Money9: મનોજ પોલીસ સ્ટેશન ગયો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો? વાસ્તવમાં, મનોજે થોડા મહિના પહેલા મકાન ભાડે આપ્યું હતું… જ્યારે ભાડા કરારની વાત આવી ત્યારે તેઓએ સિક્યોરિટી ડિપોઝિટ, એડવાન્સ રેન્ટ બધુ જ આપી દીધું.. પરંતુ ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન પછીથી કરવાનું કહ્યું.. ત્યારબાદ આજે કરાવી લઈશું, કાલે કરાવી લઈશું, આમ કહીને 2 મહિના નીકળી ગયા.. 3 મહિના પછી ઘર ખાલી કરી નાંખ્યું… કહ્યું કે જે પણ પૈસા આપ્યા હતા તે તમે રાખી લો.. મનોજને કોઇ નુકસાન તો નહોતું થયું એટલે કોઇપણ જાતની શંકા પણ ન થઇ. જ્યારે પોલીસને બોલાવવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ 3 મહિનામાં ભાડુઆતોએ તેમના ઘરના સરનામે કંપનીઓ ખોલી હતી. આ કંપનીઓ નકલી દસ્તાવેજોની મદદથી ખોલવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક સાયબર ક્રાઇમ અને GST ફ્રોડ કરવામાં આવ્યા. એટલે હવે પોલીસ મનોજની પાછળ પડી છે.
આ એક નવા પ્રકારનો ફ્રોડ છે. લોકો તમારું ઘર ભાડેથી લઈ લે છે.. પૂરું ભાડું ચૂકવીને એક-બે મહિનામાં ઘર ખાલી કરી દે છે. પછીથી ખબર પડે છે કે તમારા ઘરના સરનામે ફ્રોડ કરનારી કંપનીઓ ખોલવામાં આવી હતી… અને પછી તમે પોલીસના આંખે ચડી જાઓ છો. ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશનના ન હોવાના કારણે તમારી પાસે પોતાને બચાવવા માટે કંઈ નથી હોતુ અને પોલીસ માને છે કે આ સમગ્ર ફ્રોડ તમારી મિલીભગતથી થયો છે. તેથી, રેન્ટ એગ્રીમેન્ટ અને પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે.
મોટાભાગના લોકો રેન્ટ એગ્રીમેન્ટ એટલા માટે કરાવે છે જેથી ભાડુઆતો તેમના નિયમો અને શરતોનું પાલન કરે અને ઘર પર કોઇ કબજો ન જમાવી લે.. પરંતુ રેન્ટ એગ્રીમેન્ટ એટલા માટે પણ કરાવવો જોઈએ કે જેથી તમને ખબર પડે કે તમે જેને ઘર ભાડે આપી રહ્યા છો તે વ્યક્તિની સંપૂર્ણ માહિતી તમારી પાસે છે.. પોલીસ વેરિફિકેશન પણ એટલે જરૂરી છે કે જેથી તમને ખબર પડે કે તમે જેને મકાન આપી રહ્યા છો તે વ્યક્તિ યોગ્ય છે અને તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી.
ભાડા કરાર વિશે વાત કરીએ તો, તે વાસ્તવમાં મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેનો લેખિત કરાર છે. આ એક ડોક્યુમેન્ટ છે જેના પર મકાનમાલિક, ભાડુઆત અને સાક્ષી દ્વારા સહી થયેલી હોય છે. આ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. આ કરારમાં ભાડા અને મકાન સાથે સંબંધિત વ્યવસ્થા અંગે કેટલીક સૂચનાઓ હોય છે.. જેમ કે ભાડું ક્યારે વધશે, રિપેરિંગ અને મેઇન્ટેનન્સ ચાર્જ શું હશે વગેરે વગેરે..
પોલીસ વેરિફિકેશન વિશે વાત કરીએ તો, તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. જો કે, બંને કિસ્સામાં, ભાડુઆતે વેરિફિકેશન ફોર્મ ભરવાનું હોય છે અને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. આ કરાવવા ખૂબ જ જરુરી છે, અને તે મકાનમાલિકની જવાબદારી છે. જેઓ આ પ્રકારની બેદરકારી કરે છે, તેમને આ બેદરકારી મોટા જોખમમાં મૂકી શકે છે, જેમ કે તમે મનોજના કિસ્સામાં જોયું.
આ અંગે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ અનિલ કર્ણવાલ કહે છે કે ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન માત્ર મકાનમાલિકના હિતમાં જ નહીં પરંતુ આસપાસ રહેતા લોકોના હિતમાં પણ છે. આનાથી તમારી સોસાયટીની સેફ્ટી સુનિશ્ચિત થાય છે. તેથી પોલીસ પણ એવી એડવાઈઝરી જારી કરે છે કે પોલીસ વેરિફિકેશન વગર કોઈને પણ ઘર ન આપવું.
કર્ણવાલ કહે છે કે જો તમે ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન નથી કરાવ્યું તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો ભાડુઆત કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો જોવા મળે છે અને મકાનમાલિકની પાસે તે સંબંધિત જરૂરી દસ્તાવેજો નથી, તો તેની સામે આઈપીસીની કલમ 188 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.. કારણ કે પોલીસ માની શકે છે કે આ ગુનો મિલીભગતથી કરવામાં આવ્યો છે. આના માટે 1 મહિનાની સજા અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે, જો ભાડુઆતે કોઇ ગંભીર ગુનો કર્યો છે અને મકાનમાલિક પાસે વેરિફિકેશન સંબંધિત દસ્તાવેજો ન હોય તો તેને 6 મહિના સુધીની જેલની સજા અને 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
તેથી, કોઇને પણ તમારું ભાડે આપતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખો. રેન્ટ એગ્રીમેન્ટ અને પોલીસ વેરિફિકેશન તો ખાસ કરાવો.. આ ઉપરાંત, ભાડૂઆતને અગાઉની પ્રોપર્ટી એટલે કે જે મકાનમાં તે પહેલા રહેતો હતો તેનો ભાડા કરાર પણ બતાવવાનું કહો. જો તે પહેલીવાર ભાડાના મકાનમાં રહેવા આવ્યો છે, તો તેને ઓરિજિનલ એડ્રેસના ડોક્યુમેન્ટ બતાવવા માટે કહો. આમ કરવાથી તમે કોઈ શંકાસ્પદ વ્યક્તિને ઘર ભાડે આપવાથી બચી જશો. તો જાગતા રહો અને આ ઠગ ભાડુઆતોથી બચતા રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો