Money9: બધા જ બિલ્ડર ખરાબ હોય છે તેવું નથી, પરંતુ તમારો બિલ્ડર બરોબર છે કે નહીં તેની તપાસ કરવી જરુરી છે. નહીંતર તમારી મહેનતની કમાણી પર પાણી ફરી શકે છે. આવો જોઇએ કે દેશમાં હિમાંશુના ઘર જેવા કેટલા ઘર છે જે હજુ પણ અધૂરા છે?
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના જણાવ્યા અનુસાર, દેશના ટોપ 7 શહેરોમાં મે 2022ના અંત સુધી અંદાજે 4.80 લાખ મકાન ફસાયેલા છે. જેની કિંમત 4.48 લાખ કરોડ રૂપિયા થાય છે. NCRમાં અધૂરા કે મોડા ચાલી રહેલા આવા ઘરોની સંખ્યા 2 લાખ 40 હજારથી વધુ છે જ્યારે મુંબઇ મહાનગર એરિયામાં આ આંકડો 1 લાખ 28 હજાર છે. જે મકાન ફસાયેલા છે તેમાં દિલ્હી-NCR, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, બેંગાલુરુ, હૈદરાબાદ અને પુણેમાં 2014 કે તેથી પહેલા શરુ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
હિમાંશુ NCRના જે વિસ્તારમાં ઘર ખરીદવાની વાત કરી રહ્યો છે ત્યાં તો હાલત વધુ ખરાબ છે. એકલા નોઇડા અને ગ્રેટર નોઇડામાં જ અટકેલા મકાનોની સંખ્યા 1 લાખ 65 હજાર 348 છે. જ્યારે ગુરુગ્રામમાં 30,733, ગાઝિયાબાદમાં 22,128 મકાન ફસાયેલા છે…
ઘર ખરીદવું એ જીવનનો એક સૌથી મોટો નિર્ણય છે. આવા સંજોગોમાં કોઇપણ જાતની તપાસ કર્યા વગર ફક્ત બિલ્ડરની વાતોમાં આવી જઇને ઘર ખરીદવું મોટી મુસીબત બની શકે છે. ઘરના પઝેશન અને રજિસ્ટ્રેશન માટે સેંકડો લોકો પ્રદર્શન કરવા મજબૂર બન્યા છે. હિમાંશુની જેમ તમે પણ તમારા બિલ્ડર અંગે તપાસ કરી શકો છો. આવો સમજીએ કેવી રીતે..
તમે જે પ્રોજેક્ટમાં ઘર, જમીન કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો.. સૌથી પહેલા તો, તે જગ્યાએ જઇને જાતતપાસ કરો. આ ઉપરાંત, બિલ્ડરના જુના પ્રોજેક્ટની તપાસ કરો. બિલ્ડરે જુના પ્રોજેક્ટમાં, ડિલિવરી ટાઇમ પર કરી છે કે નહીં તેની તપાસ કરો. બિલ્ડરે ગ્રાહકોને જે વાયદા કર્યા હતા, તે પૂરા કર્યા છે કે કેમ તેની તપાસ કરો.. આના માટે તમે ત્યાં રહેતા લોકો સાથે વાત કરીને રિયલ ટાઇમ ફિડબેક લઇ શકો છો. બિલ્ડરની પાસે પ્રોજેક્ટ નિર્માણ માટે પર્યાપ્ત પૈસા છે કે નહીં..એ પણ તપાસ કરો..
સામાન્ય રીતે મોટી બેંક એવી પ્રોપર્ટી પર હોમ લોન આપવાથી દૂર રહે છે. જેની પર કોઇ વિવાદ હોય..કોઇ પ્રોજેક્ટને ફાઇનાન્સ કરતા પહેલા બેંક ઘણી તપાસ કરે છે. બધી આવશ્યક મંજૂરીઓની સાથે સાથે બેંક, બિલ્ડરનો પ્રોફાઇલ પણ ચેક કરે છે. જો પ્રોજેક્ટ બેંક તરફથી હોમ લોન માટે એપ્રુવ છે તો તમે તેમાં ઘર ખરીદી શકો છો. માની લો કે, પ્રોજેક્ટના નિર્માણમાં વિલંબ થાય કે કોઇ કાયદાકીય વિવાદ ઉભો થાય, તો બેંક પહેલેથી સ્વીકૃત પ્રોજેક્ટમાં ઘર માટે લોન આપવાની ના પાડી શકે છે…
બિલ્ડર જેન્યુઇન છે, તો તે તમને આવશ્યક મંજૂરીઓ દેખાડવામાં કોઇ આનાકાની નહીં કરે. પરંતુ જો બિલ્ડર રેરા રજિસ્ટ્રેશન, કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપન્સી સર્ટિફિકેટ સહિતની મંજૂરીઓ બતાવવામાં આનાકાની કરે તો માની લેવું કે બિલ્ડરની દાનત સારી નથી. તેથી આવા પ્રોજેક્ટમાં ઘર ખરીદવાથી દૂર રહો. આ ઉપરાંત, પ્રોપર્ટીનું ટાઇટલ, બિલ્ડિંગ પ્લાન, લેન્ડ યૂઝમાં ફેરફાર, જમીનની બાકી રકમ જેવી બાબતોની તપાસ કરી લેવી જોઇએ..આ ઉપરાંત, જમીન પર કોઇપણ જાતનો કાયદાકીય કેસ કે લોન ન હોવી જોઇએ.
ઘરની સમયસર ડિલીવરી ન મળવી એ સૌથી મોટી સમસ્યા છે. આવા સંજોગોમાં એગ્રીમેન્ટ ટૂ સેલમાં પેમેન્ટ અને નિર્માણમાં વિલંબ થવાના સંજોગોમાં વળતર સાથે જોડાયેલી બધી શરતો સારી રીતે ચેક કરી લો. સુનિશ્ચિત કરો કે બ્રોશરમાં જે સુવિધાઓ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે તેનો ઉલ્લેખ એગ્રીમેન્ટમાં જરુર થયેલો હોય. તેથી જો બિલ્ડર કોઇપણ જાતનો ગોટાળો કરે તો તમે કાયદાકીય કાર્યવાહી કરી શકો છો. એગ્રીમેન્ટની જે શરતોથી તમે સંતુષ્ટ નથી તેને હટાવવા માટે બિલ્ડર સાથે વાત કરો..
સ્વાભાવિક રીતે હિમાંશુ હવે સમજી ગયો છે કે ઘરનું બુકિંગ કરતા પહેલા તેણે કેવી રીતે બિલ્ડર વિશે તપાસ કરવી. જો તમે પણ ઘર ખરીદવાની તૈયારીમાં છો તો બિલ્ડર અંગે થોડુક હોમવર્ક કરી લો..તેના દાવામાં કેટલી સચ્ચાઇ છે તેની તપાસ કરો. થોડીક સાવધાની તમારી જિંદગીભરની મૂડી બચાવી શકે છે અને કોર્ટ કચેરીની લાંબી ઝંઝટથી પણ તમને દૂર રાખી શકે છે….
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો