Money9: લોન લેનારો લોન ન ચૂકવી શકે તો વ્યાજ સહિત લોન ભરપાઇ કરવાની જવાબદારી ગેરંટરના માથે આવી જાય છે. બિઝનેસ ઠપ્પ થઇ ગયા બાદ જે દોસ્ત માટે જતિન લોન ગેરંટર બન્યો હતો હવે તે શોધ્યો જડતો નથી. વ્યાજ પર વ્યાજ લાગતા લોનની રકમનું મીટર વધી રહ્યું છે..
દોસ્ત જાણીને કરવામાં આવેલી ભલાઇમાં લોન ગેરંટર બનવું તમને મુશ્કેલીમાં મુકી શકે છે..જતિન જેવા લોકો ગેરંટર બનતી વખતે દસ્તાવેજોને વાંચ્યા અને સમજ્યા વગર સાઇન કરી નાંખે છે. ગેરંટર માત્ર પેપરમાં લખેલી ફોર્મેલિટીમાં નથી પંરતુ જવાબદારીનું કામ છે..
ગેરંટર કોને કહેવાય
બેંક અને નાણાકીય સંસ્થાઓ લોન આપતી વખતે તેના રિટર્નને સુનિશ્ચિત કરવા માટે ગેરંટરની માંગ કરે છે. મર્યાદિત નાણાકીય ક્ષમતાવાળા લોકોને લોન આપતા પહેલા ગેરંટરની જરુર પડે છે. મોટાપાયે ગેરંટર બનવાનો અર્થ છે કે જો કોઇ પરિસ્થિતિમાં લોન લેનાર તેને ન ચૂકવી શકે તો ગેરંટર તેની ભરપાઇ કરશે. તો શું હવે પોતાના દોસ્તની ઉધારી જતિને ચુકવવી પડશે?
ગેરંટરની જવાબદારી
લોનના ગેરંટર બનતી વખતે જે દસ્તાવેજોમાં સહિઓ લેવામાં આવે છે તેમાં ગેરંટર પોતાની સંપત્તિ વેચીને લોન ચુકવવાની સહમતિ આપે છે. એટલું જ નહીં, લોનધારકના મોત થયા બાદ પણ ગેરંટરની જવાબદારી સમાપ્ત નથી થતી..આ હાલતમાં લોનધારક વ્યક્તિનું ખાતું ફ્રિજ કરી દેવામાં આવે છે અને બાકી રકમની વસૂલાત થવા સુધી ગેરંટરની જવાબદારી બની રહે છે. ગેરંટર બનતા જ તમારી લોન એલિજિબિલિટી ઘટી જાય છે. જો તમે કોઇપણ પ્રકારની લોન માટે અરજી કરશો તો જે લોનમાં તમે ગેરંટર છો તેની બાકી રકમના આધારે તમને લોન મળશે. એટલે લોન ગેરંટર બનવા માટે સહમત થતા પહેલા હંમેશા પોતાની લોનની જરુરિયાતોને ધ્યાનમાં રાખો..
નિયમો હેઠળ બેંક લોનધારક અને ગેરંટર એટલે કે બન્ને સામે એકસાથે વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તેમાં એ જરુરી નથી કે પહેલા લોનધારક પર જ કાર્યવાહી કરવામાં આવે. ચુકવણી ન કરવા પર બેંક ગેરંટરને પણ ડિફોલ્ટર જાહેર કરી શકે છે. નાદારીના કાયદા હેઠળ ગેરંટરની સામે કેસ નોંધીને વસૂલાતની કાર્યવાહી કરી શકાય છે. ગેરંટર બનીને ખરાબ રીતે ફસાયેલા જતિનની પાસે શું કોઇ કાયદાકીય રસ્તો બચે છે?
ગેરંટર બનતા પહેલા એ વાતને સમજી લો કે તમે કોઇ લોન લીધા વગર જ લોનધારક બનવાનું જોખમ લઇ રહ્યા છો. ગેરંટર બનનારો વ્યક્તિ માત્ર લોન લેનારાની મદદ જ નથી કરી રહ્યો, પરંતુ તે લોન માટે જવાબદાર પણ છે. જ્યાં સુધી સમયસર EMIની ચુકવણી થઇ રહી છે ત્યાં સુધી બધુ ઠીક ચાલે છે પરંતુ લોનની ચુકવણીમાં જેવી ચૂક થશે તો ગેરંટરને છોડવામાં નહીં આવે..તો ગેરંટર બનતા પહેલા સાવધાન રહો..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો