Money9: 6 ફેબ્રુઆરી 2023ની તબાહી જ્યારે ભૂકંપથી તૂર્કીની ધરતી કાંપી ઉઠી હતી. વિનાશકારી ભૂકંપે થોડીક જ ક્ષણોમાં આખા દેશને હલાવી નાંખ્યો હતો. 1 લાખ 70 હજાર બિલ્ડિંગ ધરાશાયી થઇ, કે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. અંદાજે 45 હજાર લોકોના મોત થઇ ગયા..20 લાખ લોકોએ પોતાના ઘરબાર છોડીને શેલ્ટર હાઉસમાં શરણ લેવી પડી..આ ભૂકંપનો શિકાર સીરિયા પણ થયું. અહીં અંદાજે 6 હજાર લોકોના મોત થયા..
થોડાક દિવસો પહેલા દિલ્હી-NCRમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં જાનમાલનું તો કોઇ નુકસાન નહોતું થયું પરંતુ ફરીદાબાદની એક સોસાયટીમાં 13માંથી 10 ટાવરમાં તિરાડો પડવાના સમાચારો આવ્યા. આવા સંજોગોમાં ઘણાં લોકો સ્ટ્રક્ચરનું ઓડિટ કરાવવાની માંગ કરી રહ્યા છે. સવાલ એ છે કે તમે કેવી રીતે પોતાના ઘરને ભૂકંપ પ્રૂફ બનાવી શકો છો. ઘરને ભૂકંપ પ્રૂફ બનાવવામાં ઘણાં ફેક્ટર કામ કરે છે, તેમાંથી એક છે સળિયાની ક્વોલિટી..આજે આપણે વાત કરીશું ઘરને ભૂકંપ પ્રૂફ બનાવવામાં સળિયાનો રોલ કેવો હોય છે?
ઘર બનાવતી વખતે તમે બહારની સુંદરતા પર તો ખાસ ધ્યાન આપો છો પરંતુ ઘરની મજબૂતીને જોવાનું કામ મોટાભાગે કોન્ટ્રાક્ટર પર છોડી દો છો. ઘરને મજબૂત બનાવવામાં સ્ટીલ બાર એટલે કે સળિયાની મહત્વની ભૂમિકા હોય છે. તમારા ઘર માટે તમે યોગ્ય સળિયાની પસંદગી કેવી રીતે કરી શકો? સારો સળિયો પસંદ ન કરવાથી શું નુકસાન થશે? ભૂકંપ માટે તમે કેવી રીતે તમારા ઘરને તૈયાર કરી શકો છો? આવી તમામ બાબતો પર સિવિલ એન્જિનિયર સંજય કટારે સાથે વાતચીતના આધારે અમે આ રિપોર્ટ તમારા માટે જ તૈયાર કર્યો છે.
ઘર બનાવવા માટે હાલમાં થર્મો મિકેનિકલી ટ્રીટેડ સ્ટીલ બાર એટલે કે TMT સળિયાનો ઉપયોગ થાય છે. જેમાં ચારે બાજુ રિબ્સ હોય છે. જેનાથી કોંક્રિટની સાથે બાઇંડિંગ સારી રીતે થાય છે.. TMT સળિયામાં પણ ઘણાં ગ્રેડ આવે છે. ગ્રેડ જેટલા વધારે હશે સળિયાની ગુણવત્તા તેટલી સારી હશે..ઘર બનાવવા માટે સામાન્ય રીતે Fe-500D અને Fe-550D ગ્રેડના સળિયાનો ઉપયોગ થાય છે. કોલમ અને બીમમાં 12થી 25 MMના સળિયાનો ઉપયોગ થાય છે. સળિયાની જાડાઇ કોલમ પર પડનારા લોડ અને તેની સાઇઝ પર આધાર રાખે છે. જ્યારે તેની રિંગમાં 6 થી 8 MMનો સળિયો લાગે છે…
સળિયા ખરીદતા પહેલા તેનું મેન્યુફેક્ચર ટેસ્ટ સર્ટિફિકેટ જરૂર ચેક કરો..ટેસ્ટ સર્ટિફિકેટમાં સળિયાનું જે નામ, લોગો, બ્રાન્ડ અને ગ્રેડ બતાવ્યો છે તે જ સળિયા પર લખેલો હોવો જોઇએ..સળિયા પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટ્યૂટ એટલે કે ISI માર્ક ચેક કરો…સ્ટાન્ડર્ડ સળિયાની લંબાઇ અંદાજે 12 મીટર હોય છે…સળિયા કાટ વિરોધી હોવા જોઇએ અને તેની પર કાટ ન લાગેલો હોવો જોઇએ..
સળિયાને ચકાસવાની કેટલીક રીતો એવી છે જેમાં કારીગરની જરૂર પડે છે. સળિયા હાર્ડ નહીં પરંતુ માઇલ્ડ હોવા જોઇએ..સળિયાને 180 ડિગ્રી વાળો તો પણ ક્રેક ન પડવી જોઇએ..જો સળિયામાં ક્રેક ન પડે તો તે માઇલ્ડ સળિયો છે. જે બાંધકામ માટે યોગ્ય છે. આને બેન્ડ ટેસ્ટ કહેવામાં આવે છે….
સારા સળિયા ન વાપરો તો બિલ્ડિંગમાં ઠેકઠેકાણે ક્રેક એટલે કે તિરાડો પડી શકે છે. હકીકતમાં RCC એટલે કે રિ-ઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટમાં સળિયા મજબૂતી આપવાનું કામ કરે છે. જો સળિયામાં કાટ લાગ્યો હશે તો રિઇનફોર્સ કામ નહીં કરે અને નિર્માણ નબળું પડી જશે. ભૂકંપ પ્રૂફ મકાન બનાવવા માટે ફ્રેમ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. જેમાં આખુ બિલ્ડિંગ કોલમ પર ઉભુ હોય છે. આ કોલમ બનાવવા માટે સળિયા અને સિમેન્ટ કોંક્રીટ એટલે કે RCCનો ઉપયોગ થાય છે. જો સળિયા સારા હશે તો કોંક્રીટને મજબૂતીથી પકડી રાખશે. આ જ કારણ છે, કે ફ્રેમ સ્ટ્રક્ચર ભૂકંપના સામાન્ય ઝટકા તો સહન કરી લે છે જ્યારે લોડ બેરિંગ સ્ટ્રક્ચર એટલે કે ફક્ત દીવાલના સહારે ટકી રહેલી બિલ્ડિંગ પડી જાય છે.
ઘર બનાવવામાં ચોરસ ફૂટ દીઠ 5 કિલોગ્રામ સળિયા લાગે છે. જો તમે 100 યાર્ડ એટલે કે 891 ચોરસ ફૂટ જમીનમાં એક માળનું ઘર બનાવો છો તો અંદાજે 4,455 કિલો સળિયાનો ઉપયોગ થશે. બ્રાન્ડેડ 12MM સળિયાની કિંમત 70થી 85 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. આ હિસાબે એક માળના ઘરમાં સળિયાનો ખર્ચ 3 લાખ 11 હજાર 850 રૂપિયાથી લઇને 3 લાખ 78 હજાર 675 રૂપિયા થશે. જ્યારે લોકલ બ્રાન્ડના સળિયા 4થી 5 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તા પડે છે. આવા સંજોગોમાં ખર્ચ 2 લાખ 90 હજાર રૂપિયાથી 3 લાખ 56 હજાર 400 રૂપિયા જેટલો આવશે…
સળિયા આપણા ઘરને વર્ષોવર્ષ મજબૂતી સાથે ટકાવી રાખે છે. એટલું જ નહીં, ભૂકંપના સામાન્ય ઝટકાથી બચાવવામાં પણ મદદ કરે છે. બિલ્ડિંગને ભૂકંપ પ્રૂફ બનાવવામાં બીજી ઘણી ચીજોની ભૂમિકા હોય છે. આવા સંજોગોમાં માત્ર થોડાક રૂપિયા બચાવવા માટે ક્વોલિટી સાથે સમજૂતી બિલકુલ ન કરો…એકબીજી વાત..બિલ્ડિંગના નિર્માણના સમયે જ તેને ભૂકંપ પ્રૂફ બનાવવા માટે બધા ઉપાય કરવામાં આવતા હોય છે. જેના માટે તમે સ્ટ્રક્ચરલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરની મદદ જરૂર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો