Money9: હરીશની પત્નીનું ત્રણ મહિના પહેલા હાર્ટ એટેકથી અવસાન થઇ ગયું… હરીશ હજુ તેની પત્નીના મૃત્યુના આઘાતમાંથી બહાર પણ નહોતો આવ્યો કે લીગલ નોટિસ આવી ગઇ… આ નોટિસ હરીશના સાસરિયાઓએ તેની પત્નીની મિલકતને લઈને મોકલી હતી. હરીશ માનતો હતો કે તેની પત્નીની મિલકત પર તેનો અધિકાર છે, પરંતુ તેના સાસરિયાઓ તરફથી મળેલી નોટિસે તેને પરેશાન કરી દીધો છે… તેને ડર છે કે જો તે ઘર ગુમાવશે તો ક્યાં રહેશે? હરીશ જેવા ઘણા લોકોને આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે… જો વિલ બનાવ્યા વિના કોઇ મહિલાનું મૃત્યુ થઇ જાય, તો તેની મિલકત પર કોનો હક હશે તે જાણવું ખૂબ જ જરૂરી છે…
હિંદુ મહિલાના જીવનકાળ દરમિયાન, તેની કોઈપણ મિલકત એટલે કે પ્રોપર્ટી પર ફક્ત તેનો જ સંપૂર્ણ અધિકાર હોય છે… મિલકતને લગતા મોટાભાગના વિવાદો ત્યારે ઉભા થાય છે જ્યારે મહિલા વસિયતનામું કર્યા વિના મૃત્યુ પામે છે… આવી સ્થિતિમાં મિલકતની વહેંચણી Hindu Succession Act, એટલે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ કાયદો, 1956 હેઠળ થાય છે. આ કાયદાની કલમ 14, 15 અને 16 માં તેનો ઉલ્લેખ છે.
હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 ની કલમ 14 જણાવે છે કે મહિલાની મિલકત એટલે કે પ્રોપર્ટીમાં શેનો સમાવેશ થઇ શકે છે…તેમાં જંગમ અને સ્થાવર એમ બંને મિલકતોનો સમાવેશ થાય છે… સામાન્ય રીતે, એક મહિલાને ઘણીબધી રીતે પ્રોપર્ટી મળી શકે છે… જેમ કે ખરીદેલી પ્રોપર્ટી, પોતાના કૌશલ્ય અથવા મહેનત દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટી, માતા-પિતાના મૃત્યુ પછી વારસામાં મળેલી મિલકત, માતા-પિતા અથવા અન્ય વ્યક્તિ તરફથી ભેટ તરીકે મળેલી મિલકત, ભાગલા પછી કોપાર્સેનર એટલે કે સહ-વારસની પ્રોપર્ટીમાં મળેલો હિસ્સો અથવા પતિ અને સસરા તરફથી મળેલી મિલકત…
વસિયતનામું કર્યા વિના મહિલાનું મૃત્યુ થાય તો, તેની મિલકત ઉત્તરાધિકારીઓ અથવા વારસદારો વચ્ચે કયા ક્રમમાં વહેંચવામાં આવશે તે હિંદુ સક્સેશન એક્ટ, 1956 ની કલમ 15 માં જણાવવામાં આવ્યું છે. સબ-સેક્શન 15 (1) હેઠળ, હિંદુ મહિલાના મૃત્યુ બાદ તેની મિલકત પર પહેલો અધિકાર તેના પુત્ર, પુત્રી અને પતિને જશે… આમાં મૃતકના પુત્ર કે પુત્રીના બાળકો પણ સામેલ છે… પ્રથમ યાદીમાં સામેલ લોકોના ન હોવા પર પ્રોપર્ટી મહિલાના પતિ કે વારસદારોને જશે, ત્રીજી કન્ડિશનમાં માતા અને પિતાને સંપત્તિ જઇ શકે છે. ચોથી સ્થિતિમાં પિતાના વારસદારો અને સૌથી છેલ્લે માતાના વારસદારોને પ્રોપર્ટી મળી શકે છે.
તો, સબ સેક્શન 15 (2) (એ) મુજબ, જો મહિલાને તેના માતા અથવા પિતા પાસેથી કોઈ મિલકત વારસામાં મળી હોય, તો મૃતકના પુત્ર અથવા પુત્રી અથવા જો મૃત પુત્ર અથવા પુત્રીને કોઈ સંતાન ન હોય તો, પછી પ્રોપર્ટી સબ-સેક્શન (1) માં દર્શાવેલા વારસદારના બદલે મહિલાના પિતાના વારસદારોને ટ્રાન્સફર કરવામાં આવશે… તેવી જ રીતે, સેક્શન 15 (2) (બી) હેઠળ, જ્યાં હિન્દુ મહિલાને તેના પતિ કે સસરા પાસેથી મિલકત મળી હોય અને મૃતકની પુત્રી કે પુત્રની ગેરહાજરીમાં મિલકત પતિના વારસદારોને ટ્રાન્સફર થશે.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ અનિલ કર્ણવાલ જણાવે છે કે જો કોઈ હિંદુ મહિલાને તેના પિતા અથવા તેની પહેલાની પેઢીઓમાંથી કોઈ પૈતૃક સંપત્તિ વારસામાં મળે છે, તો મહિલાના મૃત્યુ પછી, આ મિલકત તેના બાળકો પાસે જશે… જો કોઈ સંતાન ન હોય તો, મિલકત પતિને નહીં પરંતુ પિતાના કાયદેસરના વારસદારો મળશે… જો કોઇ મૃતક મહિલાને સંતાનો હોય, તો ભલે તેને મિલકત તેના પતિ, પિતા કે પછી કોઇપણ સ્વરૂપે મળી હોય, મિલકતની વહેંચણી ક્લાસ-1માં રાખવામાં આવેલા વારસદારો એટલે કે સંતાનોની વચ્ચે થશે…
તમે આ દુનિયા ન હોવ એટલે તમારા મૃત્યુબાદ તમારા પ્રિયજનોને હરીશ જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે એટલા માટે એક વિલ બનાવવું જરૂરી છે.. વિલ એ સુનિશ્ચિત કરે છે કે તમારા મૃત્યુ પછી, મિલકત તમારી ઇચ્છા મુજબ વહેંચવામાં આવે. વિલની ગેરહાજરીમાં પ્રોપર્ટીને લઇને તમારા અધિકારો વિશે જાણવા માટે, તમારે વકીલની સલાહ લેવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો