Money9: મકાન માલિક નોટિસ આપ્યા વગર અચાનક ભાડું ન વધારી શકે. મોડલ ટેનન્સી એક્ટ 2021 હેઠળ ભાડું વધારતા પહેલાં મકાન માલિકે ઓછામાં ઓછા 3 મહિના પહેલાં ભાડુઆતને નોટિસ આપવી પડશે. બન્ને પક્ષોએ પરસ્પર વાતચીત દ્વારા ભાડામાં વધારાની રકમ નક્કી કરવી પડશે. તેના વગર ભાડું નહીં વધારી શકાય. ભાડુઆત અને મકાનમાલિક બન્નેના અધિકાર અને જવાબદારીઓ ટેનન્સી એક્ટમાં દર્શાવેલી છે.
ટેનન્સી એક્ટમાં જોગવાઇઓ
નવા કાયદામાં મનસ્વી રીતે ભાડાની ઉઘરાણી ઉપરાંત એડવાન્સની રકમ પર પણ નિયમો નક્કી છે. રહેણાંકના મકાન માટે બે મહિનાના ભાડાથી વધુ રકમ એડવાન્સ લઇ શકાતી નથી. અને ભાડુઆતના મકાન ખાલી કરવા પર આ રકમ એક મહિનાની અંદર પરત કરવી પડે છે.
કોઇ મુશ્કેલી ઉભી થાય અને ભાડું સમયસર ન ચૂકવી શકાય તો શું મકાન માલિક ઘરની સુવિધાઓ બંધ કરી શકે છે? બિલકુલ નહીં..ટેનન્સી એક્ટ કહે છે કે મકાન માલિક પોતાના ભાડુઆતના વીજળી-પાણીના સપ્લાયને બંધ નથી કરી શકતો. સુપ્રીમ કોર્ટે વીજળી-પાણીને મુળભૂત સુવિધા ગણાવી છે.
મકાન ભાડે આપ્યા બાદ ઘર માલિકના પોતાના જ ઘરમાં જવાના નિયમ પણ નક્કી કરવામાં આવ્યા છે. કોઇપણ જાતની પૂર્વ સૂચના વગર મકાન માલિક ભાડુઆતના ઘરે નથી જઇ શકતો. મકાનના સમારકામ કે અન્ય કાર્ય માટે ભાડાના પરિસરમાં પ્રવેશ માટે 24 કલાક પહેલાં ભાડુઆતને સૂચના આપવી પડશે. જો ભાડુઆત ઘરે નથી તો માલિક તેના ઘરનું તાળુ તોડી શકે નહીં.
મકાન માલિકના અધિકાર
ભાડુઆત સાથે જોડાયેલા નિયમમાં મકાન માલિકોના અધિકાર પણ નક્કી કરવામાં આવ્યા છે. મકાન માલિકને સમયસર ભાડું લેવાનો પૂરો અધિકાર છે. ભાડુઆતના મકાનને ગંદુ રાખવા કે નુકસાન પહોંચાડવા પર મકાન માલિક તેને ટોકી શકે છે. ઘર ખાલી કરતા પહેલાં ભાડુઆતે એક મહિના પહેલાં મકાન માલિકને જણાવવું જરુરી છે. જો ભાડુઆત એગ્રીમેન્ટની અવધિ સમાપ્ત થયા બાદ પૈસાની ચુકવણી નથી કરતો તો માલિક વળતર મેળવવા હકદાર છે. આ રકમ પહેલા બે મહિના માટે બેગણી અને ત્યારબાદ ચાર ગણી થઇ જશે.
નિયમો હેઠળ મકાન માલિક અને ભાડુઆતની વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ થવું જરુરી છે. તેમાં ભાડુઆત ક્યાં સુધી મકાનમાં રહેશે, કેટલું ભાડું હશે, ડિપોઝિટ રકમ સહિત બધી જાણકારીનો ઉલ્લેખ જરુરી છે. રેન્ટ એગ્રીમેન્ટની સમયમર્યાદા સમાપ્ત થવા પર ફરી એગ્રીમેન્ટ બનાવવું જરુરી છે. મકાનની દેખરેખ રાખવાની જવાબદારી મકાનમાલિકની છે. મકાનનું કલરકામ પણ તેણે જ કરાવી આપવું પડશે. મકાન માલિક રેન્ટ એગ્રીમેન્ટમાં નક્કી કરવામાં આવેલી શરતો ઉપરાંત વધારાની શરત નહીં જોડી શકે. જો મકાન માલિક અને ભાડુઆત વચ્ચે કોઇ વિવાદ થાય છે તો તેની ફરિયાદ ક્યાં અને કેવીરીતે થાય છે, ટેનન્સી એક્ટ કેટલી અસરકારક છે?
વિવેક જેવા વિવાદોથી બચવા માટે રેન્ટ એગ્રીમેન્ટ જરુરી છે. તેમાં ભાડાના ઘર સાથે જોડાયેલા નિયમ અને શરતો સ્પષ્ટ રીતે સામેલ કરો. આ પ્રકારના કેસમાં વિવાદ વધારવામાં કોઇ સમજદારી નથી. વિવેકે સૌથી પહેલા પોતાના મકાન માલિકને કાયદાનો રેફરન્સ આપીને સમજાવવું જોઇએ. તેમછતાં જો તે ન માને તો તેને સિવિલ કોર્ટમાં ખેંચી જવો જોઇએ..અહીં તેને મકાન ખાલી કરવા માટે સમય મળી જશે. જો કોઇ મકાન માલિક પોતાના ભાડુઆતથી પીડિત છે તો તે પણ કોર્ટના શરણમાં જઇને ન્યાયની માંગ કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો