું છે.
ઈન્ડિયા રેટિંગ્સના કોર્પોરેટ રેટિંગ્સ ડિરેક્ટર મહાવીર શંકરલાલ જૈને જણાવ્યું હતું કે, ‘મોટા ભાગના વિસ્તારોમાં કિંમતો વધી રહી છે. અમારું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રી-સેલ્સ ગ્રોથ વાર્ષિક ધોરણે 8થી 10 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2023-24માં પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં પૂર્ણ થયેલા મકાનોની સંખ્યામાં વધારો થયો છે. આનું કારણ વેચાણ અને પ્રાપ્તિમાં તીવ્ર વધારો સાથે નવા પ્રોજેક્ટ્સમાં વધારો છે, રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષ 2023-24ના અંતે વાર્ષિક ધોરણે કિંમતોમાં 22 ટકાનો વધારો થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો