Money9: મોદી સરકાર દેશભરમાં ઘર ખરીદનારાઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોદી સરકાર એવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં ફ્લેટની રજિસ્ટ્રીને મંજૂરી આપવાનું આયોજન કરી રહી છે, જે બનીને તૈયાર થઇ ગયા છે પરંતુ બિલ્ડર નાદાર થઈ ગયો છે. આ માટે, સરકાર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ને સત્તા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર નાદારીવાળા પ્રોજેક્ટ્સમાં રજિસ્ટ્રી શરૂ કરવા સંબંધિત પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
લાખો ઘર ખરીદનારાઓને રાહત આપવાની તૈયારી
સુત્રોના જણાવ્યા મોદી સરકાર દેશભરમાં એવા લાખો ઘર ખરીદનારાઓને રાહત આપવાની યોજના બનાવી રહી છે જેઓ પોતાની મહેનતના પૈસા ચૂકવ્યા પછી પણ ઘરની ચાવી મેળવી શક્યા નથી. સરકારનું માનવું છે કે હોમ બાયર્સ ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ નાણાકીય લેણદાર પણ છે. તેથી જો કોઈ બિલ્ડર નાદાર થઈ જાય, તો પણ તેના પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓનો હિસ્સો હોય છે. આવા કિસ્સામાં, તેને રજિસ્ટ્રી આપવામાં આવશે. રિયલ્ટી નિષ્ણાતોનું કહેવું છે કે આ પહેલ ઘર ખરીદનારાઓને બાકીના પૈસા મેળવવામાં પણ મદદ કરશે. ઘણા અટવાયેલા પ્રોજેક્ટ્સમાં, ઘર ખરીદનારા બાકી રકમ ચૂકવવા તૈયાર નથી થતા. તો મકાનોના દસ્તાવેજ થવાથી રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થશે.
518 બિલ્ડર પર નાદારીનો કેસ ચાલી રહ્યો છે
રિસર્ચ ફર્મ ગ્રાન્ટ થોર્નટનના રિપોર્ટ અનુસાર, ભારતમાં નોંધાયેલી 2,298માંથી 518 રિયલ એસ્ટેટ કંપનીઓ નાદારીનો સામનો કરી રહી છે. જો ટકાવારીમાં જોઇએ તો તે લગભગ 23 ટકા છે. બીજી તરફ નાદારીના દાખલ કરાયેલા 611 કેસોમાંથી માત્ર 78નું સમાધાન થયું છે. તે લગભગ 13% છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતો કહે છે કે વર્તમાન IBC નિયમો રિઝોલ્યુશન પ્રોફેશનલને લેણદારોની કમિટી પાસેથી મંજૂરી મેળવ્યા પછી રિઝોલ્યુશન પ્રક્રિયા દરમિયાન ખરીદદારોને ફ્લેટ સોંપતા અટકાવતા નથી, પરંતુ તેઓ તેને યોગ્ય રીતે કરવા માંગે છે. તેમણે ઉમેર્યું હતું કે ફ્લેટ ટ્રાન્સફર અને નોંધણીને મંજૂરી આપતી એક સ્પષ્ટ IBC જોગવાઈ આ બાબતને સરળ બનાવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો